Gujarat માં રેકોર્ડ બ્રેક રસીકરણ, રાજ્યની 81 ટકા વસ્તીને પ્રથમ ડોઝ લાગ્યો

ગુજરાતમાં કરવામાં આવેલા મેગા વેકસિનેશનના પગલે રાજ્યમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 3.96 કરોડ થઈ છે. તેમજ રાજ્યની ૮૧ ટકા વસ્તીને કોરોનાનો પ્રથમ ડોઝ લાગી ચૂકયો છે

Gujarat માં રેકોર્ડ બ્રેક રસીકરણ, રાજ્યની 81 ટકા વસ્તીને પ્રથમ ડોઝ લાગ્યો
Record-break Corona vaccination in Gujarat 81 percent of Eligible state population Get first dose
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2021 | 1:58 PM

ગુજરાત(Gujarat) માં કોરોના રસીકરણને(Vaccination) લઈને વધુ એક સિધ્ધી સામે આવી છે. જેમાં રાજ્યના ૧૭ સપ્ટેમ્બરના રોજ પીએમ મોદી(PM Modi)ના જન્મ દિવસે કરવામાં આવેલા મેગા વેકસિનેશનના પગલે રાજ્યમાં કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારાની સંખ્યા 3.96 કરોડ થઈ છે. તેમજ રાજ્યની ૮૧ ટકા વસ્તીને કોરોનાનો પ્રથમ ડોઝ લાગી ચૂકયો છે.

જેમાં રાજ્યમાં અત્યાર સુધી કરવામાં આવેલા રસીકરણની વાત કરીએ તો કુલ 5.57  કરોડ લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 3.96 કરોડ લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપી દેવામાં આવ્યો છે. જયારે 1.96 કરોડ લોકોને કોરોનાનો બીજો ડોઝ આપી દેવામાં આવ્યો છે.

તેમજ રાજ્યમાં અત્યારે રસી લેવા પાત્ર 96 લાખ લોકોએ હજુ કોરોના રસીનો પ્રથમ ડોઝ લીધો નથી. આ દરમ્યાન શુક્રવારે એક જ દિવસમાં  ઐતિહાસિક 22.15 લાખ લોકોનું રસીકરણ થયું હતું.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

પીએમ મોદીના જન્મ દિવસે દેશભરમાં રસીકરણ મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યમાં એક અંદાજ મુજબ, દર સેકંડે 35થી 40 વ્યક્તિઓને રસી આપવામાં આવી હતી.  આ પૂર્વે  31મી ઓગષ્ટના રોજ એક જ દિવસમાં 8.95 લાખ રસીકરણ કરવામાં આવ્યું હતું. અંદાજે 7 હજારથી વધારે ગામોમાં 100 ટકાને પહેલો ડોઝ મળી ગયો છે.

રાજ્યમાં યોજાયેલા રસીકરણ અભિયાનમાં સૌથી વધુ સુરત શહેરમાં 2,02,421 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. જો સુરત જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 74,700 નાગરીકોએ કોરોના રસી લીધી છે, જે અત્યાર સુધીનો સૌથી વધુ આંકડો છે.

સુરત બાદ સૌથી વધુ રસીકરણ અમદાવાદમાં થયું છે. અમદાવાદ શહેરમાં 1,50,096 નાગરીકોનું રસીકરણ કરવામાં આવ્યું હતું. જો અમદાવાદ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર જિલ્લામાં 81,543 નાગરીકોએ કોરોના રસી લીધી હતી

રાજયવ્યાપી વેક્સિનેશન મેગા ડ્રાઈવમાં 17 સપ્ટેમ્બરના રાત્રીના 10.00 વાગ્યા સુધીમાં 22.15 લાખથી વધુ નાગરિકોને રસીથી સુરક્ષિત કરવામાં આવ્યાં છે. રાજ્યમાં મહત્તમ રસીકરણના ઉદ્દેશ સાથે વેક્સિનેશન મેગા ડ્રાઈવ યોજાઈ હતી. રાજ્યવ્યાપી આ રસીકરણનો શુભારંભ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતેથી અને આરોગ્ય પ્રધાન રૂષિકેશ પટેલે સિક્કા, જામનગર ખાતેથી કરાવ્યો હતો.

રાજ્ય સરકારની આ ઝુંબેશને નાગરિકોના અદમ્ય ઉત્સાહથી સારો પ્રતિસાદ સાંપડ્યો છે.વેક્સિનેશન મેગા ડ્રાઈવના અસરકારક અમલીકરણ માટે આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓ દ્વારા સતત કામગીરી કરી આ મેગા ડ્રાઈવને સફળ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Gujarat માં તહેવારો પૂર્વે ખાદ્યતેલના ભાવમાં વધારો, ગૃહિણીઓનું બજેટ ખોરવાયુ

આ પણ વાંચો : Gandhinagar : કૃષિમંત્રી રાઘવજી પટેલ વિધિવત રીતે સંભાળશે મંત્રાલયનો ચાર્જ 

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">