AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આરોગ્યની કાળજી : ગરમીમાં આ મસાલાનું સેવન શરીરને પહોંચાડશે સૌથી વધારે નુક્શાન

આદુની (Garlic ) ચા કોને ન ગમે ? પરંતુ ઉનાળામાં તેનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનો સ્વાદ ખૂબ જ ગરમ હોય છે. તેનું સેવન કરવાથી વધુ પડતો પરસેવો થાય છે. જે લોકોને ડાયાબિટીસ અને રક્તસ્રાવની સમસ્યા હોય તેઓએ તેનું સેવન ટાળવું જોઈએ.

આરોગ્યની કાળજી : ગરમીમાં આ મસાલાનું સેવન શરીરને પહોંચાડશે સૌથી વધારે નુક્શાન
Indian spices (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 15, 2022 | 1:49 PM
Share

ભારતીય કઢી કે દાળમાં વિવિધ મસાલાનો (Spices ) ઉપયોગ થાય છે. તેઓ ખોરાકનો સ્વાદ(Taste ) વધારે છે. આ મસાલા સ્વાસ્થ્ય (Health ) માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તેઓ પોષક તત્વોથી ભરપૂર હોય છે. પરંતુ આમાંના ઘણા મસાલા એવા હોય છે કે તેનો ઉનાળામાં ઉપયોગ ન કરવો જોઈએ. આ મસાલા ખૂબ જ ગરમ હોય છે. તેઓ શરીરમાં ગરમી પેદા કરી શકે છે. ઉનાળામાં તેનો વધુ પડતો ઉપયોગ તમારા શરીરને નુકસાન પહોંચાડી શકે છે. તેઓનું સેવન મધ્યમ માત્રામાં કરવું જોઈએ અથવા બિલકુલ નહીં. આવો જાણીએ કયા છે આ મસાલા.

ઉનાળાની ઋતુમાં આ મસાલા ખાવાનું ટાળો

લાલ મરચું

ઉનાળાની ઋતુમાં લાલ મરચાંનું વધુ પડતું સેવન સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. આ ખૂબ જ ગરમ મસાલો છે. તેનાથી શરીરનું તાપમાન વધે છે. તેનાથી પેટ અને છાતીમાં બળતરા થઈ શકે છે. તેથી, તેને મધ્યમ માત્રામાં ખાવાની સલાહ આપવામાં આવે છે.

આદુ

આદુની ચા કોને ન ગમે ? પરંતુ ઉનાળામાં તેનું વધુ પડતું સેવન નુકસાનકારક સાબિત થઈ શકે છે. તેનો સ્વાદ ખૂબ જ ગરમ હોય છે. તેનું સેવન કરવાથી વધુ પડતો પરસેવો થાય છે. જે લોકોને ડાયાબિટીસ અને રક્તસ્રાવની સમસ્યા હોય તેઓએ તેનું સેવન ટાળવું જોઈએ. ઉનાળામાં તેનું વધુ પડતું સેવન કરવાથી હાર્ટબર્ન, ડાયેરિયા, ઓડકાર અને પેટની અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.

લસણ

ઉનાળામાં લસણનું સેવન ઓછું કરવું જોઈએ. તે શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. તેનું વધુ સેવન કરવાથી શ્વાસની દુર્ગંધ, એસિડ રિફ્લક્સ અને રક્તસ્ત્રાવનું જોખમ પણ વધી શકે છે. શિયાળામાં લસણના ઘણા ફાયદા છે પરંતુ ઉનાળામાં તેને ટાળવું જોઈએ.

કાળા મરી

કાળા મરી એક ગરમ મસાલો છે. તેના વધુ પડતા સેવનથી શરીરમાં ગરમી ઉત્પન્ન થાય છે. તે કેટલીક દવાઓની અસરને પણ ઘટાડી શકે છે. આ એલર્જીનું કારણ બની શકે છે.

ઉનાળાની ઋતુમાં આ ઠંડા મસાલા ખાઓ

ફુદીના

ફુદીનો ખૂબ જ ઠંડો છે. તેનો ઉપયોગ માઉથ ફ્રેશનર તરીકે પણ થાય છે. તે શરીરને ઠંડુ કરવાનું કામ કરે છે. તે અપચો, છાતીમાં દુખાવો, સનબર્ન ત્વચા અને હાર્ટબર્નને દૂર કરવામાં મદદ કરે છે.

કોથમીર

કોથમીરના પાંદડામાં ઠંડકનો ગુણ હોય છે. તે બળતરા ઘટાડવામાં પણ મદદ કરે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

Child care: જાણો એવા ચિહ્નો જે સૂચવે છે કે તમારું બાળક યોગ્ય રીતે વિકાસ કરી રહ્યું છે કે નહીં

Child care: બાળકોને આ ફળ ખવડાવવાથી સ્વાસ્થ્ય સમસ્યાઓ રહેશે દૂર, જાણો આ ફળની ખાસિયત

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">