AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : શું તમે જાણો છો ઓડકાર ખાવા પાછળનું વિજ્ઞાન ?

ઓડકાર એક સામાન્ય પ્રક્રિયા હોવા છતાં, કેટલીકવાર બાબત ગંભીર બની જાય છે. ખાસ કરીને, જો આ સમસ્યા તમને વારંવાર પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તબીબી મદદ લેવી જરૂરી બની જાય છે.

Health : શું તમે જાણો છો ઓડકાર ખાવા પાછળનું વિજ્ઞાન ?
Health: Do you know the science behind belching?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 09, 2021 | 8:06 AM
Share

ભોજન(food ) પછી ઓડકાર(burping ) આવવા સામાન્ય છે. સામાન્ય રીતે આપણે ઓડકારનો અર્થ પેટ ભરેલું છે તેવું સમજીયે છીએ.  કેટલાક લોકો આ શારીરિક ક્રિયાને અપચો સાથે પણ જોડે છે. ચાલો જાણીએ, ઓડકારનું વિજ્ઞાન. અને જો તમને વધારે પડતા ઓડકાર આવે તો તો તમારે શું કરવું જોઈએ.

શા માટે ઓડકાર આવે છે? જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ, તેની સાથે થોડી હવા પણ આપણા પેટમાં જાય છે. ખરેખર, આપણા ખોરાકની પાઇપ અને પેટની વચ્ચે એક દરવાજો છે, જે ખાતી વખતે ખુલે છે. ખોરાક પેટમાં પ્રવેશ્યા પછી તે આપમેળે બંધ થઈ જાય છે. આ જ દરવાજામાંથી, ખોરાક સાથે હવા પણ પેટમાં જાય છે. શરીરની અંદર અજાણતા હવા પસાર કરવાની આ પ્રક્રિયાને એરોફેગિયા કહેવામાં આવે છે.

સામાન્ય રીતે, જ્યારે આપણે ઘણી વાર ખાઈએ છીએ અથવા પીએ છીએ, ત્યારે આપણે જરૂર કરતાં વધુ હવા ગળીએ છીએ. ધૂમ્રપાન કરતી વખતે, કંઈક ચૂસતી વખતે અથવા બબલ ગમ ચાવતી વખતે પણ, પેટમાં હવા જાય છે. જ્યારે હવામાં જથ્થો એટલે કે પેટમાં ગેસ વધુ બને છે, ત્યારે મગજ તેને બહાર કાઢવાની સૂચના આપે છે. આ પછી સ્નાયુઓ ચુસ્ત બની જાય છે, જેના કારણે છાતી અને પેટની વચ્ચે ફૂડ પાઇપમાં બનાવેલ દરવાજો થોડા સમય માટે ખુલે છે. ગળા અને મોંઢામાંથી હવા નીકળી જાય છે. આ પ્રક્રિયાને ઓડકાર કહીએ છીએ. જો કે આ એક સંપૂર્ણપણે કુદરતી પ્રક્રિયા છે, પરંતુ તે અવાજ સાથે આવે છે, તેથી તે અકળામણ અને બેચેનીનું કારણ પણ બને છે.

મામલો ક્યારે ગંભીર બને છે? જ્યારે પેટમાં ગેસ હોય, પણ મગજમાંથી એ ગેસને બહાર કાઢવાનો કોઈ આદેશ ન હોય, ત્યારે બેચેની શરૂ થાય છે. પેટમાં થોડો દુખાવો થાય છે. પાચનની પ્રક્રિયા ધીમી પડી જાય છે. આખરે આપણું શરીર નબળું અને થાકેલું લાગવા માંડે છે. ઓડકાર એક સામાન્ય પ્રક્રિયા હોવા છતાં, કેટલીકવાર બાબત ગંભીર બની જાય છે. ખાસ કરીને, જો આ સમસ્યા તમને વારંવાર પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તબીબી મદદ લેવી જરૂરી બની જાય છે.

તમે આ રીતે ઓડકારથી પણ છુટકારો મેળવી શકો છો જમીન પર સૂઈ જાઓ અને તમારા ઘૂંટણને વાળીને છાતી પર લાવો. આ ગેસને બહાર આવવામાં મદદ કરે છે. * ગેસ વધારતા ખોરાક અને પીણાંનો વપરાશ ઓછો કરો. *ખૂબ જલ્દી ખાવાનું ટાળો. જ્યારે તમે નિરાંતે ચાવશો અને ખાશો ત્યારે પેટમાં હવા જવાની શક્યતા ઘટી જશે. * કાર્બોનેટેડ પીણાંનું સેવન ન કરો. * ચ્યુઇંગ ગમ ચાવશો નહીં. જેટલો સમય તમે ગમ ચાવશો, તેટલી વધુ હવા તમે પેટમાં આમંત્રિત કરશો. * ધૂમ્રપાન કરવાનું ટાળો, કારણ કે આ પ્રક્રિયામાં આપણે અંદરથી હવા ખેંચીએ છીએ. * મોટાભાગે જ્યારે વૃદ્ધોના દાંતમાં સમસ્યા હોય છે, ખોરાક લેતી વખતે, તેમના પેટમાં હવા સામાન્ય કરતા વધારે જાય છે. * ઓડકાર કર્યા પછી થોડું ઠંડુ પાણી પીવો. રાહત ટૂંક સમયમાં આવશે. * એલચીની ચા પીવો અથવા એલચીને દિવસમાં બેથી ત્રણ વખત ચાવવી. * વરિયાળી પેટના ગેસ અને છેવટે ઓડકારમાંથી પણ રાહત આપે છે. * લીંબુનો રસ ઓડકારથી છુટકારો મેળવવામાં પણ અસરકારક છે.

આ પણ વાંચો: Health : બ્રેકફાસ્ટ, લંચ કે ડિનર માટે કેમ સાઉથ ઇન્ડિયન ફૂડ ડોસા છે બેસ્ટ ?

આ પણ વાંચો: Health: હળદરવાળું દૂધ કરશે જાદુઈ દવા જેવું કામ, બીજા પણ લાભો જાણશો તો થઈ જશો હેરાન

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લગતા કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">