JUNAGADH : કોયલી ગામની પ્રગતિશીલ મહિલાએ ગાયના છાણમાંથી બનાવ્યા ગણપતિ

ભાવનાબેન ત્રાંબડીયા વર્ષોથી ગૌશાળા ચલાવે છે. ભાવનાબેન પોતે આત્મનિર્ભર હોવાની સાથે ગામના અન્ય બેરોજગાર મહિલાઓને પણ રોજગારી આપે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 05, 2021 | 9:27 AM

JUNAGADH : : જૂનાગઢ જિલ્લાના વંથલીના કોયલી ગામે પ્રગતિશીલ મહિલા ભાવનાબેન ત્રાંબડીયા દ્વારા ગાયના છાણમાંથી ગણેશ પ્રતિમાં બનાવવામાં આવી રહી છે. POPની પ્રતિમા પર્યાવરણને નુકશાન પહોંચાડે છે. પરંતુ ઈકોફ્રેન્ડલી એવી ગાયના છાણમાંથી બનેલી ગણેશ પ્રતિમાને ઘરમાં જ વિસર્જન કરી ખાતર તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ભાવનાબેન દ્વારા બનાવાયેલી ગણેશ પ્રતિમા 300 રૂપીયા થી 500 રૂપીયા સુધીમાં વેચાઈ રહી છે.

કોયલી ગામના પ્રગતિશીલ મહિલા ભાવનાબેન ત્રાંબડીયા કહે છે કે તેમણે અત્યાર સુધીમાં ગાયના છાણમાંથી 80 જેટલા ગણપતિ બનાવી લીધા છે. 350 થી 500 રૂપિયા સુધીના ગણપતિનું વેચાણ થાય છે. ભાવનાબેન કહે છે આ ગણપતિના વિસર્જન માટે નદીમાં પધરાવા જાવાની જરૂર નથી. આ ગણેશ પ્રતિમાનું ઘરે જ વિસર્જન કરી તે પાણીને છોડમાં નાખી દેવાથી તેનો ખાતર તરીકે ઉપયોગ થશે.

આ પહેલા કોયલી ગામની મહિલાઓએ ભાવનાબેન ત્રાંબડીયાના માર્ગદર્શનમાં રક્ષાબંધનના પર્વ પર ગાયના છાણમાંથી રાખડીઓ બનાવી હતી. હવે વૈદિક રાખડીઓ અને ગાયના છાણમાંથી બનતી રાખડીઓ અને મૂર્તિઓ સહીતની વસ્તુઓની વિશેષ ચર્ચા થઇ રહી છે. રક્ષાબંધન પર્વ પર જૂનાગઢની કોયલી ગામની મહિલાઓ ગાયના છાણમાંથી રાખડીઓ બનાવી આત્મનિર્ભર બની. કોયલી ગામની મહિલાઓ ગાયના છાણમાંથી કુલ 11 અલગ-અલગ ડિઝાઇનવાળી રાખડીઓ બનાવી હતી. ભાવનાબેન ત્રાંબડીયા વર્ષોથી ગૌશાળા ચલાવે છે. ભાવનાબેન પોતે આત્મનિર્ભર હોવાની સાથે ગામના અન્ય બેરોજગાર મહિલાઓને પણ રોજગારી આપે છે.

આ પણ વાંચો : TEACHER’S DAY : બોટાદના આ શિક્ષક પાસે 23 ડીગ્રીઓ, અનેક એવોર્ડ મળી ચુક્યા છે

Follow Us:
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસના કાર્યકર્તાઓએ કર્યા દેખાવો
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
આ ચાર રાશિના જાતકોને આવકમાં વધારો થશે
g clip-path="url(#clip0_868_265)">