AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : PF કવરેજ માટે પગારની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરાઈ

કેન્દ્રીય કેબિનેટે પ્રોવિડન્ટ ફંડ (PF)ના કવરેજ માટે માસિક પગારની મર્યાદા રૂપિયા 15,000 થી વધારીને રૂપિયા 25,000 કરવાની મંજૂરી આપી છે, જેનાથી કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષાનો વ્યાપ નોંધપાત્ર રીતે વધશે.

Breaking News : કેન્દ્ર સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય : PF કવરેજ માટે પગારની મર્યાદા રૂ. 15,000 થી વધારીને રૂ. 25,000 કરાઈ
| Updated on: Sep 16, 2026 | 5:19 PM
Share

કર્મચારીઓને મોટી રાહત આપતા પગલા રૂપે, કેન્દ્ર સરકારે PF કવરેજ માટે માસિક પગારની મર્યાદા રૂપિયા 15,000 થી વધારીને રૂપિયા 25,000 કરવાની મંજૂરી આપી છે. આનાથી મોટી સંખ્યામાં કર્મચારીઓ PF અને સામાજિક સુરક્ષાના દાયરામાં આવશે. PF કવરેજની મર્યાદા વધારવાનો અર્થ એ છે કે હવે રૂપિયા 25,000 સુધીનો મૂળભૂત પગાર (બેઝિક સેલરી) ધરાવતા કર્મચારીઓ માટે PF અને પેન્શન (EPS)ની કપાત ફરજિયાત બની જશે.

કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવના જણાવ્યા અનુસાર, આ નિર્ણય કર્મચારીઓને વધુ સારી સામાજિક સુરક્ષા અને નાણાકીય સ્થિરતા પ્રદાન કરશે. સરકારના અંદાજ મુજબ, આ ફેરફારને કારણે વાર્ષિક આશરે રૂપિયા 11,339 કરોડનો વધારાનો ખર્ચ થશે. સરકાર માને છે કે સામાજિક સુરક્ષાના દાયરાને વિસ્તારવાથી કર્મચારીઓને લાંબા ગાળે ફાયદો થશે અને કંપનીઓને કર્મચારીઓને જાળવી રાખવામાં (employee retention) પણ મદદ મળી શકે છે.

મર્યાદામાં વધારાની અસર સરળ શબ્દોમાં સમજો

સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ કર્મચારીનો મૂળભૂત પગાર અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કૂલ રૂપિયા 25,000 કે તેથી ઓછું હોય, તો કંપની માટે તેમને EPF યોજના હેઠળ સામેલ કરવા ફરજિયાત રહેશે. બીજી તરફ, જો કર્મચારીનો મૂળભૂત પગાર અને DA રૂપિયા 25,000 થી વધુ હોય અને તેઓ પ્રથમ વખત નોકરીમાં જોડાઈ રહ્યા હોય, એટલે કે તેઓ અગાઉથી EPF સભ્ય ના હોય તો તેમના માટે EPFમાં જોડાવું ફરજિયાત રહેશે નહીં. આવા કર્મચારીઓ પાસે EPF પસંદ કરવું કે નહીં તે નક્કી કરવાનો વિકલ્પ રહેશે.

ફરજિયાત યોગદાન માટે પગારની મર્યાદા રૂ. 15,000 પર યથાવત

અહીં એક મહત્વપૂર્ણ બાબત નોંધવી જરૂરી છે કે, ફરજિયાત EPF યોગદાન માટે પગારની મર્યાદા ₹15,000 પર જ યથાવત રહેશે. આનો અર્થ એ છે કે કંપની અને કર્મચારી બંને તરફથી થતું ફરજિયાત EPF યોગદાન માત્ર ₹15,000 સુધીના પગારના આધારે જ ગણવામાં આવશે. ઉદાહરણ તરીકે, જો કોઈ કર્મચારીનો મૂળ પગાર (basic salary) અને મોંઘવારી ભથ્થું (DA) મળીને કુલ ₹20,000 થતા હોય, તો EPFમાં નોંધણી કરાવવી ફરજિયાત બની જાય છે; જોકે, ફરજિયાત ફાળાની ગણતરી માત્ર ₹15,000ની મર્યાદા સુધી જ કરવામાં આવે છે.

જો કોઈ કર્મચારીનો મૂળ પગાર અને DA મળીને કુલ ₹30,000 થતા હોય અને તેઓ અગાઉથી EPFના સભ્ય ન હોય, તો નવી નોકરીમાં EPFમાં જોડાવું ફરજિયાત નથી; તેઓ સ્વેચ્છાએ તેમાં જોડાઈ શકે છે. આમ, ₹25,000ની નવી મર્યાદાની મુખ્ય અસર EPF હેઠળ આવરી લેવા માટેની પાત્રતા પર પડે છે, જ્યારે ફરજિયાત ફાળા માટેની મર્યાદા ₹15,000 જ રહે છે.

Breaking News: સોના-ચાંદીની ખરીદી પર 2 મોટા નિયમો બદલાયા, તમારા ખિસ્સા પર આની શું અસર પડશે?

Follow Us
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
ઓનલાઇન પેમેન્ટ ચાર્જથી રોકડ વ્યવહાર ફરી વધશે, વેપારીઓ ચિંતિત
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
વટ પાડવા મનપાની કાર લઈ સાયરન વગાડતા મહારાષ્ટ્રમાં પહોચ્યાં ડે. મેયર
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
પાણીથી ભરેલી ખાડીમાં કાર ફસાઈ, 4 મિત્રોનો આબાદ બચાવ
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
રાજકોટમાં આજથી 6 દિવસનો પાણીકાપ લાગુ થતાં ગૃહિણીઓની ચિંતા વધી ! Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના ‘જેલ ભજીયા હાઉસ’ને અપાયો નવો ‘હેરિટેજ લૂક’, જુઓ Video
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
અમદાવાદના સાણંદ પંથકમાં ફરી દીપડાની દહેશત
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
બોટ અકસ્માતમાં 12 માછીમારોને દરિયામાંથી સલામત બચાવાયા
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
ભારે વરસાદની શક્યતા નહિવત, જાણો તમારા જિલ્લામાં કેવુ રહેશે વાતાવરણ
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
12 રાશિઓમાંથી કોનું ભાગ્ય ચમકશે? નોકરી, વેપાર અને પૈસાની સ્થિતિ જાણો
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
સુરતમાં માછીમાર સમાજે તાપી નદીની વચ્ચોવચ્ચ વિઘ્નહર્તાનું કર્યુ સ્થાપન
g clip-path="url(#clip0_868_265)">