પુણેમાં આવ્યું મચ્છરોનું વાવાઝોડું, શહેરના ચોંકાવનારા વીડિયો આવ્યા સામે

શહેરમાં મચ્છરોનો હુમલો ! આવું અમે નહીં પણ પુણેના લોકો કહે છે. પુણેના કેટલાક વિસ્તારોમાં અચાનક મોટી સંખ્યામાં મચ્છરો દેખાવા લાગ્યા હતા. મચ્છરોનું આ ટોળું એટલું મોટું હતું કે તેણે આખા શહેરનું આકાશ આવરી લીધું હતું. મચ્છરો ચક્રવાતની જેમ ટોળામાં આકાશમાં ઊંચે ઊડી રહ્યા હતા.

પુણેમાં આવ્યું મચ્છરોનું વાવાઝોડું, શહેરના ચોંકાવનારા વીડિયો આવ્યા સામે
mosquito swarm
Follow Us:
| Updated on: Feb 12, 2024 | 9:18 AM

આજકાલ પુણે, મહારાષ્ટ્રના લોકો મચ્છરોના ટોળાથી ડરી રહ્યા છે. આ ટોળાં પુણેની મુથા નદીમાં અને તેની આસપાસ ફરે છે. લોકોમાં ભય એટલો છે કે આલીશાન બહુમાળી ઈમારતોમાં રહેતા લોકો તેમના ઘરોમાં જ પુરાઈને રહી ગયા છે.

ઘરના દરવાજા અને બારીઓ બંધ કરવાની ફરજ પડી હતી

તેઓ પોતાની બાલ્કનીના દરવાજા અને બારીઓ પણ ખોલી શકતા નથી. તેઓએ બાળકોને બગીચા અને પાર્કમાં મોકલવા અને પોતે પણ જતા ડરે છે. ઈન્ટરનેટ મીડિયા પર વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં શહેરના મુંડવા, કેશવનગર અને ખરાડી વિસ્તારમાં આકાશમાં મચ્છરોના ટોળા ઉડતા જોવા મળે છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

નદીઓ પર મચ્છરોના ટોળાં આવે છે

આ વીડિયોમાં નદીના કિનારે મચ્છરોનું આખું ટોળું એકઠું થઈને ઊંચે ઊડતું જોવા મળે છે. જો કે તે કેટલાક વિસ્તારોમાં સામાન્ય હોઈ શકે છે, તે શહેરી વિસ્તારોમાં ભાગ્યે જ જોવા મળે છે. વીડિયો વાયરલ થતાની સાથે જ આ વિસ્તારની સફાઈ કરવામાં આવી હતી. આવી જ ઘટનાઓ રશિયા અને નિકારાગુઆમાં પણ જોવા મળી હતી. ગયા વર્ષે જૂન મહિનામાં લોકોએ નિકારાગુઆના પ્રખ્યાત તળાવ Cocibolcaમાં આવું જ ચક્રવાત જોયું હતું.

મુલા-મુથા નદીમાં પાણીનું લેવલ વધ્યું

જો કે હાલ ખરાડીમાં મૂલા-મુથા નદીમાં પાણીનું લેવલ વધી ગયું છે. પુણે મ્યુનિસિપલ કોર્પોરેશને બે દિવસ પહેલા વધારાનું પાણી હટાવવાની કામગીરી શરૂ કરી દીધી હોવા છતાં હજુ પણ સ્થિતિ નિયંત્રણમાં નથી. નદી કિનારાની સ્થિતિ ખાસ કરીને ગંભીર છે. મચ્છરોના ટોળાં ત્યાં સતત અવર-જવર કરતા હોય છે. ઉંચી બિલ્ડિંગ, આઇટી પાર્ક સંકુલ, શાળાઓ, રમત-ગમત સ્ટેડિયમ, વૃદ્ધાશ્રમો, સ્મશાનગૃહો અને સ્થાનિક ગામડાંઓ સહિતની વિવિધ સંસ્થાઓ આ મચ્છરોથી પ્રભાવિત થઈ રહી છે.

(Credit Source : @tv9gujarati)

લોકોએ ચિંતા વ્યક્ત કરી

લોકોનું કહેવું છે કે, મચ્છરોના ઉપદ્રવને કારણે તેઓને ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. ઘણા લોકોએ ઈન્ટરનેટ મીડિયા પર પોસ્ટ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અધિકારીઓને આ અંગે પગલાં લેવા અને અસરગ્રસ્ત વિસ્તારને સાફ કરવા વિનંતી કરી. ઘણા લોકોએ કહ્યું કે, મચ્છરોનું પ્રજનન સ્વાસ્થ્ય માટે જોખમી હોઈ શકે છે. મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા વગેરે જેવી અનેક પ્રકારની બીમારીઓ ફેલાઈ શકે છે. તેથી આના પર ચોક્કસપણે નિયંત્રણ લાવવું જોઈએ.

સોશિયલ મીડિયામાં સવાલ-જવાબનો ટ્રેન્ડ

ખરાડીના રહેવાસીએ સોશિયલ મીડિયા પર લખ્યું કે, “અમારું ઘર એપાર્ટમેન્ટ 27માં માળે છે. મચ્છરોના કારણે અમે મહિનાઓ સુધી બાલ્કનીનો દરવાજો પણ ખોલ્યો ન હતો. નદીના પટમાં ચાલી રહેલા કામના કારણે પાણી સ્થિર છે. આ પરિણામે પાણીનું લેવલ વધવાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. અન્ય એક યુઝરે જેકવેલ બ્રિજ નજીક લીલીછમ નદી વિસ્તાર તરફ ધ્યાન દોર્યું અને લખ્યું કે, નદીમાં વધતું પાણી મચ્છરોના ઉપદ્રવમાં ફાળો આપી રહ્યું છે. પીએમસીએ શક્ય તેટલી વહેલી તકે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો જોઈએ.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">