AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : કોરોનાકાળમાં જીવન રક્ષક વેન્ટિલેટર હવે આર્થિક બોજ બની ગયા, જાળવણી માટે વાર્ષિક 17 લાખ ખર્ચ, હવે કોઈ ભાડેથી લેવા પણ તૈયાર નથી

કોરોના (Corona )સમયગાળા દરમિયાન વેન્ટિલેટરની જરૂરિયાત દિવસેને દિવસે વધવા લાગી. વેન્ટિલેટરની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ ફંડમાંથી સિવિલ હોસ્પિટલને ત્રણ કંપનીઓના વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા.

Surat : કોરોનાકાળમાં જીવન રક્ષક વેન્ટિલેટર હવે આર્થિક બોજ બની ગયા, જાળવણી માટે વાર્ષિક 17 લાખ ખર્ચ, હવે કોઈ ભાડેથી લેવા પણ તૈયાર નથી
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 20, 2022 | 9:25 AM
Share

કોરોનાકાળ (Corona ) દરમિયાન દર્દીઓના જીવ બચાવનાર વેન્ટિલેટર (Ventilator ) હવે હોસ્પિટલો માટે એક આર્થિક બોજ બની ગયા છે. પહેલા સરકારી હોસ્પિટલોમાં (Hospital ) વેન્ટિલેટરની અછત હતી અને હવે તેની સંખ્યા એટલી વધી ગઈ છે કે તે આર્થિક બોજ બની ગયા છે. હાલમાં, સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં 930 વેન્ટિલેટર છે, જેમાંથી માત્ર 105 જ ઉપયોગમાં લેવાય છે. આમ છતાં આ વેન્ટિલેટરના વાર્ષિક જાળવણી પાછળ 17 લાખ રૂપિયા ખર્ચવા પડે છે. સતત ઉપયોગ ન થવાના કારણે મેન્ટેનન્સ પણ વધી રહ્યું છે. જેના કારણે હોસ્પિટલ મેનેજમેન્ટ ચિંતિત છે.

સ્મીમેર હોસ્પિટલ દ્વારા સિવિલ હોસ્પિટલને ભાડે વેન્ટિલેટર આપવા બાબતે સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે સિવિલમાં પહેલાથી જ વધુ વેન્ટિલેટર છે. તેથી, સ્મીમેર હોસ્પિટલમાંથી વેન્ટિલેટર ભાડે લેવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી સ્થિતિ સર્જાય તો પણ બંને હોસ્પિટલો સરકારી છે તેથી ભાડું ભરવાનો પણ પ્રશ્ન જ નથી.  સિવિલ હોસ્પિટલમાં 550 જેટલા વેન્ટિલેટર છે, જેમાંથી માત્ર 70 વેન્ટિલેટર જ ઉપયોગમાં છે. સિવિલ હોસ્પિટલ મેનેજમેન્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના સમયગાળા પહેલા હોસ્પિટલમાં માત્ર 70 વેન્ટિલેટર હતા. રોગચાળો વધતો ગયો અને સરકારની મદદથી ધીમે ધીમે લગભગ 480 વેન્ટિલેટર આવશે. જે વેન્ટિલેટર ઉપયોગમાં નથી તે સાફ કરીને વ્યવસ્થિત રાખવામાં આવ્યા છે.

સુરત મનપાની આરોગ્ય સમિતિમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. જેમાં સ્મીર હોસ્પિટલના બિનઉપયોગી વેન્ટિલેટર હોસ્પિટલ અથવા સિવિલ હોસ્પિટલને ભાડે આપવા સૂચના આપવામાં આવી હતી. જ્યારે સિવિલ મેનેજમેન્ટનું કહેવું છે કે અમારી પાસે પહેલાથી વધુ વેન્ટિલેટર છે. અમને વધુ વેન્ટિલેટરની જરૂર નથી. સ્મીમેર પાસે હવે 410 વેન્ટિલેટર છે. જેમાં માત્ર 35 વેન્ટિલેટર જ ઉપયોગમાં છે. સ્મીમેર હોસ્પિટલ પાસે 300 સ્થાપિત વેન્ટિલેટર છે. 110 વેન્ટિલેટરના પેકિંગ પણ ખોલવામાં આવ્યા નથી. તેમને મેડિકલ કોલેજમાં રાખવામાં આવ્યા છે.

વેન્ટિલેટરના કોમ્પ્રેસરના વાલ્વ અને સેન્સર સૌથી ખરાબ થાય છે, તેના સમારકામ પાછળ હજારો રૂપિયા ખર્ચવામાં આવે છે

એક ડોક્ટરે જણાવ્યું કે પીએમ કેરમાંથી મળેલા વેન્ટિલેટરમાં મોટાભાગના કોમ્પ્રેસર વાલ્વ અને સેન્સર ડેમેજ થઈ ગયા છે, તેને બનાવવામાં હજારો રૂપિયાનો ખર્ચ થાય છે. કોરોનાના સમયમાં સેંકડો વેન્ટિલેટર મળ્યા હતા, પરંતુ તે પહેલા બંને હોસ્પિટલમાં વેન્ટિલેટર ન મળવાના કારણે દરરોજ બે થી ત્રણ દર્દીઓના મોત થતા હતા, સિવિલ હોસ્પિટલ 5 વર્ષથી 20 વેન્ટિલેટરની માંગણી કરતી હતી. લગભગ 6 થી 7 દર્દીઓ વેન્ટિલેટરના વેઇટિંગ લિસ્ટમાં રહેતા હતા, જ્યારે ડઝનબંધ દર્દીઓને જીવતા રાખવા સંબંધીઓ દિવસ-રાત રાહ જોતા હતા. પણ હવે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે, હોસ્પિટલોમાં વેન્ટિલેટરની ભરમાર છે, હવે તેની જાળવણી કરવા પાછળ લાખો રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

કોરોના સમયગાળામાં કેન્દ્ર સરકારે પીએમ કેર ફંડમાંથી વેન્ટિલેટર આપ્યા હતા

કોરોના પહેલા સિવિલ હોસ્પિટલમાં 70 વેન્ટીલેટર હતા જેમાંથી 8 થી 10 વેન્ટીલેટર ખરાબ હતા. આ પછી, કોરોના સમયગાળા દરમિયાન વેન્ટિલેટરની જરૂરિયાત દિવસેને દિવસે વધવા લાગી. વેન્ટિલેટરની જરૂરિયાતને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ ફંડમાંથી સિવિલ હોસ્પિટલને ત્રણ કંપનીઓના વેન્ટિલેટર આપવામાં આવ્યા હતા. જેમાં ડેલ કંપની, એગવા અને ધમણ વેન્ટિલેટર આવ્યા હતા. અત્યારે ડેલના લગભગ 5 વેન્ટિલેટર ખરાબ છે. તે સમયે કંપનીને આ માહિતી આપવામાં આવી હતી. એગવાના 30 વેન્ટિલેટર ખરાબ છે. આ માહિતી કંપનીને પણ આપવામાં આવી હતી. પરંતુ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

વેન્ટિલેટર મેન્યુફેક્ચરિંગ કંપનીઓના કર્મચારીઓની મુલાકાતો પાછળ વાર્ષિક 17 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે

સિવિલ અને SMIMER બંને હોસ્પિટલોમાં કુલ મળીને 930 થી વધુ વેન્ટિલેટર છે. જે કંપનીઓ પાસેથી વેન્ટિલેટર લેવામાં આવ્યા છે તેમની સાથે સરકારે કરાર કર્યો છે કે વેન્ટિલેટર કંપનીના એન્જિનિયરો વર્ષમાં બે વાર હોસ્પિટલની મુલાકાત લેશે. 1 વર્ષ માટે વેન્ટિલેટરની મુલાકાત માટે 1800 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. વર્ષમાં બે વાર 930 વેન્ટિલેટરની મુલાકાત લેવામાં આવી રહી છે, આવી સ્થિતિમાં વેન્ટિલેટર માટે હોસ્પિટલોમાં આવતા કંપનીના કર્મચારીઓ પર લગભગ 17 લાખ રૂપિયાનો ખર્ચ થઈ રહ્યો છે.

આ પણ વાંચો :

Surat : સુરત જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાના 3700 શિક્ષકો માર્ચના પગારની રાહમાં, એપ્રિલ માસ અડધો વીતી ગયો છતાં પગાર નહીં થતા શિક્ષકોના બજેટ ખોરવાયા

Surat : વારંવાર નાપાસ થતી યુનિવર્સિટી : નવી શિક્ષણ નીતિનો અમલ કર્યો પણ વિદ્યાર્થીઓને રસ નથી

વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો

Follow Us
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
દ્વારકા જિલ્લામાં વીજળીના કડાકા સાથે વરસાદ, ભારે પવનમાં ઉડી ગઈ રાઈડ્સ
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
કચ્છમાં તોફાની પવન સાથે કમોસમી વરસાદ, વાગડમાં વિસ્તારમાં પડ્યા કરા
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
પેટા પ્રશ્નોની અંદર પૂરતી માહિતીના અભાવે મંત્રીઓ ગૂંચવાઈ જતા CM નારાજ
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
કચ્છમાં મિની વાવાઝોડા સાથે ઝરમર વરસાદ, વીજ પુરવઠો ખોરવાયો
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
અમદાવાદ-સુરતમાં નકલી નોટ કૌભાંડનો ભાંડાફોડ
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
શાહીબાગ અંડરબ્રિજ 10 દિવસ માટે બંધ, વાહનોની અવરજવર પર લગાવી રોક
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
“હક્ક નહીં તો દૂધ નહીં” પશુપાલકોના આક્રોશથી શહેર થંભ્યું
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
કમોસમી વરસાદથી ખેડૂત ચિંતિત, કેરી સહિત પાક પર સંકટ!
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
ભારે પવનના કારણે પાવાગઢમાં રોપવે સેવા બંધ કરાઈ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
જામનગરમાં અચાનક વાતાવરણ પલટાયું, લાલપુરમાં કરા સાથે વરસાદ
g clip-path="url(#clip0_868_265)">