ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1000 મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની કરી સહાય

ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં 1,000 મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે. આ દેશમાં પાકને મોટું નુકસાન થયું છે અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર થઈ છે.

ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં દુષ્કાળની સ્થિતિ, ભારતે 1000 મેટ્રિકથી વધારે ચોખા- મકાઈની કરી સહાય
India
Follow Us:
| Updated on: Sep 08, 2024 | 9:33 AM

ભારત સરકારે દુષ્કાળગ્રસ્ત મલાવીમાં 1,000 મેટ્રિક ટન ચોખા મોકલાવીને સહાય આપી છે. દક્ષિણ-પૂર્વ આફ્રિકન કેટલાક દેશો દુષ્કાળથી પ્રભાવિત થયા છે. આ દેશમાં પાકને મોટું નુકસાન થયું છે અને ખાદ્ય ઉત્પાદનને પણ અસર થઈ છે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે અલ નીનોની અસરથી સર્જાયેલા ગંભીર દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે 1000 મેટ્રિક ટન ચોખાની મલાવી મોકલવામાં આવી છે. દેશના 28 માંથી 23 જિલ્લાઓમાં દુષ્કાળ પડ્યા બાદ મલાવી સરકારે માર્ચમાં આપત્તિની સ્થિતિ જાહેર કરી હતી.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

ઝિમ્બાબ્વે, ઝામ્બિયા અને મલાવીમાં મદદ મોકલી

રણધીર જયસ્વાલના જણાવ્યા અનુસાર, ભારતે મલાવી ઉપરાંત ઝિમ્બાબ્વે અને ઝામ્બિયાને ચોખાની સહાય મોકલી છે. ટ્વિટર પરની એક પોસ્ટમાં જયસ્વાલે કહ્યું કે ભારતે ઝિમ્બાબ્વેને માનવતાના પગલે સહાય મોકલી છે. ન્હાવા શેવા બંદરેથી 1000 મેટ્રિક ટન ચોખાનો માલ ઝિમ્બાબ્વે માટે મોકલવામાં આવ્યો હતો. આનાથી ઝિમ્બાબ્વેના લોકોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળશે.

1,300 મેટ્રિક ટન મકાઈ ઝામ્બિયા મોકલી

ભારતે ઝામ્બિયાના લોકોની ખાદ્ય અને પોષક જરૂરિયાતોને પહોંચી વળવા માટે 1,300 મેટ્રિક ટન મકાઈ પણ મોકલી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તાના જણાવ્યા અનુસાર ભારતે અલ નીનોની ઘટનાને કારણે સર્જાયેલા દુષ્કાળના પરિણામોનો સામનો કરવા માટે મલાવીના લોકોને સહાય મોકલી છે.

સમગ્ર વિશ્વના હવામાન પર અલ નીનોની અસર

અલ નીનો અને લા નીના એ પેસિફિક મહાસાગરમાં આબોહવાની પેટર્ન છે જે સમગ્ર વિશ્વમાં હવામાનને અસર કરી શકે છે. અગાઉ 26 એપ્રિલના રોજ, તાન્ઝાનિયામાં ભારે વરસાદના કારણે પૂર અને ભૂસ્ખલનના પરિણામે ઓછામાં ઓછા 155 લોકોના મૃત્યુ થયા હતા.

વરસાદને કારણે થયુ ભારે નુકસાન

તાન્ઝાનિયાના વડા પ્રધાન કાસિમ માજાલિવાએ જણાવ્યું હતું કે વર્તમાન વરસાદની મોસમ અલ નીનો આબોહવા પેટર્નને કારણે વધુ ખરાબ થઈ છે, જેના પરિણામે પૂર અને રસ્તાઓ, પુલો અને રેલવેનો વિનાશ થયો છે. માજાલિવાએ જણાવ્યું હતું કે અલ નીના પગેલ ભારે વરસાદ, ભારે પવન, પૂર અને ભૂસ્ખલન સાથે દેશના વિવિધ ભાગોમાં નોંધપાત્ર નુકસાન થયું છે.

રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
રાજુલાની જનરલ હોસ્પિટલમા છેલ્લા ઘણા સમયથી ડૉક્ટર્સની ઘટ, દર્દીઓ પરેશાન
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર પડેલ તિરાડો પૂરવાની કામગીરી હાથ ધરાઈ
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
અંબાજીમાં જામ્યો જપ, તપ અને ઉત્સવનો માહોલ, ભાવિકોનું ઘોડાપૂર
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
દાહોદ : હાઈટેક ટેક્નોલોજીથી પોલીસે ગાઢ જંગલમાં છુપાયેલા ચોરને ઝડપ્યો
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
નરેન્દ્ર મોદીના સુશાસનમાં ગુજરાતની વિકાસ વર્ષા ક્યારેય પણ અટકવાની નથી
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
દોઢ વર્ષની બાળકી ગળી ગઇ મેગ્નેટિક માળા, જુઓ Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
હવે અમદાવાદથી ગાંધીનગર મેટ્રોમાં જવાશે માત્ર ₹35 માં- Video
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
મુંદ્રા પોર્ટ પરથી 40 કરોડ રુપિયાથી વધુનો પ્રતિબંધિત દવાનો જથ્થો જપ્ત
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
PM મોદીએ કહ્યું 17 શહેરોને સોલાર સિટી બનાવીશું-Video
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવી પહોંચ્યા PM મોદી
g clip-path="url(#clip0_868_265)">