અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા

અરવલ્લી શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો છે. વધુ એક વાર એક સાગમટે સંખ્યાબંધ દુકાનાનો તાળા તસ્કરોએ તોડ્યા છે. તસ્કરોએ તાલુકા પંચાયત વિસ્તારમાં આવેલી દુકાનોમાં ત્રાટકીને તાળા તોડી ચોરી આચરી હતી. ઘટનાને પગલે મોડાસા શહેર પોલીસની ટીમ સ્થળ પર પહોંચીને તપાસ શરુ કરી હતી. તસ્કરોને શોધવા માટે સીસીટીવીની તપાસ પણ શરુ કરી હતી.

| Updated on: Apr 29, 2024 | 2:56 PM

અરવલ્લી જિલ્લામાં એક તરફ ચૂંટણી પ્રચારનો ગરમાવો વ્યાપી રહ્યો છે. આ દરમિયાન તસ્કરોએ પણ તરખાટ મચાવી દીધો છે. મોડાસા શહેરમાં આવેલ તાલુકા પંચાયત કચેરી વિસ્તારમાં આવેલ અમૂલ કોમ્પ્લેક્ષમાં તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ સાત જેટલી દુકાનને નિશાન બનાવી હતી અને જેમાંથી ચોરી આચરી હતી.

ઉમા શરાફી મંડળી, બ્યુટી પાર્લર, સ્પોર્ટ્સ, ગ્રાફિક્સ સહિતની દુકાનમાં ચોરી આચરી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યુ છે. તસ્કરોએ સીસીટીવીના ડીવીઆર અને રોકડ સહિત બાઇકની પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. મોડાસા શહેર પોલીસની ટીમ ઘટનાને પગલે સ્થળ પર દોડી આવી હતી.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">