AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

J&Kના ડોડામાં જોશીમઠ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? જાણો ઘરોમાં પડેલી તિરાડો પાછળનું નગ્ન સત્ય

અધિકારીઓએ જણાવ્યું હતું કે જમીન નીચે અને મકાનોમાં તિરાડો પાછળ, ઢોળાવ પર બનેલા મકાનો અને ઇમારતોમાં યોગ્ય ગટર વ્યવસ્થા ન હોઈ શકે. વહીવટીતંત્ર ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે

J&Kના ડોડામાં જોશીમઠ જેવી સ્થિતિ કેમ સર્જાઈ? જાણો ઘરોમાં પડેલી તિરાડો પાછળનું નગ્ન સત્ય
Why did Joshimath-like situation arise in J&K's Doda?
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 06, 2023 | 8:50 AM
Share

જમ્મુ-કાશ્મીરના ડોડા જિલ્લાના નાઈ બસ્તી ગામમાં પણ જોશીમઠ જેવી સ્થિતિ જોવા મળી છે. જમીન ધસી જવાને કારણે અનેક મકાનોમાં તિરાડો પડી ગઈ છે. ખતરાની સંભાવનાને જોતા કેટલાક લોકોને અન્ય સ્થળોએ પણ ખસેડવામાં આવ્યા છે. જમીન ધરાશાયી થવા પાછળનું કોઈ નક્કર કારણ હજુ સુધી બહાર આવ્યું નથી, પરંતુ સત્તાવાળાઓએ નવા મકાનો બાંધતી વખતે યોગ્ય ડ્રેનેજ વ્યવસ્થા ન કરવાને જવાબદાર ઠેરવી છે.

વિસ્તારના અધિકારીઓએ જણાવ્યું હતું કે જમીન નીચે અને મકાનોમાં તિરાડો પાછળ, ઢોળાવ પર બનેલા મકાનો અને ઇમારતોમાં યોગ્ય ગટર વ્યવસ્થા ન હોઈ શકે. વહીવટીતંત્ર ભૂસ્તરશાસ્ત્રના નિષ્ણાતોના રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે. આ વિસ્તારમાં બનેલા અનેક મકાનોમાં તિરાડો જોવા મળ્યા બાદ શુક્રવારે ઓછામાં ઓછા 22 મકાનો ખાલી કરાવવામાં આવ્યા હતા અને આ વિસ્તારમાંથી લગભગ 300 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા.

જોશીમઠ તરફથી ધ્યાન દોર્યું

ડોડા જિલ્લાની આ ઘટનામાં ફરી એકવાર લોકોનું ધ્યાન ઉત્તરાખંડના જોશીમઠ તરફ ખેંચાયું છે. જોશીમઠમાં પણ આવા જ કેટલાક કેસ નોંધાયા હતા. જ્યાં અનેક મકાનો અને હોટલોમાં તિરાડો પડી જતાં 800થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

1980ના દાયકામાં તિરાડો જોવા મળી હતી

ડોડાના સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે 1980ના દાયકામાં પણ આવી જ કેટલીક તિરાડો જોવા મળી હતી. અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે 1980ની ઘટના બાદ પણ ઉપર રહેતા લોકોએ મકાનો બનાવવાનું ચાલુ રાખ્યું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગે છે કે યોગ્ય ગટર વ્યવસ્થાના અભાવે આ પ્રકારની સમસ્યા જોવા મળી રહી છે.

જોશીમઠની સ્થિતિ પર અપડેટ

ઉત્તરાખંડના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના સચિવ રંજીત સિંહાએ જોશીમઠને લઈ આજે પત્રકાર પરિષદ યોજી. તેમને લેટેસ્ટ અપડેટ જણાવતા કહ્યું કે પાણીના લિકેજમાં ઘટાડો થયો છે. 163 એલપીએમ જ પાણીનું લિકેજ માત્ર 163 LPM છે. સાથે જ તેમને કહ્યું કે જોશમીઠમાં હજુ ખતરો ટળ્યો નથી. વધુ તિરાડો પડી શકે છે. અત્યાર સુધી 800 લોકોને સુરક્ષિત સ્થળે શિફ્ટ કરવામાં આવ્યા છે.

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">