બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર

જ્ઞાનવાપી કેસમાં બુધવારે મોટો નિર્ણય આવ્યો છે. હિંદુ પક્ષને તહેખાનામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. જ્ઞાનવાપી મસ્જિદમાં એક તહેખાના છે, જેમાં સોમનાથ વ્યાસ દેવતાની મૂર્તિની પૂજા કરતા હતા. ડિસેમ્બર 1993માં, રાજ્યની મુલાયમ સિંહ યાદવ સરકારના મૌખિક આદેશ પર, તહેખાનામાં પૂજા કરવા પર પ્રતિબંધ મૂકતા તહેખાનાને સીલ કરવામાં આવ્યું હતું.

બ્રેકિંગ ન્યુઝ: જ્ઞાનવાપી કેસમાં મોટો નિર્ણય, હિન્દુ પક્ષને તહેખાનામાં મળ્યો પૂજા કરવાનો અધિકાર
Follow Us:
| Updated on: Jan 31, 2024 | 3:44 PM

જ્ઞાનવાપી કેસમાં બુધવારે મોટો નિર્ણય આવ્યો છે. જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના તહેખાનામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. વારાણસી કોર્ટે આ નિર્ણય આપ્યો છે. વારાણસી જિલ્લા ન્યાયાધીશ ડૉ. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં મંગળવારે હિન્દુ અને મુસ્લિમ બંને પક્ષોની દલીલો પૂર્ણ થઈ હતી.

તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી

જ્ઞાનવાપી મસ્જિદમાં એક તહેખાના છે, જેમાં સોમનાથ વ્યાસ દેવતાની મૂર્તિની પૂજા કરતા હતા. જિલ્લા ન્યાયાધીશે પોતાના આદેશમાં કહ્યું છે કે વિશ્વનાથમંદિરના પૂજારીઓ દ્વારા પૂજા કરાવવામાં આવે અને બેરિકેડ્સને હટાવવાની વ્યવસ્થા કરવામાં આવે. અરજીમાં સોમનાથ વ્યાસ જીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે તહેખાનામાં પૂજા કરવાની પરવાનગી માંગી હતી.

મુલાયમ સિંહ યાદવની સરકારે તહેખામાં પૂજા બંધ કરાવી

17 જાન્યુઆરીએ, જિલ્લા વહીવટીતંત્રે કોર્ટના આદેશથી વ્યાસ જીના તહેખાનામાં કબજો મેળવ્યો હતો. ASI સર્વે ઓપરેશન દરમિયાન તહેખાનામાં સફાઈ કરવામાં આવી હતી. ડિસેમ્બર 1993માં, રાજ્યની મુલાયમ સિંહ યાદવ સરકારના મૌખિક આદેશ પર, તહેખાનામાં પૂજા પર પ્રતિબંધ મૂકતા તહેખાનાને સીલ કરવામાં આવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

જમીનની માલિકી પર અરજી કરવામાં આવી

બાદમાં તેને પણ બેરિકેડ કરવામાં આવી હતી. વ્યાસ જી એટલે કે સોમનાથ વ્યાસે તેમના બે સાથીદારો રામરંગ શર્મા અને હરિહર પાંડે સાથે મળીને જ્ઞાનવાપી સંકુલમાં વિસ્તાર નંબર 9130, 1931 અને 1932ની માલિકી અંગે અરજી કરી હતી. આ અરજીમાં અરજી નંબર 9130, 31,32ને આદિ વિશ્વેશ્વરની મિલકત જાહેર કરવામાં આવી હતી.

કોર્ટમાં મિલકત પરત કરવાની માંગ કરી હતી

તહેખાના 1993થી બંધ હતું અને તહેખાનાની ચાવી વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ પાસે કસ્ટોડિયન તરીકે રાખવામાં આવી હતી. વર્ષ 2016માં સોમનાથ વ્યાસના પૌત્ર શૈલેન્દ્ર પાઠકે વારાણસી કોર્ટમાં અરજી દાખલ કરીને તેમની મિલકત પરત કરવાની માંગ કરી હતી.

કોર્ટે પોતાના આદેશમાં શું કહ્યું

વારાણસીની જિલ્લા અદાલતના ન્યાયાધીશે કહ્યું છે કે વ્યાસ જીના ભોંયરાના કસ્ટોડિયન હવે વારાણસીના જિલ્લા મેજિસ્ટ્રેટ બની ગયા છે, તેથી વિશ્વનાથ મંદિરના પૂજારી તે તહેખાનાની સફાઈ કરાવશે. ત્યાં સ્થાપિત બેરિકેડિંગ દૂર કરવામાં આવશે અને ત્યારબાદ વારાણસી મંદિરના પૂજારીઓ નિયમીત તહેખાનામાં નિયમિતપણે પૂજા કરશે.

આ પણ વાંચો: રામ મંદિરની સુરક્ષા માટે ઇઝરાયલની એન્ટિ-ડ્રોન સિસ્ટમ એક્ટિવ થશે, ત્યારે દુશ્મનો પળવારમાં નાશ પામશે

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">