AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fake Paneer: શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો પનીર અસલી છે કે નકલી

નકલી પનીર ખાવાને કારણે તમને ટાઈફોઈડ, ઝાડા, કમળો, અલ્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે. એટલું જ નહીં નકલી પનીર ખાધા પછી તમને પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચામડીમાં બળતરા અને અપચોની સમસ્યા પણ થઈ શકે છે.

Fake Paneer: શું તમે ખાતા નથીને નકલી પનીર? આ રીતે જાણો પનીર અસલી છે કે નકલી
File Image
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 10, 2021 | 7:23 AM
Share

Fake Paneer: ફાટેલા દૂધમાંથી બનાવવામાં આવેલું પનીર આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. પનીરમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે આપણા શરીર અને સ્વાસ્થ્ય (Health) માટે ખૂબ ફાયદાકારક છે. પનીર (paneer) પ્રોટીન અને ચરબીના મુખ્ય સ્ત્રોતોમાંનું એક છે.

આ ઉપરાંત પનીર (paneer)માં ઘણા જરૂરી પોષક તત્વો રહેલા હોય છે, જેવા કે મિનરલ્સ કાર્બોહાઈડ્રેટ, એનર્જી, કેલ્શિયમ, ફોસ્ફરસ, જેવા અનેક વિટામિન પણ હોય છે. કાચા પનીરની સાથે તેને શાક બનાવીને પણ ખાઈ શકાય છે. પરંતુ આ તમામ લાભો અસલી પનીરના છે. નકલી પનીર (paneer)ખાવાથી તમારા શરીરની સાથે તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડે છે.

નકલી પનીરની આડઅસર

જ્યારે એક તરફ અનેક પ્રકારના પોષક તત્વો ધરાવતું પનીર આપણને ઘણા ફાયદાઓ આપે છે તો બીજી બાજુ હાનિકારક તત્વોનું મિશ્રણ કરીને બનાવેલ નકલી પનીર આપણને અનેક બીમારી (disease)આપી શકે છે. નકલી પનીર ખાવાને કારણે તમને ટાઈફોઈડ, ઝાડા, કમળો, અલ્સર જેવા ભયંકર રોગો થઈ શકે છે. એટલું જ નહીં નકલી પનીર ખાધા પછી તમને પેટમાં દુખાવો, માથાનો દુખાવો, ચામડીમાં બળતરા અને અપચોની સમસ્યા પણ થઈ શકે છે.

તેથી ઘરે પનીર (paneer)બનાવતા પહેલા તેને ઓળખવું ખૂબ જ મહત્વપૂર્ણ બની જાય છે. પરંતુ પનીરને ઓળખવામાં સૌથી મોટી સમસ્યા એ છે કે સાચું અને ખોટું પનીર બંને દેખાવમાં બરાબર સમાન છે. જો કે કેટલાક ઉપાયથી નકલી પનીરને સરળતાથી ઓળખી શકાય છે.

નકલી પનીર કેવી રીતે ઓળખવું?

સાચું પનીર ખાવા કરતા નકલી પનીર હંમેશા કડક હોય છે. નકલી પનીર સરળતાથી ખાઈ શકાતું નથી, તેને રબરની જેમ ખેંચવું પડે છે. આ સિવાય નકલી પનીર તોડતી વખતે પણ તેને રબરની જેમ ખેંચવું પડે છે. આ સિવાય નકલી પનીર (Fake paneer)ના ટુકડાને દબાવવાથી તૂટી જાય છે. આવું એટલા માટે થાય છે કારણ કે નકલી પનીરમાં ઉમેરવામાં આવેલ સ્કિમ્ડ મિલ્ડ પાવડર દબાણનો સામનો કરવામાં અસમર્થ હોય છે અને તૂટી જાય છે.

આ સિવાય પનીર (paneer)ને પાણીમાં ઉકાળો અને પછી તેને ઠંડુ કરો. ઠંડુ થયા પછી પનીર પર આયોડિન ટિંચરના 2-3 ટીપાં નાખો. જો પનીરનો રંગ વાદળી થઈ જાય તો સમજી લો કે તે નકલી છે.

આ પણ વાંચો : Health Tips : લાલ, સફેદ, કાળા અને બ્રાઉન ચોખા, આરોગ્ય માટે ક્યાં ચોખા છે યોગ્ય, જાણો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">