
સર્વ શક્તિમાન રાધામાધવને ભવ્ય હનુમદ વાહનપર વિરાજમાન કરી રથમાં મંદિરની પરિસરમાં જાજરમાન સવારીમાં વિહાર કરાવવામાં આવ્યું તથા ભકતો ભગવાન શ્રી રામના ગુણોનું રટણ કરતા સંકિર્તન ગાઈ જોડાયા હતા.

ભગવાન શ્રી રામ અને સીતાદેવી ની દિવ્ય લીલાઓનું ગુણગાન સાથે વિશેષ "રામ લીલા" નાટકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

ઉત્સવમાં વિશેષ આકર્ષણના ભાગરૂપે 60 ફુટ જેટલા ઉંચા બનાવેલ રાવણ, કુંભકર્ણ અને મેઘનાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું. જે સત્યની અસત્ય પરની વિજયના પ્રતિકનું નિર્દેશ કરે છે. જે ઉપસ્થિત દર્શકો અને ભક્તોના આકર્ષણનું કેન્દ્ર રહ્યું હતું.

ભારે જનમેદની વચ્ચે રાવણના પૂતળાનું દહન થતા તેમજ ફટાકડાના શોર અને શાનદાર આતશબાજીથી ચોમેર ભારે હર્ષ અને ઉલ્લાસની લાગણી ફેલાઈ ગઈ હતી. ઉત્સવના અંત ભાગમાં ખાસ રીતે બનાવેલા રામદરબારમાં ભગવાન રામચંદ્રજીની ભવ્ય મહા આરતી કરવામાં આવી હતી.