17 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 76મો જન્મદિવસ, જન્મ સ્થળ વડનગર સહીત દેશભરમાં અનેક કાર્યક્રમો
Gujarat Live Updates આજ 17 સપ્ટેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
PM મોદી જન્મદિવસથી દેશમાં સેવા અને જનકલ્યાણ અભિયાનની શરૂઆત
PM મોદીનો આજે જન્મ દિવસ છે. આજથી દેશમાં સેવા અને જનકલ્યાણ અભિયાનની શરૂઆત કરાશે. 3 ઓક્ટોબર સુંધી સેવા સપ્તાહની ઉજવણી કરાશે. વડનગરથી વારાણસી યાત્રાનો આજે થશે પ્રારંભ. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ કરાવશે પ્રારંભ. સવારે 9.30 કલાકે શર્મિષ્ઠા તળાવ પહોંચશે અમિત શાહ. શર્મિષ્ઠા તળાવ એ આરતી કરશે. આરતી બાદ અમિત શાહ જાહેર સભાને કરશે સંબોધન. શર્મિષ્ઠા તળાવ ઘાટ પર કળશમાં જળ ગ્રહણ કરશે શર્મિષ્ઠા તળાવથી શહેરમાં થઈને પદયાત્રા થકી હાટકેશ્વર મંદિર પહોંચશે.હાટકેશ્વર મંદિરે દર્શન કરી બાઇકર્સ ને લીલી ઝંડી આપશે. લીલી ઝંડી બાદ રેલવે સ્ટેશન સ્વચ્છતા અભિયાન માં સહભાગી થશે, શ્રમ દાન કરશે. મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે તથા કેન્દ્રીય મંત્રી અનુપ્રિયા પટેલ પણ ઉપસ્થિત રહેશે.
-
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજે 76મો જન્મદિવસ, જન્મ સ્થળ વડનગર સહીત દેશભરમાં અનેક કાર્યક્રમો
આજે 17 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ છે. પીએમ મોદીના જન્મદિવસે, ભારતીય જનતા પાર્ટી દ્વારા દેશભરમાં અનેક કાર્યક્રમોનુ આયોજન કરવામા આવ્યુ છે. મોદીના જન્મસ્થળ વડનગરમાં શર્મિષ્ઠા તળાવ ખાતે, મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
-
આજે 17 સપ્ટેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Sep 17,2026 7:27 AM
