Maharashtra: કિરીટ સૌમેયા મામલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, NCP-Shivsena વચ્ચે ફુટની ચર્ચા

શિવસેના આ મામલાથી પોતાને દૂર રાખવાનો પ્રયાસ કરી રહી છે. શિવસેનાનું કહેવું છે કે કિરીટ સોમૈયાને મુંબઈમાં નજરકેદમાં રાખવાની કાર્યવાહી, કોલ્હાપુરમાં પ્રવેશ પ્રતિબંધ અને કરાડમાં અટકાયત મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ઓફિસમાંથી કરવામાં આવી નથી. મહારાષ્ટ્રના ગૃહમંત્રીની આ કાર્યવાહી છે.

Maharashtra: કિરીટ સૌમેયા મામલે મહારાષ્ટ્રનું રાજકારણ ગરમાયુ, NCP-Shivsena વચ્ચે ફુટની ચર્ચા
શરદ પવાર, કિરીટ સોમૈયા અને ઉદ્ધવ ઠાકરે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2021 | 7:15 PM

કિરીટ સોમૈયાના મામલે એનસીપી અને શિવસેના વચ્ચેનો મતભેદ સામે આવ્યો છે. શિવસેનાએ કોલ્હાપુરમાં કિરીટ સોમૈયાના પ્રવેશ પર પ્રતિબંધ, સાતારા જિલ્લાના કરાડમાં અટકાયત અને મુંબઈના મુલુંડમાં નજરકેદમાં રાખવાની સમગ્ર કાર્યવાહીથી પોતાને દૂર રાખી છે.

શિવસેનાએ તેની સમગ્ર જવાબદારી ગૃહ વિભાગ પર નાખી દીધી છે. શિવસેના સાંસદ સંજય રાઉતે સ્પષ્ટ કર્યું કે આ કાર્યવાહી મુખ્યમંત્રી કાર્યાલયમાંથી કરવામાં આવી નથી. એનસીપીના નેતા અને રાજ્યના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલે (Dilip Walse Patil) આ મુદ્દે સ્વીકાર્યું કે કિરીટ સોમૈયા સામેની કાર્યવાહી રાજ્યના ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

પરંતુ તેમણે કહ્યું કે તેમને ખબર ન હતી કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (CM Uddhav Thackeray)ને આ કાર્યવાહી વિશે જાણ કરવામાં આવી હતી કે નહીં? સામાન્ય રીતે દરેક કેસની માહિતી મુખ્યમંત્રીને આપવામાં આવે છે. આ અંગે વિપક્ષના નેતા દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને કદાચ આની જાણકારી નહીં હોય. પરંતુ જ્યારે કાર્યવાહી કરવામાં આવી રહી હતી, ત્યારે CM ઉદ્ધવ ઠાકરેએ કાર્યવાહી કેમ રોકી ન હતી?

એટલે કે શિવસેના આ સમગ્ર મામલાથી પોતાને અલગ રાખવાનો પ્રયાસ કરી રહી છે અને તમામ દોષ ગૃહ વિભાગ પર નાખવાનો પ્રયાસ કરી રહી છે. ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલ એનસીપીના નેતા છે. કિરીટ સોમૈયા ગ્રામીણ વિકાસ મંત્રી હસન મુશ્રીફના 127 કરોડના ભ્રષ્ટાચારના આરોપોના પુરાવા આપવા અને નવા પુરાવા એકત્ર કરવા કોલ્હાપુર જઈ રહ્યા હતા.

આજે પત્રકાર પરિષદ યોજીને કિરીટ સોમૈયાએ હસન મુશ્રીફના પરિવાર પર અપ્પાસાહેબ નલવાડે ગજહિંગ્લજ ખાતે સહકારી કારખાના સંબંધિત 100 કરોડના કૌભાંડનો નવો આક્ષેપ કર્યો છે, હરાજીમાં પારદર્શિતા જળવાઈ ન હતી અને હસન મુશ્રીફના પરિવારને ચાર્જ આપવામાં આવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું છે કે હસન મુશ્રીફના જમાઈ બ્રિક્સ ઈન્ડિયા કંપનીના બેનામી માલિક છે.

PM મોદી પર પણ દેશ વેચવાનો આરોપ લાગ્યો હતો: સંજય રાઉત

આ તમામ આરોપો પર વાત કરતા શિવસેના સાંસદ સંજય રાઉતે પહેલા કહ્યું કે આ બધું કેન્દ્રના ઈશારે થઈ રહ્યું છે, જેથી મહારાષ્ટ્ર સરકારને અસ્થિર કરી શકાય. તેમણે કહ્યું કે આરોપો લગાવવાથી શું થઈ શકે છે. આરોપ તો PM મોદી પર પણ લાગ્યો હતો કે તેમણે દેશ વેચી નાખ્યો. ત્યારબાદ તેમણે મુખ્ય પ્રધાન કાર્યાલયમાંથી કિરીટ સોમૈયા સામે કરવામાં આવેલી કાર્યવાહીનો ઈનકાર કર્યો હતો. તેમણે કહ્યું કે મુખ્યમંત્રી પર આરોપ લગાવવાનું કોઈ કારણ નથી, તે ગૃહ વિભાગની કાર્યવાહી છે.

આજે (20 સપ્ટેમ્બર, સોમવાર) મહાવિકાસ અઘાડી સરકાર સાથે સંકળાયેલા ત્રણ પક્ષોની સંકલન બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, રાજ્યના મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવા મુખ્યમંત્રીના વર્ષા બંગલા ખાતે સંકલન બેઠક બોલાવવામાં આવી છે. પરંતુ બેઠકને શિવસેના અને એનસીપી વચ્ચેના આ મતભેદ દૂર કરવાના એક પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.

કિરીટ સોમૈયાના આરોપો પાછળ ભાજપ પક્ષ, તેના માસ્ટર માઈન્ડ ચંદ્રકાંત પાટિલ- મુશ્રીફ

હસન મુશ્રીફે સોમૈયાના નવા આરોપને નકારતા કહ્યું કે તેમના પરિવારનો બ્રિક્સ ઈન્ડિયા કંપની સાથે કોઈ સંબંધ નથી. તેઓ આ આરોપ માટે 100 કરોડનો બદનક્ષીનો દાવો કરશે. હસન મુશ્રીફે કહ્યું કે આ સમગ્ર આરોપ પાછળ ભાજપ પક્ષનો હાથ છે. કિરીટ સોમૈયા માત્ર એક માધ્યમ છે. તેમણે કહ્યું કે આ સમગ્ર મામલાના માસ્ટર માઈન્ડ ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલ છે. તેમણે એમ પણ કહ્યું કે તેમને ભાજપમાં જોડાવાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ તેઓ ગયા નહીં એટલા માટે તેમને હેરાન કરવામાં આવી રહ્યા છે.

તેના જવાબમાં ચંદ્રકાંત પાટીલે કહ્યું કે ગિરની મજૂરનો દીકરો એટલો મોટો થઈ ગયો છે કે તેને માસ્ટરમાઈન્ડ કહેવામાં આવી રહ્યો છે, જોકે હું એટલો મોટો નથી. ચંદ્રકાંત પાટીલે કહ્યું કે કોઈ ઓફર કરવામાં આવી નથી. ઓફર લેટર અંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે ઓફર કોણે કરી? અમે ઓફર લેટર લઈને નથી ફરતા કે આવો, તમારા માટે એક ઓફર છે.

હવે આ પછી કિરોટ સોમૈયાના નિશાન પર મુખ્યમંત્રી અલીબાગના 19 બંગલા અને નાયબ મુખ્યમંત્રી અજીત પવારની જરડેશ્વરની ફેક્ટરી છે. કિરીટ સોમૈયાએ જણાવ્યું હતું કે તેઓ ટૂંક સમયમાં જ આ અંગેના મોટા ખુલાસા કરવા જઈ રહ્યા છે.

આ પણ વાંચો :  Maharashtra Corona Update: ઝડપથી ફેલાઈ રહેલા ડેલ્ટા-4 વેરિઅન્ટે વધાર્યું મહારાષ્ટ્રનું ટેન્શન, દેશમાં હાલ 25 મ્યુટેશન સક્રિય

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">