‘રાહુલ ગાંધી માફી માંગે’, રાજા-મહારાજાના નિવેદન બાદ ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર, જુઓ Video
દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકાણ ગરમાયેલુ છે જે વચ્ચે ગુજરાતમાં અગાઉ રુપાલાના નિવેદ બાદથી વિવાદ સર્જાયો છે અને ક્ષત્રિયો તેમનો સતત વિરોધ કરી રહ્યા છે. આ બાદ હવે ક્રોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ રાજા મહારાજાઓને લઈને નિવેદન સામે આવ્યું છે જેને લઈને ભાજપ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે.
ગુજરાતમાં પરસોત્તમ રુપાલાના નિવેદનના કારણે સર્જાયેલ વિવાદ વચ્ચે ફરી એક વિવાદ ઉભો થયો છે રાહુલ ગાંધીના રાજા-મહારાજા પરના નિવેદનને લઈ ભાજપે કોંગ્રેસને ઘેરી હતી. આ અંગે ભાજપ અધ્યક્ષ પાટીલ અને ઉપાધ્યક્ષ ભરત બોઘરાએ રાહુલ ગાંધી પર પ્રહાર કર્યા.
ભરત બોઘરાએ કહ્યું, પરશોત્તમ રૂપાલાએ તેમના નિવેદન બાદ ત્રણથી ચાર વાર વિનમ્રતાથી માફી માગી છે, પરતું રાહુલ ગાંધી જે બોલ્યા તેને લઈને હજુ ક્ષત્રિય સમાજની માફી માંગી નથી.
દેશભરમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકાણ ગરમાયેલુ છે જે વચ્ચે ગુજરાતમાં અગાઉ રુપાલાના નિવેદ બાદથી વિવાદ સર્જાયો છે અને ક્ષત્રિયો તેમનો સતત વિરોધ કરી રહ્યા છે. આ બાદ હવે ક્રોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું પણ રાજા મહારાજાઓને લઈને નિવેદન સામે આવ્યું છે જેને લઈને ભાજપ કોંગ્રેસને ઘેરવાના પ્રયાસ કરી રહ્યું છે.
રાહુલ ગાંધીના નિવેદન બાદ ગુજરાત ભાજપ તરત જ આક્રમક થઈ અને સતત રાહુલ ગાંધી સહિત કોંગ્રેસને સાણસામાં લેવાનો પ્રયાસ કર્યો છે. ભાજપે આ નિવેદનને સમગ્ર ક્ષત્રિય સમાજનું અપમાન ગણાવ્યુ તો કોંગ્રેસે આ વીડિયોને તોડી મરોડીને લોકો સમક્ષ મુકવાનો ભાજપ પર ગંભીર આક્ષેપ કર્યો.
હાલ આ મુદ્દા પર હવે કોંગ્રેસ બેકફૂટ પર ધકેલાઈ ગઈ તો ભાજપ હવે ફ્રન્ટફૂટ પર બેટિંગ કરી રહી છે, પરતું ક્ષત્રિય સમાજ પર બેફામ નિવેદનબાજી વચ્ચે ક્ષત્રિય સમાજ મૂંઝવણમાં જોવા મળી રહ્યો છે. ક્ષત્રિયોનો એક વર્ગ રાહુલ ગાંધી પાસે માફી મગાવવાની ઉગ્ર માગ કરી રહ્યો છે તો બીજો વર્ગ રૂપાલાના નિવેદનને લઈ ભાજપનો વિરોધ કરવા પર ફોક્સ કરવાની વાત કરી રહ્યો છે.