Independence Day Celebration 2026 Live : છેલ્લા 12 વર્ષમાં 25 કરોડ લોકોએ ગરીબી પાર કરી : PM મોદી
Independence Day 2026 Live Updates in Gujarati : આજે દેશ 80મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. દેશની રાજધાની દિલ્લીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન રાષ્ટ્ર ધ્વજ ફરકાવશે. જ્યારે વિવિધ રાજ્યોમાં મુખ્ય પ્રધાન પણ રાજ્ય સ્તરીય કાર્યક્રમ દરમિયાન ત્રિરંગાને સલામી આપશે.
LIVE NEWS & UPDATES
-
Independence Day PM Modi Speech : છેલ્લા 12 વર્ષમાં 25 કરોડ લોકોએ ગરીબી પાર કરી : PM મોદી
Independence Day PM Modi Speech : છેલ્લા 12 વર્ષમાં 25 કરોડ લોકોs ગરીબી પાર કરીને બહાર નિકળ્યા છે. 2014 સુધી આવતા આવતા વિશ્વે ડમ્પ કરી દીધા હતા. છેલ્લા 12 વર્ષમાં દેશે નવી રફતાર પકડી છે. 140 કરોડ લોકોના સંકલ્પને રોકવો નામુમકીન છે. ડિફેન્સ પ્રોડક્ટ 4 ગણુ. ખાદી 5 ગણી, રેલવે કોચનું નિર્માણ 21 ગણુ. મોબાઈલનું ઉત્પાદન 33 ટકા વધ્યું. ઈન્ટરનેટ યુઝર્સ 4 ગણુ વધ્યું છે.
-
Independence Day PM Modi Speech : 2047માં વિકસીત ભારત બનાવીને રહીશું : PM મોદી
Independence Day PM Modi Speech : આઝાદી દિવસે દેશને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોઈ પણ રાષ્ટ્ર ત્યારે મહાન બને છે, ત્યારે સિદ્ધિઓને પ્રાપ્ત કરે છે. પોતાના સ્વપ્ન, સિદ્ધિ અને સામર્થ્ય પર આગળ વધે છે. હવે નાના સ્વપ્નથી ચાલે તેમ નથી. મોટા સ્વપ્ન આપણી વિચારને વિસ્તૃત કરે છે. સ્વપ્ન, સંકલ્પ ઊચા હોય ત્યારે સામાર્થ્ય પણ ઉચુ હોય છે. ભારતે એક સ્વપ્ન જોયું છે. નવી ઉચાઈને સ્પર્શવાનુ સ્વપ્ન છે. 2047માં વિકસીત ભારત બનાવીને રહીશું
-
-
Independence Day PM Modi Speech : આઝાદી બાદ પહેલીવાર લાલ કિલ્લા પર વંદેમાતરમ ગુંજ્યું
સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, દેશ આજે એ મહાન સપુતને યાદ કરે છે જેમણે ત્યાગ અને બલિદાનની પરીકાષ્ઠા હતી. આઝાદીનું એકમાત્ર લક્ષ્ય લઈને આખી જીંદગી ખપાવી દીધી. પુજય બાપુ સહીત મહાન ક્રાતિકારીઓને શ્રદ્ધાપુર્વક નમન કર્યું. આઝાદી બાદ પહેલીવાર લાલ કિલ્લા પર વંદેમાતરમ ગુંજી રહ્યું છે.
-
Independence Day 2026 : લાલ કિલ્લાની પ્રાચીર પરથી 13મી વાર રાષ્ટ્રધ્વજ ફરકાવતા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, સતત 13મી વાર લાલ કિલ્લાની પ્રચીર પરથી રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો.
-
આઝાદી પર્વે લાલ કિલ્લાની પ્રાચીર પરથી પહેલી વાર ગવાયુ વંદેમાતરમ
દેશના 80માં સ્વાતંત્રતા પર્વે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં લાલ કિલ્લાની પ્રાચીર પરથી વંદે માતરમ ગાન ગવાયું હતું.
-
-
અમેરિકાના વિદેશ સચિવ રુબિયોએ ભારતના 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી
ભારતના લોકોને દેશના 80મા સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવતા, અમેરિકાના વિદેશ સચિવ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેના વ્યક્તિગત સંબંધોને કારણે ભારત અને અમેરિકા વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પહેલા કરતાં વધુ મજબૂત બન્યા છે. એક નિવેદનમાં, રુબિયોએ જણાવ્યું હતું કે બંને દેશોના લોકો વચ્ચે મિત્રતા અને પારિવારિક સંબંધોના ઊંડા મૂળિયા એક એવી ભાગીદારીનો પાયો બનાવે છે જે નવીન, સ્થિતિસ્થાપક અને સ્વપ્નદ્રષ્ટા છે. “યુનાઇટેડ સ્ટેટ્સ વતી, હું ભારતના લોકોને તેમના સ્વતંત્રતા દિવસ પર હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું,”.
-
દેશવાસીઓને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ: પીએમ મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, 80માં સ્વતંત્રતા દિવસની દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે. તેમના શુભેચ્છા સંદેશમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું છે કે, સ્વતંત્રતા દિવસ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ. આપણે અસંખ્ય સ્વાતંત્ર્ય સેનાનીઓને કૃતજ્ઞતા સાથે યાદ કરીએ છીએ જેમની હિંમત, બલિદાન અને અટલ સંકલ્પથી વસાહતી શાસનનો અંત આવ્યો. તેમના સપના આપણને ‘વિકસિત ભારત’ (વિકસિત ભારત) ના નિર્માણ માટે સાથે મળીને કામ કરવા પ્રેરણા આપે છે. 1.4 અબજ ભારતીયોની શક્તિથી પ્રેરિત, આપણું રાષ્ટ્ર વિવિધ ક્ષેત્રોમાં પ્રગતિની નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે. આવનારા સમયમાં આ યાત્રા વધુ ઝડપી ગતિએ આગળ વધતી રહે એવી શુભેચ્છા.
On the occasion of the 80th Independence Day, Prime Minister Narendra Modi tweets, “Warm greetings on the occasion of Independence Day. We remember with gratitude the countless freedom fighters whose courage, sacrifice, and unwavering commitment ensured the end of colonial rule.… pic.twitter.com/9y77PDgOqI
— ANI (@ANI) August 15, 2026
-
Happy Independence Day 2026 Live Updates in gujarati : સ્વતંત્રતા દિવસ 2026 ની શુભકામનાઓ લાઈવ અપડેટ્સ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (15 ઓગસ્ટ) દેશના 80મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે સતત 13મી વખત ઐતિહાસિક લાલ કિલ્લાના પ્રાચીર પરથી રાષ્ટ્રધ્વજ ફરકાવશે. ત્યારબાદ, તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે. સમારોહ દરમિયાન લાલ કિલ્લા પર પહેલીવાર ‘વંદે માતરમ’ પણ ગાવામાં આવશે. 2014 માં વડાપ્રધાન પદ સંભાળ્યા પછી, પીએમ મોદી દર વર્ષે 15 ઓગસ્ટે લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવતા હોય છે. વડાપ્રધાન દ્વારા કરવામાં આવતા ધ્વજવંદન સમારોહના રેકોર્ડમાં નરેન્દ્ર મોદી બીજા ક્રમાંકે છે. ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ પંડિત જવાહરલાલ નહેરુએ, 17 વખત લાલ કિલ્લા પરથી ત્રિરંગો ફરકાવ્યો હતો. સ્વતંત્રતા દિવસને લઈને તમામ અપડેટ્સ માટે જોડાયેલા રહો…
Published On - Aug 15,2026 7:07 AM

