03 એપ્રિલના મહત્વના સમાચાર : વાવ થરાદ જિલ્લામાં મોડી રાતે વરસ્યો કમોસમી વરસાદ, લાખણી, દિયોદર, થરાદ સહિતના તાલુકામાં પડ્યું માવઠું
આજે 03 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
LIVE NEWS & UPDATES
-
સોના-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાની આયાત પર સરકારે લાદયા નિયંત્રણ
સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાંની આયાત પર કડક નિયંત્રણ લાદ્યા છે. મુક્ત વેપાર સંધિ (FTA) નો દુરઉપયોગ અટકાવવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. મોતી, કિંમતી પથ્થર અને અન્ય કિંમતી ધાતુઓની હેરાફેરી પર પણ અંકુશ મુકાયો છે. એશિયાના દેશોમાંથી કરવામાં આવતી આયાતમાં ગડબડ થતી હોવાનું જાણવા મળ્યું છે. હવે સરકાર દ્વારા આયાત પ્રક્રિયાને વધુ પારદર્શક અને નિયમિત બનાવવામાં આવશે.
-
ઈરાનના B1 બ્રિજ પર હુમલાની ઘટનામાં અત્યાર સુધીમાં 8ના મોત
ઈરાનના B1 બ્રિજ પર આક્રમણમાં અત્યાર સુધીમાં 8 લોકોના મોત થયા છે, જ્યારે આશરે 95 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. બ્રિજ ઈરાનની આર્થિક અને સૈન્ય ગતિવિધિ માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવતો હતો. આ બ્રિજ ₹3800 કરોડના ખર્ચે બનેલું મિડલ ઈસ્ટનું સૌથી ઊંચું બ્રિજ છે. આ ઘટના બાદ ઈરાનમાં 2 હજારથી વધુ લોકોનું જીવન ગુમાવવાની દુઃખદ ખબર મળી છે.
-
-
સોના-ચાંદી અને પ્લેટિનમના ઘરેણાની આયાત પર સરકારે લાદયા નિયંત્રણ
સરકારે સોના, ચાંદી અને પ્લેટિનમના ઘરેણાં પર કડક નિયંત્રણ લાદ્યાં છે. મુક્ત વેપાર સંધિ (FTA) નો દુરઉપયોગ અટકાવવા માટે આ પગલું લેવાયું છે, જેમાં મોતી, કિંમતી પથ્થર અને અન્ય કિંમતી ધાતુઓ પણ સામેલ છે. એશિયાનાં દેશોમાંથી થયેલી આયાતમાં ગડબડ થતાં સરકારે હવે આયાત પ્રક્રિયામાં વધુ સુખાકારી અને પારદર્શિતા લાવવાનો નિર્ણય કર્યો છે.
-
મહારાષ્ટ્રઃ પુણે અચાનક જ ભારે વરસાદ ખાબક્યો
-
યુદ્ધ વચ્ચે અમેરિકી સેના પ્રમુખ રૈંડી જ્યોર્જનું રાજીનામું
-
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરીની મુલાકાત લેશે
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે પુડુચેરીની મુલાકાત લેશે, જ્યાં તેઓ સાંજે 4:30 વાગ્યે રોડ શો કરશે.
-
વાવ થરાદઃ જિલ્લામાં મોડી રાતે વરસ્યો કમોસમી વરસાદ
બનાસકાંઠા જિલ્લાના વાવ, થરાદ, લાખણી અને દિયોદર તાલુકામાં મોડી રાતે પડેલા કમોસમી વરસાદે ખેડૂતોમાં ચિંતાનું વાતાવરણ ઉભું કર્યું છે. અચાનક પડેલા માવઠાના કારણે ઉભી પાકને નુકસાન થવાની ભીતિ વધતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ખાસ કરીને રવિ પાક માટે આ વરસાદ અનુકૂળ ન હોવાથી ઉત્પાદન પર અસર પડશે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ખેડૂતો હવે આકાશ તરફ નજર રાખીને પાક બચાવવા માટે ચિંતિત દેખાઈ રહ્યા છે.
-
આજે 03 એપ્રિલને શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - Apr 03,2026 7:21 AM
