AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

04 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ઇસરોએ મધ્યરાત્રિએ ઇતિહાસ રચ્યો, દેશનું પ્રથમ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કર્યુ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 04, 2026 | 8:13 AM
Share

આજે 04 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

04 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ઇસરોએ મધ્યરાત્રિએ ઇતિહાસ રચ્યો, દેશનું પ્રથમ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કર્યુ

LIVE NEWS & UPDATES

  • 04 Sep 2026 08:13 AM (IST)

    મહેસાણા: અખબારમાં ખોરાક પીરસતી બે હોટલ સામે કાર્યવાહી

    મહેસાણા જિલ્લામાં ફૂડ વિભાગની ટીમોએ ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન ફતેપુરા બાયપાસ પર આવેલી માધવ રેસ્ટોરન્ટ અને પાલનપુર હાઈવે પર આવેલી માલગુડી ઇન સામે નિયમભંગ બદલ કાર્યવાહી કરવામાં આવી છે. બંને સ્થળે ખોરાકના રેપિંગ માટે અખબારનો ઉપયોગ થતો હોવાની બાબત સામે આવતા ફૂડ વિભાગે કાર્યવાહી કરી હતી. નિયમોનું ઉલ્લંઘન કરનારા એકમો સામે બે લાખ રૂપિયા સુધીના દંડની જોગવાઈ છે. સાથે જ પરવાના વિના ધંધો કરતા એકમો સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી ફૂડ વિભાગે આપી છે.

  • 04 Sep 2026 08:12 AM (IST)

    સુરતઃ પીપલોદ વિસ્તારમાં હોટલના પાર્સલમાંથી નીકળ્યો મૃત વંદો

    સુરતના પીપલોદ વિસ્તારમાં આવેલી રાધાકૃષ્ણ હોટલમાંથી મંગાવવામાં આવેલા પાર્સલમાંથી મૃત વંદો મળી આવ્યાની ફરિયાદ સામે આવી છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, ખોરાકનું પાર્સલ ખોલતા તેમાં મૃત વંદો જોવા મળ્યો હતો. ઘટનાને પગલે ગ્રાહકે સુરત મહાનગરપાલિકામાં ફરિયાદ નોંધાવી છે. હોટલના ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા સામે સવાલો ઉઠતા મનપાની ફૂડ વિભાગ દ્વારા મામલે તપાસ અને જરૂરી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

  • 04 Sep 2026 08:11 AM (IST)

    જામનગર: તહેવાર પર મીઠાઈ ખરીદતા પહેલા સાવધાન, કાજુ કતરીમાં ફૂગ નીકળ્યાનો દાવો

    જામનગરમાં તહેવારના સમયે મીઠાઈ ખરીદતા ગ્રાહકો માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ‘નટબટ કંપની’ની કાજુ કતરીમાં એક્સપાયર ડેટ પહેલાં જ ફૂગ નીકળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો છે. ગ્રાહકના જણાવ્યા મુજબ, ₹950 પ્રતિ કિલોના ભાવે ખરીદેલી કાજુ કતરી બગડેલી હોવાનું જણાતા તેમણે કંપનીમાં ફરિયાદ કરી હતી, પરંતુ યોગ્ય જવાબ ન મળ્યાનો આરોપ લગાવ્યો છે. ત્યારબાદ ગ્રાહકે ફૂડ શાખાને જાણ કરતાં અધિકારીઓએ આઉટલેટ પર કાર્યવાહી કરી હતી. તપાસ દરમિયાન આઉટલેટ પર વધુ બગડેલી કાજુ કતરીની પ્રોડક્ટ મળી હોવાની માહિતી સામે આવી છે. ઘટનાને પગલે તહેવારોમાં મીઠાઈ ખરીદતી વખતે પેકિંગ, ઉત્પાદન તારીખ અને એક્સપાયરી ડેટ ચકાસવાની જરૂરિયાત પર ભાર મૂકાયો છે.

  • 04 Sep 2026 07:52 AM (IST)

    ઇસરોએ મધ્યરાત્રિએ દેશનું પ્રથમ ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ કર્યું

    ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) એ ગુરુવારે મધરાતે ઈતિહાસ રચી દીધો. તેણે આંધ્રપ્રદેશના શ્રીહરિકોટાથી એડવાન્સ્ડ અર્થ ઓબ્ઝર્વેશન સ્પેસક્રાફ્ટ લોન્ચ કર્યું છે. ભૌગોલિક ભ્રમણકક્ષામાં આ દેશનો પ્રથમ ઇમેજિંગ ઉપગ્રહ છે. તેને જીએસએલવી રોકેટનો ઉપયોગ કરીને સ્પેસપોર્ટ પરથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું હતું. ઈસરોએ કહ્યું કે EOS-05 ઉપગ્રહને સ્પેસપોર્ટ પરથી ટેકઓફ કર્યાના લગભગ 18 મિનિટ પછી નિશ્ચિત સબ-જીઓસિંક્રોનસ ટ્રાન્સફર ઓર્બિટમાં સફળતાપૂર્વક મૂકવામાં આવ્યો હતો.

આજે 04 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો

Published On - Sep 04,2026 7:51 AM

Follow Us
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
આજનું રાશિફળ: આજે વિદ્યાર્થીઓને મળશે સફળતાના સંકેત, જાણો તમારું રાશિફળ
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
g clip-path="url(#clip0_868_265)">