અમદાવાદથી મુંબઈ જતી ‘વંદે ભારત’ સુરતમાં અટવાઈ, ટ્રેનના દરવાજા જ ન ખુલ્યા, જુઓ VIDEO
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણકે સુરત રેલવે સ્ટેશન આવતા અહીં વંદે ભારતના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરત રેલવે સ્ટેશન પર અટવાઈ ગઇ હતી. અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત ટ્રેન સુરતમાં ઉભી રહી ત્યારે ટ્રેનના દરવાજા ન ખુલતા ટ્રેન રોકવી પડી હતી. આ દરમિયાન મુસાફરો મુશ્કેલમાં મુકાયા હતા.
ઘણા સમય સુધી ટ્રેન અહીં સ્ટેશન પર ઉભી રાખવી પડી. જે બાદ મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા. જોકે આ દરમિયાન 1 કલાક સુધી મુસાફરો ટ્રેનમાં ફસાઈ રહ્યા.
સુરતમાં અટવાઈ વંદે ભારત
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સુરતમાં રોકવી પડી કારણકે સુરત રેલવે સ્ટેશન આવતા અહીં વંદે ભારતના દરવાજા ખુલ્યા ન હતા. જેના કારણે ઘણા સમય સુધી મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. મળતી માહિતી મુજબ સ્ટેશન પર એક કલાક સુધી ટ્રેન અટવાઈ રહી હતી, ટેકનિકલ ખામીના કારણે ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા.
વંદે ભારતના દરવાજા ન ખુલતા મુસાફરો અટવાયા
વંદે ભારત ટ્રેનના લઈને પહેલા પણ ઘણી વખત ચર્ચામાં આવી છે અગાઉ પ્રાણીઓ સાથે અથડાવવાથી લઈને અનેક રીતે ત્યારે આજે વહેલી સવારે એટલેકે 8.20ની નજીક અમદાવાદથી મુંબઈ જતી વંદે ભારત સુરત સ્ટોપ હોવાને કારણે ત્યાં ટ્રેન ઉભી રહી હતી જ્યાં ટેકનિકલ ખામી સર્જાતા ટ્રેનના દરવાજા ખુલ્યા ન હતા જેના કારણે એક કલાક સુધી મુસાફરો ટ્રેનમાં અટવાઈ રહ્યા.
આ ઉપરાંત ટ્રેન પણ કલાક સુધી સુરત સ્ટોપ પર જ ઉભી રહી હતી. જોકે આખરે દરવાજા ન ખુલતા એક્સપર્ટ દ્વારા મેન્યુઅલી દરવાજા ખોલવામાં આવ્યા હતા જે બાદ મુસાફરો ટ્રેનમાંથી ઉતરી શક્યા