7 ઓક્ટોબરના મહત્વના સમાચાર : ગુજરાત ATS અને NCB દિલ્હીનું એક મોટું ઓપરેશન, ભોપાલથી પકડ્યુ 1800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ
આજે 07 ઓક્ટોબરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..
LIVE NEWS & UPDATES
-
વડોદરા: PMની સંભવિત મુલાકાતને લઇ પાલિકા લાગ્યું કામે
વડોદરા: PMની સંભવિત મુલાકાતને લઇ પાલિકા કામે લાગ્યું છે. ખોડિયારનગરથી એરક્રાફ્ટ કેરિયરના રસ્તા પર બ્લોક હટાવાયા છે. રસ્તા પર પથરાયેલા પેવર બ્લોક હટાવવાની કામગીરી થઇ રહી છે. ફરી ઉપયોગમાં આવી શકે તેવા પેવર બ્લોક ઉખાડી દેવાયા છે. અધિકારીઓએ રસ્તા સહિતનું સમારકામ હાથ ધર્યું છે.
-
બનાસકાંઠા: અંબાજી ધામમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ
બનાસકાંઠા: અંબાજી ધામમાં ચાચર ચોકમાં ગરબાની રમઝટ જામી હતી. માતાના સાનિધ્યે ગરબા રમવા શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળ્યો. શ્રદ્ધાળુઓના સાગર સામે ચાચર ચોક જાણે નાનો પડ્યો. મંદિર દેવસ્થાન ટ્રસ્ટ, નવયુગ પ્રગતિ મંડળ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યુ છે. પંચમ ગ્રુપના સથવારે ચાચર ચોકમાં ખેલૈયાઓ ગરબે ઘૂમ્યા. અંબાજીના સ્થાનિકો ઉપરાંત શ્રદ્ધાળુઓ પણ ગરબામાં જોડાયા હતા.
-
-
ગુજરાત ATS અને NCB દિલ્લીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું
મધ્યપ્રદેશની રાજધાની ભોપાલ જઈને ગુજરાત ATS અને NCB દિલ્લીએ એક મોટું ઓપરેશન પાર પાડ્યું. પાડોશી રાજ્યમાં જઈને ATSએ 1800 કરોડથી વધુની કિંમતનું ડ્રગ્સ પકડ્યું છે.. ચૂપચાપ ફેક્ટરીમાં ડ્રગ્સ બનતું હતું અને આસપાસ કોઈને ખ્યાલ જ ન હતો. મધ્યપ્રદેશની પોલીસ તો ઉંઘતી જ ઝડપાઈ, પરંતુ ગુજરાતની પોલીસે કમાલ કર્યો. દરોડામાં 907.019 કિલોગ્રામ MDMA એટલે કે લિક્વિડ અને સોલિડ ફોર્મમાં જથ્થો જપ્ત કર્યો.
-
ભાવનગર: મહુવાના નિકોલબંધારામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત
ભાવનગર: મહુવાના નિકોલબંધારામાં ડૂબી જવાથી એક વ્યક્તિનું મોત થયુ છે. સ્થાનિક લોકો અને તરવૈયાઓએ મૃતદેહને બહાર કાઢ્યો છે. બંધાર પરથી પગ લપસી જતા યુવક પાણીમાં ડૂબ્યો હતો. ઘટનાની જાણ થતા જ મામલતદાર તેમજ પોલીસ અને 108 તાત્કાલિક દોડી આવી હતી.
ચેન્નઇમાં મોટી દુર્ઘટના બની છે. મરિના બિચ પર આયોજીત એર શોમાં દોડધામ મચતા 4ના મોત થયા છે, જ્યારે 250થી વધુ ઘાયલ થયા છે. આ કાર્યક્રમમાં 15 લાખ લોકો એકઠા થયા હતા. ગૃહપ્રધાન અમિત શાહ નક્સલ પ્રભાવિત 8 રાજ્યોની સમિક્ષા કરશે. કેન્દ્રીય પ્રધાનો પણ તેમાં હાજર રહેશે. મેઘાલયમાં મૂશળધાર વરસાદથી આફત સર્જાઇ છે. પૂર બાદ ભૂસ્ખલનથી 13ના મોત થયા છે. તો બેંગાલુરૂમાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ છે. ચોથા નોરતે જૂનાગઢના કેશોદ પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. તો ગીર પંથક ભારે વરસાદથી પાણી પાણી થયું છે. 7થી 15 ઓક્ટોબર દરમિયાન ‘વિકાસ સપ્તાહ’ની ઉજવણી કરવામાં આવશે. મોદી કાર્યકાળના 23 વર્ષ નિમિત્તે ગુજરાત સરકારે નિર્ણય લીધો. રાજ્ય સરકારના કર્મચારીઓને દિવાળી ભેટ મળી છે. 60 હજાર કર્મચારીઓને OPSનો લાભ મળશે. સરકારને 200 કરોડ રુપિયાનું ભારણ પડશે.