AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકારે પેટ્રોલ પંપ પર E5 અને E10 પેટ્રોલ કેમ બંધ કરી દીધા ? સામાન્ય વાહન ચાલકોના માઇલેજ અને ખિસ્સા પર કેવી પડશે અસર

ભારતમાં તમામ રાજ્યો માટે પેટ્રોલમાં 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ એટલે કે E20 ઇંધણ ફરજિયાત કરવામાં આવ્યું છે. આ નિર્ણયથી દેશની આયાત ભલે ઘટે પણ જૂની ગાડીઓ ચલાવતા કરોડો ગ્રાહકો પાસે ઓછો ઇથેનોલ વાળો વિકલ્પ ન હોવાથી એન્જિન બગડવાનો અને માઇલેજ ઘટવાનો મોટો ખતરો ઊભો થયો છે.

સરકારે પેટ્રોલ પંપ પર E5 અને E10 પેટ્રોલ કેમ બંધ કરી દીધા ? સામાન્ય વાહન ચાલકોના માઇલેજ અને ખિસ્સા પર કેવી પડશે અસર
Image Credit source: TV9 Network
| Updated on: Jul 04, 2026 | 2:45 PM
Share

પેટ્રોલ પંપ પર ગાડી ઉભી રહે છે અને તમે આરામથી પેટ્રોલ ભરાવી લો છો પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પેટ્રોલ બદલાવાથી તમારી ગાડી પર શું અસર થઈ રહી છે? સરકારે દેશભરમાં ઇથેનોલ બ્લેન્ડિંગ વાળું E20 પેટ્રોલ ફરજિયાત કરી દીધું છે. સરકારનું કહેવું છે કે તેનાથી ક્રૂડ ઓઈલની આયાત ઘટશે, પ્રદૂષણ ઓછું થશે અને ખેડૂતો મજબૂત બનશે. પરંતુ આ બધાની વચ્ચે કરોડો વાહન માલિકોના મનમાં એક જ સવાલ છે કે જો આ નવો ફેરફાર આટલો જ સારો છે તો બજારમાંથી જૂના અને સુરક્ષિત ગણાતા E5 કે E10 પેટ્રોલના વિકલ્પો કેમ ગાયબ કરી દેવામાં આવ્યા?

ગ્રાહકોને પોતાની ગાડીના એન્જિન પ્રમાણે ઇંધણ પસંદ કરવાનો અધિકાર હોવો જોઈએ. હાલમાં અનેક વાહન ચાલકો ફરિયાદ કરી રહ્યા છે કે E20 પેટ્રોલના કારણે તેમની ગાડીનું માઇલેજ ઘટી ગયું છે અને મેન્ટેનન્સનો ખર્ચ વધી ગયો છે. ખાસ કરીને જે ગાડીઓ એપ્રિલ 2023 પહેલા ખરીદવામાં આવી હતી તે આ નવા પેટ્રોલ માટે તૈયાર નથી.

ભારતની ઇથેનોલ સફર કેવી રહી

  • વર્ષ 2003: વાજપેયી સરકાર દરમિયાન 9 રાજ્યોમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે 5 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ (E5) શરૂ કરાયું હતું.
  • વર્ષ 2014 થી 2018: નવી બાયોફ્યુઅલ પોલિસી આવી અને ખાંડ મિલોને સીધા શેરડીના રસમાંથી ઇથેનોલ બનાવવાની મંજૂરી મળી.
  • વર્ષ 2021 થી 2022: સરકારે 20 ટકા બ્લેન્ડિંગનો ટાર્ગેટ વહેલો કર્યો અને ભારતે સમય પહેલા પેટ્રોલમાં 10 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગ (E10) નો લક્ષ્યાંક પૂરો કર્યો.
  • વર્ષ 2025 થી 2026: સરકારે સમય પહેલા 20 ટકા ઇથેનોલ બ્લેન્ડિંગનો ટાર્ગેટ હાંસલ કર્યો અને 1 એપ્રિલ 2026થી દેશભરમાં માત્ર E20 પેટ્રોલ વેચવું ફરજિયાત કરી દીધું. હવે ભવિષ્યમાં E25 અને E30 પેટ્રોલ લાવવાની તૈયારી છે.

દુનિયાના અન્ય દેશોમાં ગ્રાહકોને મળે છે વિકલ્પ

ઇથેનોલ વાપરવામાં દુનિયાના અન્ય દેશો ભારત કરતાં ઘણા આગળ છે પરંતુ તેઓ ગ્રાહકો પર નિયમો થોપતા નથી:

  • બ્રાઝિલ: અહીં ન્યૂનતમ મર્યાદા જ E27 પેટ્રોલી છે અને મોટાભાગની ગાડીઓ ફ્લેક્સ ફ્યુઅલ છે એટલે કે તે 100 ટકા ઇથેનોલ (E100) પર પણ ચાલી શકે છે. બ્રાઝિલે પહેલા ગાડીઓ ટેકનોલોજી ફ્રેન્ડલી બનાવી અને પછી ઇંધણ લાગુ કર્યું.
  • અમેરિકા: દુનિયાના આ સૌથી મોટા ઇથેનોલ ઉત્પાદક દેશમાં પણ સામાન્ય પેટ્રોલ પંપ પર E10 પેટ્રોલનો વિકલ્પ આજે પણ ઉપલબ્ધ રાખવામાં આવ્યો છે જેથી જૂની ગાડીઓને નુકસાન ન થાય.
  • થાઈલેન્ડ અને ફ્રાન્સ: આ દેશોમાં પણ E10 ની સાથે મોટું ઇથેનોલ બ્લેન્ડિંગ ધરાવતા ઇંધણો એકસાથે વેચાય છે જેથી વાહન ચાલકો પોતાની જરૂરિયાત મુજબ ખરીદી શકે.

ભારતમાં વિકલ્પ આપવો કેમ શક્ય છે

તેલ કંપનીઓ એવી દલીલ કરી શકે છે કે જો E5, E10 અને E20 બધા જ પેટ્રોલ સાથે વેચવામાં આવે તો અલગ સ્ટોરેજ અને સપ્લાય ચેન બનાવવી પડે જેથી ખર્ચ વધે. પરંતુ આ દલીલ યોગ્ય લાગતી નથી કારણ કે અત્યારે પણ બજારમાં સામાન્ય પેટ્રોલ સિવાય એક્સપી95, સ્પીડ કે પાવર જેવા પ્રીમિયમ હાઈ ઓક્ટેન પેટ્રોલ વેચાય જ છે જેના માટે કંપનીઓ અલગ વ્યવસ્થા રાખે જ છે. જો પ્રીમિયમ પેટ્રોલ માટે અલગ નોઝલ અને ટાંકી બની શકતી હોય તો સામાન્ય લોકોની જૂની ગાડીઓ બચાવવા માટે E5 કે E10 નો વિકલ્પ કેમ ન આપી શકાય?

ફ્રાન્સ જેવી કન્વર્ઝન કીટ ભારત માટે કેમ જરૂરી છે

જ્યારે ફ્રાન્સમાં ઇથેનોલનું પ્રમાણ વધારવામાં આવ્યું ત્યારે સરકારે જૂની ગાડીઓને કન્વર્ટ કરવા માટે ખાસ કન્વર્ઝન કીટને કાયદાકીય મંજૂરી આપી હતી. ભારતમાં પણ શુગર એન્ડ બાયો એનર્જી મેન્યુફેક્ચરર્સ એસોસિએશને આવી કીટનું ટેસ્ટિંગ કર્યું છે જે BS4 અને BS6 વાહનો માટે સફળ રહ્યું છે. જો સરકાર આ કીટનું સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારે અને કિંમત ઓછી રાખે, તો જૂની ગાડીઓ ધરાવતા કરોડો મધ્યમવર્ગીય પરિવારોને મોટું નુકસાન થતાં બચાવી શકાય તેમ છે.

3.6 કરોડ વાહનચાલકો વાપરે છે ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ, જાણો ફાયદા, નુકસાન અને સત્ય

Follow Us
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં સફળતાના યોગ, જુઓ રાશિફળ
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
દેવગઢ બારીયામાં DAP ખાતરની કાળા બજારીનો પર્દાફાશ, 400 થેલીઓ જપ્ત
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
મોટા સમાચાર: ગુજરાતમાં વાઘે પોતાની મુવમેન્ટની હદમાં કર્યો વધારો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
સુરત સિવિલ આપઘાત કેસમાં ડૉ અનુજ એ પોલીસ સમક્ષ કર્યો ચોંકાવનારો દાવો
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કાલોલમાં પાણીના સંપમાંથી અવારનવાર કેમ મળી રહ્યા છે 'પશુના હાડકાં'?
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
કચ્છના ખાવડામાં 3.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો
ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
ગુજરાતમાં શખ્સ પર બેસી ગઈ સિંહણ, આ રીતે બચાવ્યો પોતાનો જીવ
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
g clip-path="url(#clip0_868_265)">