અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 2 ઈજાગ્રસ્ત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
ગુજરાત કોલેજ પાસે આવેલા મધુવન ફ્લેટના ત્રીજા માળે આગ લાગી હતી. કૃણાલ ઓર્ગેનિકસ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
ગરમી શરૂ થતાં જ આગના બનાવો વધી જતા હોય છે. અમદાવાદમાં એક જ દિવસમાં બે અલગ અલગ આગની ઘટનાઓ સામે આવી છે. પ્રથમ ઘટનાની વાત કરીએ તો ગુજરાત કોલેજ પાસે ભીષણ આગ લાગી હતી. આ બનાવમાં ફાયર બ્રિગેડ દ્વારા આગમાં ફસાયેલા 40 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. જો કે, હાલમાં ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો છે.
ગુજરાત કોલેજ પાસે આવેલા મધુવન ફ્લેટના ત્રીજા માળે આગ લાગી હતી. કૃણાલ ઓર્ગેનિકસ નામની ખાનગી કંપનીની ઓફિસમાં આગ લાગતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
આગની બીજી ઘટનાની વાત કરીએ તો, અમદાવાદના વાંચ ગામમાં આગ લાગી હતી. આ આગની ઘટનામાં એકનું મોત થયું હતું. તો ઘરમાં આગ લાગતા બે લોકો ઘાયલ થયા હતા. આ ગામમાં 10 દિવસમાં આગ લાગવાથી મોતની બીજી ઘટના સામે આવી છે. ગામમાં ફટાકડાનું કામ કરતા અનેક મજૂરો રહે છે. અનેક મકાનોમાં ફટાકડાનો સંગ્રહ પણ કરવામાં આવે છે.
આ પણ વાંચો ગરમીથી શેકાવવા માટે થઈ જાવ તૈયાર, રાજ્યના આ વિસ્તારોમાં કરાઈ હીટવેવની આગાહી