Breaking News: દિલ્હીથી પુણે જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર, તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા

|

Aug 18, 2023 | 12:42 PM

એરપોર્ટ પર આઈસોલેશન બેમાં વિમાનની તપાસ ચાલી રહી છે. તમામ મુસાફરોને તેમના સામાન સાથે સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા છે. જીએમઆર કોલ સેન્ટર પર આજે ફ્લાઈટમાં બોમ્બ હોવાનો કોલ આવ્યો હતો.

Breaking News: દિલ્હીથી પુણે જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાના સમાચાર, તમામ મુસાફરોને ઉતારી દેવામાં આવ્યા
Bomb threat in Delhi Pune Vistara flight

Follow us on

શુક્રવારે સવારે દિલ્હી એરપોર્ટ પર એક ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળી છે. દિલ્હીથી પુણે જતી વિસ્તારાની ફ્લાઈટમાં આ ધમકી આપવામાં આવી હતી, ત્યારબાદ એરપોર્ટ પર જ ફ્લાઈટની તપાસ શરૂ થઈ ગઈ છે. પ્લેનમાં બોમ્બ હોવાની માહિતી જીએમઆર સેન્ટરને આપવામાં આવી હતી. બોમ્બની માહિતી મળતા જ તમામ મુસાફરોને પોતપોતાના સામાન સહિત વિમાનમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા. ફ્લાઇટની આઇસોલેશન વેમાં તપાસ ચાલી રહી છે.

આ પણ વાંચો: Chandrayaan-3 Latest Update: હવે છે ખરાખરીનો ખેલ…છેલ્લા ચરણમાં મિશન મૂન, ચંદ્ર પર કેવી રીતે કરશે લેન્ડિંગ ? જુઓ 3D Video

વિસ્તારાની ફ્લાઈટમાં બોમ્બ હોવાની આ પહેલી ઘટના નથી. જૂનમાં, એક વ્યક્તિ દિલ્હીથી દુબઈ જઈ રહ્યો હતો જ્યારે તેણે કથિત રીતે ગુસ્સામાં કહ્યું કે તેની બેગમાં બોમ્બ છે. પછી શું હતું, પેસેન્જરની બાજુમાં બેઠેલી એક મહિલા પેસેન્જરે ખોટું સાંભળ્યું અને ગભરાઈ ગઈ. તેણે એલાર્મ વગાડ્યું અને કેબિન ક્રૂને બોલાવ્યો. આ વ્યક્તિને દિલ્હી એરપોર્ટ પર જ કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

દિલ્હી-મુંબઈ વિસ્તારા ફ્લાઈટની આ ઘટના બાદ મુસાફરોને ફ્લાઈટમાં વિલંબનો સામનો કરવો પડ્યો હતો. આ વ્યક્તિને CISF દ્વારા કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. બાદમાં જાણવા મળ્યું કે તે વ્યક્તિ તેની માતા સાથે ફોન પર વાત કરી રહ્યો હતો. આ વ્યક્તિએ પોતાની થેલીમાં નાળિયેર રાખ્યું હતું અને જ્યારે સિક્યુરિટી ગાર્ડે તેની સામે વાંધો ઉઠાવ્યો તો તેણે તપાસ કરી. આ વ્યક્તિ તેની માતાને આ વિશે કહી રહ્યો હતો કે ગાર્ડે બોમ્બની ધમકી માનીને નાળિયેર લઈ જવાની મંજૂરી આપી ન હતી પરંતુ પાન મસાલાને મંજૂરી આપવામાં આવી છે.

દુબઈ જતા પેસેન્જરની બાજુમાં બેઠેલી મહિલાએ ‘બોમ્બ’ સાંભળ્યો અને એલાર્મ વગાડ્યું. કસ્ટડીમાં લીધા બાદ બંને મુસાફરોને ફ્લાઈટમાંથી ઉતારી લેવામાં આવ્યા હતા અને ફ્લાઈટની તપાસ કરવામાં આવી હતી પરંતુ કંઈ મળ્યું ન હતું.

દેશના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:40 am, Fri, 18 August 23

Next Article