AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : શેરી ગરબા વચ્ચેની પસાર થનારને ટોક્યા તો બે સગા ભાઈઓની હત્યા કરી નાંખી,3 લોકોની અટકાયત કરાઈ

Surat : સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડર(Double Murder)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે, બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી, આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે, રાતે નવરાત્રી(Navratri 2023) દરમ્યાન ઝઘડો થયા બાદ બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.

Surat : શેરી ગરબા વચ્ચેની પસાર થનારને ટોક્યા તો બે સગા ભાઈઓની હત્યા કરી નાંખી,3 લોકોની અટકાયત કરાઈ
Baldev Suthar
| Edited By: | Updated on: Oct 23, 2023 | 12:35 PM
Share

Surat : સુરતના અમરોલી કોસાડ આવાસ વિસ્તારમાં ડબલ મર્ડર(Double Murder)ની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે, બે સગા ભાઈઓની હત્યા કરવામાં આવી હતી, આ ઘટના બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે, રાતે નવરાત્રી(Navratri 2023) દરમ્યાન ઝઘડો થયા બાદ બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની અને હાલમાં સુરતના અમરોલી સ્થિત કોસાડ આવાસમાં રહેતા સુખલાલ કિશનભાઈ પીંપળે પરિવાર સાથે રહે  છે.સુખલાલ પીંપળેએ એક ઘટનામાં પોતાના બે દીકરા ગુમાવ્યા છે. સુખલાલના પુત્ર રાહુલ [ઉ.૨૮] અને પ્રવીણ [ઉ,૨૩] ની કરપીણ હત્યા કરવામાં આવી હતી.ગત  રાતે નવરાત્રી મહોત્સવમાં થયેલા ઝઘડાની રીસ રાખી ૩ થી ૪ ઈસમોએ બંને ભાઈઓને ચપ્પુના ઘા ઝીક્યા હતા.

આ પણ વાંચો : Devbhumi Dwarka Video: દ્વારકાની શેરીમાં એક સાથે ત્રણ આખલા બાખડ્યા, ટુ વ્હીલરને પહોંચાડ્યુ નુકસાન

ગંભીરરીતે ઈજાગ્રસ્ત બંને ભાઈઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ સારવાર મળે તે પૂર્વે હોસ્પિટલના તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. ઘટનાની ઉપલબ્ધ માહિતી અનુસાર રાતે નવરાત્રી દરમ્યાન વાહનો પાર્ક કરીને રસ્તો કોર્ડન કરવામાં આવ્યો હતો.૩ થી ૪ ઈસમોએ વાહન હટાવવા બાબતે ઝઘડો કર્યો હતો જેમાં મારામારી થતા બંને ભાઈઓની હત્યા કરવામાં આવી હોવાનું જણવા મળ્યું છે. આ મામલે પોલીસ દ્વારા ૩ લોકોની અટકાયત કરી સમગ્ર મામલે તપાસનો ધમધમાટ પણ શરુ કર્યો છે.

આ પણ વાંચો : Surat : ગુજરાતમાં Heart Attack થી 24 કલાકમાં 10થી વધુ લોકોએ જીવ ગુમાવ્યો, ગરબા રમતા ખૈલયા ઢળી પડવાની ઘટનાઓ સામે આવી

મૃતક ભાઈઓના પિતા સુખલાલભાઈએ જણાવ્યું હતું કે નવરાત્રીને લઈને અમારા મહોલ્લામાં ગરબા ચાલુ હતું જેથી ત્યાં આવવા જવાનો રસ્તો બંધ હતો તે દરમ્યાન ત્યાં ૩ થી ૪ વ્યક્તિઓ આવ્યા હતા અને ત્યાંથી જવાની જીદ પકડી હતી.સુખલાલના પુત્રોએ કહ્યું કે “અહી ગરબો ચાલુ છે હાલમાં અહીંથી જઈ શકાશે નહિ” જેથી તેઓ બોલાચાલી કરી નીકળી ગયા હતા. ઘટનાના અડધો કલાક બાદ તેઓ ફરીથી આવ્યા હતા અને રાહુલ અને પ્રવીણને  છરીના ઘા ઝીકી હત્યા કરી નાંખી હતી.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">