Vijay Diwas: પાકિસ્તાનના 8000 સૈનિકોના મોત, 93000 લોકોએ આત્મસમર્પણ કર્યું, જાણો ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી મોટી વાતો

પૂર્વ પાકિસ્તાને સત્તાવાર રીતે 26 માર્ચ 1971ના રોજ સ્વતંત્રતા જાહેર કરી. ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધી(PM Indira Gandhi) એ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું.

Vijay Diwas: પાકિસ્તાનના 8000 સૈનિકોના મોત, 93000 લોકોએ આત્મસમર્પણ કર્યું, જાણો ભારત-પાકિસ્તાન યુદ્ધ સાથે જોડાયેલી મોટી વાતો
ભારત-પાક યુદ્ધ (ફાઈલ ફોટો)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 16, 2021 | 10:00 AM

Vijay Diwas: વર્ષ 1971માં પાકિસ્તાન (Pakistan) પર ભારત(India) ની જીતને યાદ કરવા દર વર્ષે 16 ડિસેમ્બરે વિજય દિવસ (Vijay Diwas) ઉજવવામાં આવે છે. આ દિવસ પૂર્વ પાકિસ્તાનની સ્વતંત્રતા અને નવા રાષ્ટ્ર તરીકે બાંગ્લાદેશ(Bangladesh)ની રચનાને ચિહ્નિત કરે છે. 16 ડિસેમ્બર 1971ના રોજ પાકિસ્તાની સેના (Pakistani Army) ના વડા જનરલ નિયાઝી(General Niazi) એ તેમના 93,000 સૈનિકો સાથે ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું.

બાંગ્લાદેશમાં વિજય દિવસને ‘Bijoy Dibos’ અથવા બાંગ્લાદેશ લિબરેશન ડે(Bangladesh Liberation Day) તરીકે પણ ઉજવવામાં આવે છે, જે પાકિસ્તાનથી બાંગ્લાદેશની સત્તાવાર સ્વતંત્રતા દર્શાવે છે.

1971 ના ભારત-પાકિસ્તાન યુદ્ધ વિશે મહત્વપૂર્ણ તથ્યો

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

(1) બાંગ્લાદેશના મુક્તિ સંગ્રામનો અવાજ ત્યારે ઊભો થયો જ્યારે પૂર્વ પાકિસ્તાનના લોકો સાથે પશ્ચિમ પાકિસ્તાન દ્વારા સતત દુર્વ્યવહાર થતો હતો. એટલું જ નહીં, પશ્ચિમ પાકિસ્તાને પૂર્વ પાકિસ્તાન (હવે બાંગ્લાદેશ)માં ચૂંટણી પરિણામોને પણ નબળા પાડ્યા હતા, ત્યાર પછી સ્વતંત્રતા સંગ્રામ શરૂ થયો હતો.

(2) પૂર્વ પાકિસ્તાને સત્તાવાર રીતે 26 માર્ચ 1971ના રોજ સ્વતંત્રતા જાહેર કરી. ભારતના તત્કાલિન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીએ બાંગ્લાદેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સંપૂર્ણ સમર્થન આપ્યું હતું. પાકિસ્તાની સેનાના હાથે બંગાળીઓ, મુખ્યત્વે હિંદુઓ વિરુદ્ધ વ્યાપક નરસંહાર પણ મીડિયામાં બતાવવામાં આવ્યો હતો. આના કારણે લગભગ 10 મિલિયન લોકોને પડોશી ભારતમાં સ્થળાંતર કરવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, ભારતે બંગાળના શરણાર્થીઓ માટે પોતાની સરહદો પણ ખોલી દીધી હતી.

(3) 4-5 ડિસેમ્બરની રાત્રે, ભારતીય નૌકાદળના પશ્ચિમી નૌકા કમાન્ડે કરાચી બંદર પર ટ્રાઇડેન્ટ નામથી સફળતાપૂર્વક હુમલો કર્યો.

(4) પાકિસ્તાને તેના સૈનિકોને પશ્ચિમી મોરચા પર તૈનાત કર્યા હતા. જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાકિસ્તાનના હજારો કિલોમીટરના વિસ્તારને સફળતાપૂર્વક કબજે કરી લીધો હતો.

(5) આ યુદ્ધમાં પાકિસ્તાનના 8000 સૈનિકો માર્યા ગયા અને 25000 ઘાયલ થયા. જ્યારે ભારતના 3000 સૈનિકોએ જીવ ગુમાવ્યો અને 12,000 ઘાયલ થયા.

(6) પૂર્વ પાકિસ્તાનમાં મુક્તિ બાહિની ગેરીલાઓ પાકિસ્તાની સૈનિકો સામે લડવા માટે ભારતીય સેના સાથે જોડાયા. યુદ્ધમાં ભાગ લેવા માટે ભારતીય સેનાએ તેમને શસ્ત્રો તેમજ આગળની તાલીમ પણ આપી હતી.

(7) જનરલ અમીર અબ્દુલ્લા ખાન નિયાઝીની આગેવાની હેઠળ લગભગ 93,000 પાકિસ્તાની સૈનિકોએ યુદ્ધના અંત દરમિયાન ભારતીય સેના સમક્ષ આત્મસમર્પણ કર્યું. તેઓને 1972ના શિમલા કરાર હેઠળ પાછા મોકલવામાં આવ્યા હતા.

(8) ભારતીય સેનાએ પાકિસ્તાનની લગભગ એક તૃતીયાંશ સેના કબજે કરી લીધી હતી. આ 13 દિવસીય ભારત-પાકિસ્તાન યુદ્ધ 13 ડિસેમ્બર 1971ના રોજ શરૂ થયું હતું. આ દિવસે જ તત્કાલીન પૂર્વ પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ સરકાર વિરુદ્ધ બળવો શરૂ થયો હતો.

આ પણ વાંચો : Omicron Variant: છેલ્લા 24 કલાકમાં આ પાંચ રાજ્યોમાંથી ઓમિક્રોનના 12 નવા કેસ નોંધાયા

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">