પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ માટે ઘરે બનાવો સાબુદાણાના સ્વાદિષ્ટ વડા, જાણી લો રેસીપી

સાબુદાણા વડા સ્વાદ અને પોષણથી ભરપૂર એક ઉત્તમ ફળની વાનગી છે. તે શ્રાવણ સોમવારના ઉપવાસ દરમિયાન ખાઈ શકાય છે. તેને બનાવવાની રીતે પણ એક દમ સરળ છે. 

પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ માટે ઘરે બનાવો સાબુદાણાના સ્વાદિષ્ટ વડા, જાણી લો રેસીપી
Follow Us:
| Updated on: Jul 23, 2024 | 7:52 PM

શ્રાવણનો પહેલો સોમવાર શિવભક્તો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. મોટા ભાગના ભક્તો શ્રાવણ માસમાં ઉપવાસ કરે છે. જો તમે શ્રાવણ સોમવારના રોજ ઉપવાસ કરી રહ્યા છો, તો તમે તમારા ફળ ભોજનના ભાગ રૂપે સાબુદાણા વડા બનાવી શકો છો. સ્વાદિષ્ટ સાબુદાણા વડા ખાધા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.

સાબુદાણા વડા બનાવવા માટે, તમે સરળ રેસીપી અનુસરી શકો છો. દરેક વ્યક્તિને આ વાનગીનો સ્વાદ ગમે છે. આવો જાણીએ સાબુદાણાના વડા બનાવવાની રીત.

સાબુદાણાના વડા બનાવવા માટેની સામગ્રી

  • સાબુદાણા – 1 કપ
  • બાફેલા બટાકા – 4-5
  • શેકેલી અને વાટેલી મગફળી – 1/2 કપ
  • સમારેલા લીલા મરચા – 3-4
  • સમારેલા લીલા ધાણા – 3-4 ચમચી
  • આદુની પેસ્ટ – 1 ચમચી
  • કાળા મરીનો ભૂકો – 1/2 ચમચી
  • તેલ – તળવા માટે
  • મીઠું – સ્વાદ મુજબ

સાબુદાણાના વડા બનાવવાની રીત

સ્વાદિષ્ટ સાબુદાણા વડા બનાવવું ખૂબ જ સરળ છે અને આ રેસીપી મિનિટોમાં બનાવી શકાય છે. સાબુદાણાના વડા બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને સાફ કરીને પાણીમાં ધોઈ લો. આ પછી તેને 2 કલાક પલાળી રાખો. સાબુદાણા ભીના થયા પછી ફૂલી જશે. આ પછી જો સાબુદાણામાં વધારે પાણી હોય તો તેને કાઢી લો.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

બટાકામાં સાબુદાણા નાખીને મિક્સ કરો

હવે બટાકાને બાફી લો અને પછી તેને છોલીને એક મોટા બાઉલમાં મેશ કરો. બટાકા મેશ થઈ જાય પછી તેમાં સાબુદાણા નાખીને મિક્સ કરો. શેકેલી અને વાટેલી મગફળી, બારીક સમારેલા લીલા મરચાં, લીલા ધાણા, કાળા મરીનો પાવડર, આદુની પેસ્ટ અને સ્વાદાનુસાર મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી મિશ્રણ તૈયાર કરો.

કડાઈમાં તેલ મૂકી ગરમ કરો

હવે તમારા હાથમાં થોડું મિશ્રણ લો અને તેને હળવા હાથે દબાવીને વડા બનાવી લો અને તેને પ્લેટમાં મૂકો. આ જ રીતે આખા મિશ્રણનો ઉપયોગ કરીને સાબુદાણાના વડા બનાવો. હવે એક કડાઈમાં તેલ મૂકી ગરમ કરો. તેલ ઉકળવા લાગે એટલે તેમાં તૈયાર કરેલા સાબુદાણાના વડા નાખીને પકાવો. આ સમય દરમિયાન ગેસની આંચને મધ્યમ રાખો.

લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો

તપેલીની ક્ષમતા મુજબ સાબુદાણા વડા ઉમેરો. તેમને બંને બાજુથી સોનેરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળો. આ પછી સાબુદાણાના વડાને પ્લેટમાં કાઢી લો. બધા સાબુદાણાના વડાને આ જ રીતે તળી લો. તૈયાર છે સ્વાદિષ્ટ સાબુદાણા વડાનો નાસ્તો. તેને લીલી ચટણી અથવા દહીં સાથે સર્વ કરો.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">