બાંગ્લાદેશની સ્કૂલોમાં ભારત વિશે શું ભણાવાય છે ? હકીકત આવી બહાર
બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોને કારણે દેશભરમાં વ્યાપક હિંસા થઈ જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. તો હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તીઓ પર થઈ રહેલા હુમલાઓના કારણે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, બાંગ્લાદેશના પુસ્તકોમાં ભારત વિશે શું ભણાવવામાં આવી રહ્યું છે.

બાંગ્લાદેશ હાલમાં રાજકીય અને સામાજિક સંકટનો સામનો કરી રહ્યું છે. લાંબા સમયથી સત્તામાં રહેલા વડાપ્રધાન શેખ હસીનાને મોટાપાયે વિધાર્થી આંદોલનો અને હિંસક વિરોધ પ્રદર્શનો પછી રાજીનામું આપવું પડ્યું અને દેશ પણ છોડવો પડ્યો. આ રાજીનામા બાદ નોબેલ વિજેતા ડૉ. મોહમ્મદ યુનુસને તાત્કાલિક સરકારના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. બાંગ્લાદેશમાં છેલ્લા કેટલાક મહિનાઓથી મોટાપાયે વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. આ પ્રદર્શનોને કારણે દેશભરમાં વ્યાપક હિંસા થઈ જેમાં સેંકડો લોકો માર્યા ગયા અને હજારો ઘાયલ થયા છે. આ સમયગાળા દરમિયાન હિંદુ, બૌદ્ધ અને ખ્રિસ્તી સમુદાયો પર હુમલાઓ પણ થયા છે, જેના કારણે લઘુમતી સમુદાયોમાં ભયનું વાતાવરણ છે. ડો. યુનુસને આ વચગાળાની સરકાર દ્વારા દેશમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની અને કાયદાકીય સુધારાઓ લાગુ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ તે ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે દેશમાં પોલીસ, ન્યાયપાલિકા અને...