World Population Day 2021: જાણો ક્યારે અને કેમ મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ ? 2027 સુધીમાં ચીનને પછાડશે ભારત

દુનિયાભરમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે (World Population Day) અને વધતી વસ્તીને કઈ રીતે રોકી શકાય છે.

World Population Day 2021: જાણો ક્યારે અને કેમ મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ ? 2027 સુધીમાં ચીનને પછાડશે ભારત
today World Population Day 2021
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2021 | 11:51 AM

World Population Day 2021:  11મી જુલાઈના દિવસને વિશ્વ વસ્તી (Population)દિવસ તરીકે મનાવવામાં આવે છે. હાલના સમયમાં વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા છે અને વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) પર સમગ્ર દુનિયામાં વસ્તી નિયંત્રણ (Population Control)માં કરવા માટે લોકોને અવનવા નિયમો સમજાવવામાં આવે છે. આ સિવાય પરિવાર નિયોજનના મુદ્દા પર લોકો સાથે વાતચીત પણ કરવામાં આવે છે.

સતત બેકાબુ થઈ રહેલી વસ્તી પણ દેશ માટે મુશ્કેલીનું મુખ્ય કારણ બની શકે છે. નિરક્ષરતા,બેરોજગારી (Unemployment),ભુખમરો, ગરીબી અનિયંત્રિત વસ્તી (Population)નું પરિણામ છે. વધી રહેલી વસ્તી (Population)ને રોકવા માટે પરિવાર નિયોજન જેવા ઉપાયો છે પરંતુ લોકોમાં જાગૃતિના અભાવને કારણે આ સમસ્યામાંથી છુટકારો મળી રહ્યો નથી.

વસ્તી(Population)માં વધારો થઈ રહ્યો  છે. સતત વધી રહેલી વસ્તીને રોકવા માટે દુનિયાભરમાં 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) ઉજવવામાં આવે છે. ચાલો જાણીએ કેમ મનાવવામાં આવે છે વર્લ્ડ પોપ્યુલેશન ડે (World Population Day) અને વધતી વસ્તીને કઈ રીતે રોકી શકાય છે.

પ્રેમાનંદ મહારાજ વૃંદાવન કેમ છોડતા નથી? જણાવ્યું મોટું રહસ્ય
ગરમીમાં હાઈ બીપીના દર્દીઓએ ભૂલથી પણ ના ખાવી જોઈએ આ વસ્તુઓ, જાણો અહીં
કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?

સંયુક્ત રાષ્ટ્રએ 11 જુલાઈ 1989ના રોજ એક સભામાં ‘ World Population Day’ મનાવવાનો નિર્ણય લીધો હતો. 11 જુલાઈ 1987 સુધીમાં  વિશ્વની વસ્તીનો આંકડો 5 અબજને પાર થયો હતો. ત્યારે દુનિયાભરના લોકોને વધી રહેલી વસ્તી પ્રત્યે જાગ્રૃત કરવા માટે વૈશ્વિક સ્તરે ‘ World Population Day’ ની ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. 2011ની છેલ્લી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતની વસ્તી 6.03 કરોડ નોંધવામાં આવી હતી.

કઈ રીતે મનાવવામાં આવે છે વિશ્વ વસ્તી દિવસ

વિશ્વ વસ્તી દિવસ (World Population Day ) પર સમગ્ર દુનિયામાં વસ્તી નિંયત્રણમાં કરવા માટે લોકોને અવનવા નિયમોથી પરિચિત કર્યા છે. આજના દિવસે અલગ-અલગ સ્થાનો પર વસ્તી નિયંત્રણ કાર્યક્રમો દ્વારા લોકોને જાગ્રૃત કરવાની કોશિષ કરવામાં આવે છે. લિંગ સમાનતા, માતા અને બાળકનું સ્વાસ્થ્ય, લિંગ શિક્ષણ (Education), ગર્ભનિરોધક દવાઓનો ઉપયોગ સેક્સ જેવા ગંભીર વિષયો પર લોકો સાથે ચર્ચા કરવામાં આવે છે.

વિશ્વ વસ્તી દિવસ (World Population Day )પર જાગ્રૃતા ફેલાવવા માટે અનેક પ્રોગામ તેમજ રોડ શો, શેરી નાટક, સામાજીક કાર્યક્રમ (Social program)પણ સામેલ કરવામાં આવે છે. વસ્તી (Population)ને રોકવા માટે અને લોકોને આ અંગે જાગૃત કરવા માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે તમામ પ્રયાસો કરવામાં આવે છે. કેટલાક સ્થળો પર સંમેલનનું આયોજન કરવામાં આવે છે તો કેટલાક સ્થળો પર આ વિશે ચર્ચા કરવામાં આવે છે, હાલમાં કોરોના કાળમાં આ સંમેલન પર પ્રતિબંધ મુકાયો છે. વિશ્વમાં વસ્તીવધારાની સમસ્યા પ્રત્યે લોકજાગૃતી ખુબ જરૂરી છે.

વર્લ્ડ પોપ્યુલેશન (World Population)ના આર્થિક અને સામાજીક વિભાગ પોપ્યુલેશન ડિવિઝીને ધ વર્લ્ડ પોપ્યુલેશન પ્રોસ્પેક્ટ્સ (The World Population Prospects)2019 હાઈલાઈટ્સના 26માં અંકમાં વસ્તીના આંકડાઓમાં ભારત માટે ચિંતા વ્યક્ત કરી છે. આગામી 7 વર્ષ સુધીમાં ભારત (India ) ચીન (China)ને પછાડી દુનિયાના સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ બનશે.

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">