AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : આ જ બાકી હતું ! અદાણી CNGના ભાવમાં ઝીંકાયો રૂ. 2.24નો વધારો, નવો ભાવ રૂ. 86ને પાર જુઓ Video

અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.24નો વધારો થતાં નવો ભાવ ₹86.1 પર પહોંચ્યો છે. છેલ્લા દોઢ મહિનામાં કુલ ₹3.5નો વધારો થયો છે. આ ભાવ વધારો આજથી અમલી બન્યો છે, જે સ્કૂલવાન અને રિક્ષાચાલકો સહિત CNG વાહનચાલકો પર સીધો બોજ નાખશે.

Breaking News : આ જ બાકી હતું ! અદાણી CNGના ભાવમાં ઝીંકાયો રૂ. 2.24નો વધારો, નવો ભાવ રૂ. 86ને પાર જુઓ Video
adani cng price hike new rate crosses 86 rs
| Updated on: May 16, 2026 | 10:04 AM
Share

અમદાવાદ સહિત મધ્ય ગુજરાતના લોકો માટે ફરી એકવાર મોંઘવારીના સમાચાર સામે આવ્યા છે. અદાણી CNGના ભાવમાં પ્રતિ કિલો ₹2.24નો વધારો કરવામાં આવ્યો છે. નવા વધારા બાદ હવે CNGનો ભાવ ₹86.1 પ્રતિ કિલો થયો છે. આ નવો ભાવ આજથી જ અમલમાં આવ્યો છે, જેના કારણે CNG વાહનચાલકો પર સીધી અસર જોવા મળશે. ખાસ કરીને રોજિંદા મુસાફરી કરતા લોકો માટે આ વધારો આર્થિક બોજ વધારનાર સાબિત થશે.

અદાણી CNGના ભાવમાં સતત વધારો

માહિતી મુજબ છેલ્લા થોડા સમયથી અદાણી CNGના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આ પહેલા 4 એપ્રિલે પણ પ્રતિ કિલો ₹1.5નો વધારો કરવામાં આવ્યો હતો. એટલે કે છેલ્લા દોઢ મહિનામાં કુલ મળીને અંદાજે ₹3.5 જેટલો વધારો નોંધાયો છે. સતત વધી રહેલા ભાવોને કારણે વાહનચાલકોમાં ચિંતા વધી રહી છે. ઘણા લોકો પેટ્રોલ અને ડીઝલના વધતા ખર્ચથી બચવા માટે CNG વાહનો તરફ વળ્યા હતા, પરંતુ હવે CNG પણ મોંઘી બનતા સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ રહ્યું છે.

પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો

સરકારી કંપનીઓ દ્વારા અગાઉ પેટ્રોલ, ડીઝલ અને CNGના ભાવમાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. જોકે તે સમયે અદાણીએ તરત ભાવ વધાર્યો નહોતો. પરંતુ સરકારના નિર્ણય બાદ મોડી રાત્રે અદાણી દ્વારા પણ પ્રતિ કિલો ₹2.24નો વધારો જાહેર કરવામાં આવ્યો. આ વધારાને કારણે ખાસ કરીને અમદાવાદ, સુરેન્દ્રનગર અને બાલાસિનોર જેવા વિસ્તારોમાં વધુ અસર જોવા મળશે, કારણ કે આ વિસ્તારોમાં અદાણીના CNG પંપનું નેટવર્ક સૌથી વધુ છે.

દૈનિક ખર્ચમાં વધારો થશે

અમદાવાદ શહેરમાં મોટી સંખ્યામાં લોકો CNG વાહનોનો ઉપયોગ કરે છે. રિક્ષાચાલકો, સ્કૂલવાન ચાલકો, કેબ ડ્રાઇવરો તેમજ રોજિંદા નોકરી-ધંધા માટે મુસાફરી કરતા લોકો માટે હવે દૈનિક ખર્ચમાં વધારો થશે. એક તરફ વાહનચાલકોને ઇંધણના વધતા ભાવનો સામનો કરવો પડી રહ્યો છે, તો બીજી તરફ પરિવહન ખર્ચ વધવાથી સામાન્ય જીવન પર પણ તેની અસર પડી શકે છે.

પેટ્રોલ અને ડીઝલની સરખામણીએ CNGને અત્યાર સુધી સસ્તો અને પર્યાવરણને અનુકૂળ વિકલ્પ માનવામાં આવતો હતો. પરંતુ સતત વધી રહેલા ભાવોને કારણે હવે લોકોમાં અસંતોષ ફેલાઈ રહ્યો છે. આગામી સમયમાં ફરી ભાવ વધારો થશે કે નહીં તે અંગે પણ લોકોમાં ચિંતા જોવા મળી રહી છે.

સરકારનો મોટો નિર્ણય, પેટ્રોલના વિદેશી નફા પર લાગશે લગામ, ડીઝલ અને જેટ ફ્યુઅલ પર મોટી રાહત આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
તમે આજે નોંધપાત્ર બચત કરી શકશો, આત્મચિંતન ફાયદાકારક સાબિત થશે
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
ગુજરાતમાં 18 મે પછી પ્રી-મોન્સૂન વરસાદ, જુઓ Video
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
કેરળમાં 26 મે આસપાસ નૈઋત્યનુ ચોમાસુ કરશે એન્ટ્રી
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
ડાકોરમાં ભક્તો જીત્યા! મનોરથના ભાવ વધારા પર 2 મહિનાનો બ્રેક
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
કેમિકલ વેસ્ટનો ટાંકો સાફ કરવા ઉતરેલા 3 મજૂરોના ગુંગળાઈ જવાથી મોત
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
સુકેત અને વસવા બ્રિજની ભયજનક સ્થિતિ, વાહનચાલકોને 20 કિમીનો ધક્કો
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાત સરકારે પણ જાહેર કર્યા કરકસરના પગલાં, મેટ્રો દોડશે રાતના 11 સુધી
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
ગુજરાતની જનતા પર 60,00,00,00,000નો બોજો આવશેઃ શક્તિસિંહ ગોહીલ
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
સુરતના કેટલાય પેટ્રોલ પંપ ઉપર લટકે છે 'No Petrol' ના પાટીયાં
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
મહુવાની સરકારી હોસ્પિટલમાં ચાલુ પંખો પડતાં મહિલા ઈજાગ્રસ્ત
g clip-path="url(#clip0_868_265)">