AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Economic Crisis : આર્થિક કટોકટીથી બચવા દેશ છોડીને ભાગતા 28 પાકિસ્તાનીઓના બોટ અકસ્માતમાં મોત, 12 હજુ પણ લાપતા

આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જહાજ દરિયાકાંઠાના શહેર ક્રોટોન નજીક 100થી વધુ લોકો સાથે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે બીચ પરથી 43 મૃતદેહો મળી આવ્યા છે.

Pakistan Economic Crisis : આર્થિક કટોકટીથી બચવા દેશ છોડીને ભાગતા 28 પાકિસ્તાનીઓના બોટ અકસ્માતમાં મોત, 12 હજુ પણ લાપતા
Image Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 27, 2023 | 11:29 AM
Share

રવિવારે ઇટાલીના દરિયાકાંઠે એક પથ્થર સાથે અથડાયા બાદ પ્રવાસીઓથી ભરેલી બોટ ડૂબી ગઈ હતી. આ બોટ ડૂબી જવાની દુર્ઘટનામાં 59થી વધુ લોકોના મોત થયા છે. અહેવાલો અનુસાર, મૃત્યુ પામેલા લોકોમાં 28થી વધુ પાકિસ્તાની નાગરિકો છે. હજુ પણ 12 પાકિસ્તાની નાગરિકો ગુમ છે. આ અકસ્માતમાં 80 લોકોને બચાવી લેવાયા છે.

આ પણ વાચો: પાકિસ્તાનમાં હાહાકાર ! દવાઓ માટે તડપતા દર્દીઓ, ડોક્ટરોને આપવા માટે પણ પૈસા નથી

ઈટાલીના કેલેબ્રિયા વિસ્તારમાં માણસોથી ભરેલું જહાજ પલટી જવાથી 59થી વધુ મુસાફરોના મોત થયા છે, જ્યારે 80ને બચાવી લેવામાં આવ્યા હતા. મોતની ઘટનામાં 28 પાકિસ્તાનીઓનો પણ સમાવેશ થાય છે. એક સમાચાર એજન્સી મુજબ, ખરાબ હવામાન દરમિયાન પથ્થર સાથે અથડાયા બાદ જહાજ ડૂબી ગયું હતું.

ખાનગી એજન્સી અનુસાર, આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે જહાજ દરિયાકાંઠાના શહેર ક્રોટોન નજીક 100થી વધુ લોકો સાથે ઉતરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. કોસ્ટ ગાર્ડે એક નિવેદનમાં જણાવ્યું કે બીચ પરથી 43 મૃતદેહો મળી આવ્યા છે.

સ્થાનિક સમાચાર એજન્સીઓએ જણાવ્યું કે, ક્રેશ થયેલા જહાજમાં ઈરાન, ઈરાક, સીરિયા, અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને સોમાલિયાના મુસાફરો હતા. ઈટલી સરકારે જમીન અને સમુદ્ર પર મોટા પાયે શોધ અને બચાવ કામગીરી શરૂ કરી છે. રિપોર્ટ અનુસાર, દર વર્ષે માઈગ્રન્ટ્સ સંઘર્ષ અને ગરીબીથી બચવા માટે આફ્રિકાથી ઈટાલીની સરહદ પાર કરે છે.

28 પાકિસ્તાનીઓના મોત

પ્રવાસીઓથી ભરેલી આ બોટમાં મૃત્યુ પામનારાઓમાં 28 પાકિસ્તાની છે. ઈટાલીના ક્રોટોન શહેરના મેયરે જણાવ્યું કે કુલ 59 લોકોના મોત થયા છે. ઈટાલીની રાજધાની રોમમાં પાકિસ્તાની દૂતાવાસના જણાવ્યા અનુસાર આ બોટમાં 40 પાકિસ્તાની સવાર હતા. દૂતાવાસ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે 28 પાકિસ્તાનીઓના મૃતદેહને દરિયામાંથી બહાર કાઢવામાં આવ્યા છે. જો કે હજુ 12 નાગરિકો ગુમ છે. પાકિસ્તાની અધિકારીઓએ વધુમાં કહ્યું કે તેઓ આ મામલે ઈટાલિયન અધિકારીઓના સંપર્કમાં છે.

આર્થિક સંકટથી બચવા માટે પાકિસ્તાન છોડ્યું

હાલમાં પાકિસ્તાનમાં મોટું આર્થિક સંકટ છે. લોકો પાસે કોઈ નવી તકો નથી જેના કારણે તેઓ બીજા દેશોમાં ભાગી રહ્યા છે. ખાડી દેશોમાં પાકિસ્તાની નાગરિકોની મોટી વસ્તી છે. પરંતુ ઘણા લોકો યુરોપમાં આશ્રય મેળવવા માંગે છે. પાકિસ્તાની પાસપોર્ટ પર વિઝા મેળવવા મુશ્કેલ છે, તેથી લોકો ગેરકાયદેસર માર્ગે દરિયાઈ માર્ગે મુસાફરી કરે છે. યુરોપમાં ગયા પછી આ લોકો થોડાં વર્ષ જીવે છે અને નાગરિકતા લે છે. બાદમાં અહીંથી તે અમેરિકા અને કેનેડા જાય છે.

Follow Us
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
અમરેલીમાં ભૂકંપના આંચકા પાછળ વરસાદ જવાબદાર?
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
ગુજરાતમાં ગરમીનો પારો ઉંચકાશે, 40 ડિગ્રીને પાર પહોંચશે તાપમાન
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
પાટણના નવા નજુપુરામાં ચૂંટણી બહિષ્કારની ગુંજ
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
અંબાજીમાં 'નક્કી લેક' જેવો નજારો: ₹53 કરોડનો માસ્ટરપ્લાન
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
હાર ભાળી ગયેલી ભાજપ વોરંટના જોરે ચૂંટણી જીતવા માંગે છે: ગોપાલ ઇટાલિયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
સુરેન્દ્રનગરમાં ACBનો સપાટો: નાયબ મામલતદાર લાંચ લેતા ઝડપાયા
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
કાર્યકર્તાની હત્યાના આરોપીઓને પક્ષમાં સમાવીને ભાજપે કયો સંદેશ આપ્યો?
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
ક્રિષ્ણા ડેરી-ગોતા,રાધે ડેરી-નરોડામાંથી મળ્યુ 244 કિલો શંકાસ્પદ પનીર
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
અમદાવાદના જગન્નાથ મંદિરનુ જમીન કૌંભાડ! દાનમાં મળેલ જમીન મુસ્લિમને વેચી
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમે પ્રથમવાર ગુજરાતની મુલાકાત લીધી, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">