PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરાયા

સાબરકાંઠા લોકસભા બેઠકના પ્રચાર માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી બુધવારે પહોંચશે. આ માટે થઈને સ્થાનિક ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. હિંમતનગર પાસે આવેલ ગઢોડા ગામની સીમ નજીક વિશાળ ડોમ સહિતના મેદાનને તૈયાર કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા સોશિયલ મીડિયા પર સભા રદ થઈ હોવાના મેસેજ વાયરલ કર્યા હતા.

| Updated on: Apr 29, 2024 | 2:51 PM

સાબરકાંઠા લોકસભા બેઠકનો ચૂંટણી પ્રચાર જોરશોરથી જોવા મળી રહ્યો છે. હવે રાષ્ટ્રીય સ્ટાર પ્રચારકો ગુજરાતમાં પ્રચારકાર્યને અંતિમ તબક્કામાં ધમધમાવી રહ્યા છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. નરેન્દ્ર મોદી આગામી 1, મેના રોજ સાબરકાંઠા લોકસભા બેઠક પર પ્રચાર સભા યોજનાર છે. પ્રચાર સભામાં મોટી સંખ્યા ઉપસ્થિત રહેવાની હોઈ વિશાળ સભા મંડપ તૈયાર કરવામાં આવી રહ્યો છે.

સભા સ્થળથી નજીકના અંતરે ચાર હેલિપૅડ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જ્યારે સમગ્ર કાર્યક્રમ માટે 50 હેક્ટર જગ્યામાં તૈયારીઓ શરુ કરી છે. વિશાળ પાર્કિંગથી લઈને બેઠક વ્યવસ્થાઓની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ દરમિયાન સીઆર પાટીલે સાબરકાંઠા બેઠક માટેના ચૂંટણી પ્રચાર દરમિયાન બેઠક યોજતા 1.23 લાખ લોકો ઉપસ્થિત રહેવાના લક્ષ્ય સાથે આયોજન ઘડવાની જવાબદારી તમામ ધારાસભ્યોને સૂચનાઓ આપી છે.

આ પણ વાંચો:  આ ગામે સમજી લીધી દરેક ટીંપાની ‘કિંમત’, મીટરના કાંટે અપાય છે પાણી, જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
નવસારીના એક આગવા વોટરમેન જેમણે 1500 ગામોની પાણીની સમસ્યાનો લાવ્યા ઉકેલ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
અંબાજીમાંથી મળતા વિશેષ પ્રકારના આરસપહાણ માર્બલને પ્રાપ્ત થયો GI ટેગ
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
હવે અમદાવાદની શાળાઓ બહાર સુરક્ષાકર્મીઓ રહેશે તૈનાત- Video
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
અમદાવાદમાં પ્રહલાદનગરમાં આવેલી કોમર્સ હાઉસ 4માં 9મા માળે લાગી આગ
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
રાજકોટના જીયાણામાં પૂર્વ સરપંચે સળગાવ્યુ મેલડીમાતાનું મંદિર
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
પોઈચા ફરવા આવેલા 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ડૂબ્યાં
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
Narmada : કમોસમી વરસાદથી કેળા,પપૈયા અને કેરીનો પાક થયો બરબાદ
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
કરા સાથેના કમોસમી વરસાદે સર્જી તારાજી, વીજળી પડવાથી બેના મોત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
આ રાશિના જાતકોની આજે ધન-સંપત્તિમાં વધારો થવાના સંકેત
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
CBSEમાં આ વર્ષે પણ દીકરીઓએ માર્યુ મેદાન, 94.75% છોકરીઓ થઈ પાસ
g clip-path="url(#clip0_868_265)">