Surat : જિલ્લામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ

જિલ્લા આરોગ્ય (Health )વિભાગ દ્વારા વાયરલ બીમારીથી બચવા લોકોને અવારનવાર સાવધ રહેવા અપીલ કરાતી હોય છે. પરંતુ યોગ્ય કામગીરી કરાતી નથી અને પાણીજન્ય રોગચાળો ગ્રામ્ય વિસ્તારોમાં ઘર કરી રહ્યો છે.

Surat : જિલ્લામાં પાણી અને મચ્છરજન્ય રોગચાળામાં વધારો, આરોગ્ય વિભાગની કામગીરી સામે પ્રશ્નાર્થ
રાજકોટ રોગચાળાના ભરડામાં (પ્રતિકાત્મક તસવીર)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2022 | 8:41 AM

ચોમાસાની (Monsoon ) ઋતુ દરમિયાન સુરત જિલ્લામાં ગ્રામ્ય(Rural ) વિસ્તારમાં પાણીજન્ય(Waterborne ) રોગચાળો વકરી રહ્યો છે. મેલેરિયા, ઝાડાઊલટી, કોલેરા, ડેન્ગ્યુના દર્દીઓથી સરકારી અને ખાનગી દવાખાના ઉભરાઇ રહ્યા હોવાથી જિલ્લા આરોગ્ય વિભાગ દોડતું થયું છે.આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ શહેરી વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના અટકાયતી પગલાં લેવા માટે આરોગ્ય શાખા દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત ફોગીંગ વિગેરેની કામગીરી પણ વેગવાન બનાવવામાં આવી છે. પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જિલ્લા આરોગ્ય વિભાગ એ હજુ આળસ મરોડી હોય તેમ જણાતું નથી.

જિલ્લામાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો :

સુરતના પલસાણા તાલુકાના વરેલી ગામમાં મચ્છરોનો ત્રાસ ખુબ વધી ગયો હતો. જોકે આ અંગે પંચાયતને નોટિસ આપી માત્ર ફરજ પૂરી બાદ આરોગ્ય વિભાગ એ વરેલી ગ્રામ કરી સંતોષ માન્યો હોય એમ લાગી રહ્યું છે જુલાઇ માસમાં આરોગ્ય વિભાગના ચોપડે  મેલેરિયાના 32 કેસ, ડેન્ગ્યુના 7 કેસ, ઉપરાંત ઝાડા ઉલટી ના 904 કેસ નોંધાયા હોવાનું જાણવા મળે છે આ ઉપરાંત સરકારી ચોપડે ન નોંધાયા હોય તેવા કેસો તો અસંખ્ય હશે. છતાં જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓકચેરી છોડી ફિલ્ડમાં આ રોગચાળાને કાબુમાં લેવા માટે નીકળ્યા હોય તેવું  જાણવા મળ્યું નથી.

આરોગ્ય વિભાગની કામગીરી સંતોષકારક નથી :

અત્રે નોંધનીય છે કે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વાયરલ બીમારીથી બચવા લોકોને અવારનવાર સાવધ રહેવા અપીલ કરાતી હોય છે. પરંતુ યોગ્ય કામગીરી કરાતી નથી અને પાણીજન્ય રોગચાળો ગ્રામ્ય વિસ્તારોમાં ઘર કરી રહ્યો છે. જિલ્લામાં ઔદ્યોગિક વિસ્તારો ધરાવતા પલસાણા, કિમ, સાયણ, કોસંબા સહિતના વિસ્તારોમાં આવેલા ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયેલા વરસાદથી ખાબોચિયાઓમાં પોરા નાશક કામગીરી, ઘરોમાં ફોંગિંગની કામગીરી, તેમજ મચ્છરોની ઘનતાવાળા વિસ્તારોમાં વ્હીકલ માઉન્ટેન મશીનથી ફોંગિંગ કામગીરીની જવાબદારી ફક્ત દેખાડો બની ગઈ છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

આરોગ્ય વિભાગ દ્વારા ગામ મચ્છરોની ઉત્પત્તિ રોકવા ચોક્કસ સ્થળો પર નિયમિત ચેકિંગ કરવામાં આવતું નથી કે પછી નોટિસો પણ ફટકારવામાં આવતી નથી. ઉપરાંત ઘરના આંગણા, ઘરમાં સ્વચ્છતા રાખવા ખાડા ખાબોચિયાઓમાં જમા થયેલ પાણીમાં બળેલું ઓઇલ નાખવા અને ત્યાં જાળવવા અંગે જાગૃતિ દાખવવામાં આવતી નથી ની ફરિયાદો ઊઠી છે. જેથી ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં મચ્છરજન્ય રોગચાળો વધુ વકરી રહ્યો હોવાનું જાણવા મળે છે. જેથી મચ્છરોની ઉત્પત્તિ ન થાય તેવા પગલાં લેવા લોકમાંગ ઉઠવા પામી છે.

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">