AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : 3 જુલાઈથી PF ખાતાઓમાં જમા થશે 8.25 % વ્યાજ, કેટલું વ્યાજ આવ્યું છે તે કયાંથી, કેવી રીતે જાણી શકો

આવતીકાલ 3 જુલાઈથી, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ​​PF ખાતાઓમાં 8.25 % લેખે વ્યાજ જમા કરવાની પ્રક્રિયા શરૂ કરશે. આગામી 15 દિવસમાં આશરે 7 કરોડ સક્રિય પ્રોવિડન્ડ ફંડ ધારકોના ખાતાઓમાં વ્યાજ જમા કરવામાં આવશે. ખાતાધારકો કેટલું વ્યાજ મળ્યું છે તે કેવી રીતે અને ક્યાથી જોઈ કે જાણી શકે તે આ અહેવાલ થકી જાણો.

Breaking News : 3 જુલાઈથી PF ખાતાઓમાં જમા થશે 8.25 % વ્યાજ, કેટલું વ્યાજ આવ્યું છે તે કયાંથી, કેવી રીતે જાણી શકો
| Updated on: Jul 02, 2026 | 8:33 PM
Share

કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) હેઠળના પ્રોવિડન્ડ ફંડ ધારકોના સાત કરોડથી વધુ ખાતાધારકો માટે સારા સમાચાર છે. EPFO ​​આવતીકાલ 3 જુલાઈને શુક્રવારથી કર્મચારીઓના ભવિષ્ય નિધિ (PF) ખાતાઓમાં વાર્ષિક 8.25 ટકા લેખે વ્યાજ જમા કરવાનું શરૂ કરવા માટે તૈયાર છે. મીડિયા અહેવાલો અનુસાર, આગામી 15 દિવસમાં દેશભરમાં લગભગ 7 કરોડ સક્રિય ખાતાઓમાં વ્યાજની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે.

સરકારના આ નિર્ણયના પગલે, ખાસ કરીને એવા પીએફ ખાતાધારક કર્મચારીઓને નોંધપાત્ર રાહત મળશે, જેઓ તેમના PF ખાતાઓમાં નાણાકીય વર્ષ 2025-2026નું વ્યાજ જમા થવાની રાહ જોઈ રહ્યા છે. એકવાર વ્યાજ જમા થઈ ગયા પછી, ખાતાધારકો તેમની EPF પાસબુકમાં અપડેટેડ બેલેન્સ જોઈ શકશે.

2025-26 નાણાકીય વર્ષ માટે 8.25% વ્યાજ

EPFO એ 2025-26 નાણાકીય વર્ષ માટે કર્મચારી ભવિષ્ય નિધિ થાપણો પર વાર્ષિક 8.25% વ્યાજ દર નક્કી કર્યો છે. આ દરના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવશે અને બધા પાત્ર ખાતાઓમાં જમા રહેલી પ્રોવિડન્ડ ફંડની જમાં રકમ પર 8,25 ટકા લેખે વ્યાજ જમા કરવામાં આવશે. વ્યાજ સીધા ખાતાધારકોના PF ખાતામાં જમા કરવામાં આવશે, અને આ પ્રક્રિયા માટે કોઈ અરજી કરવાની જરૂર નથી.

બેલેન્સ કેવી રીતે તપાસવું

8.25 ટકા લેખે વ્યાજ જમા થઈ ગયા પછી, કર્મચારીઓ તેમના PF બેલેન્સને ઘણી રીતે ચકાસી શકે છે. અપડેટેડ બેલેન્સ સત્તાવાર EPFO ​​વેબસાઇટ, UMANG એપ્લિકેશન પર પાસબુક સેવા દ્વારા અથવા મિસ્ડ કોલ અને SMS સેવાઓ દ્વારા જોઈ અને જાણી શકે છે. જો કે, 8.25 ટકા વ્યાજ એકસાથે બધા જ પ્રોવિડન્ડ ફંડધારકના ખાતાઓમાં નહીં પહોંચે, તેથી કેટલાક ખાતાઓમાં વ્યાજની રકમ અપડેટ થવામાં થોડા દિવસો લાગી શકે છે.

કર્મચારીઓ માટે આ શા માટે મહત્વપૂર્ણ છે?

EPF ને કર્મચારીઓની લાંબા ગાળાની બચત માટે એક મુખ્ય વાહન માનવામાં આવે છે. કર્મચારી અને નોકરીદાતા બંને દ્વારા દર મહિને PF ખાતામાં ફાળો જમા કરવામાં આવે છે, અને EPFO ​​વાર્ષિક ધોરણે આ રકમ પર વ્યાજ ચૂકવે છે. વ્યાજનો ઉમેરો કર્મચારીઓની નિવૃત્તિ બચતમાં નોંધપાત્ર વધારો કરે છે અને ભવિષ્ય માટે મજબૂત નાણાકીય સુરક્ષા પૂરી પાડે છે. જો આગામી 15 દિવસમાં તમારા ખાતામાં વ્યાજની રકમ ના દેખાય, તો ગભરાવાની જરૂર નથી. EPFO ​​તબક્કાવાર રીતે બધા સક્રિય ખાતાઓમાં વ્યાજ જમા કરશે, તેથી અપડેટ થવામાં થોડો સમય લાગી શકે છે.

Breaking News : EPFOના નવા નિયમો લાગુ, શું PF વ્યાજ, 12% યોગદાન અને ઉપાડના નિયમોમાં કોઈ ફેરફાર થશે ?

Follow Us
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, સ્થાનિક નદીઓમાં આવ્યા નવા નીર
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
હવામાન વિભાગે સાંજના 7 વાગ્યા સુધી જાહેર કર્યું નાઉકાસ્ટ
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
નવજાત બાળકની માતા શકુંતલા વસાવાને હાઈકોર્ટમાંથી મળ્યા જામીન
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
અમેરિકામાં ગુજરાતી પરિવારના ત્રણ સભ્યોના કરૂણ મોત, જુઓ Video
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
5 સિસ્ટમ સક્રિય, દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદની આગાહી
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
માંજલપુર બેઠકની પેટાચૂંટણીની જાહેરાત, યોગેશ પટેલની ખાલી સીટ પર મતદાન
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
નવસારીમાં રસ્તાની વચ્ચો વચ પડ્યો મસ મોટો ભૂવો
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
મોતનો કૂવો બની ખુલ્લી ગટર, જુઓ CCTV ફૂટેજ
અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી, જુઓ Video
અમરેલીમાં ભ્રષ્ટાચારની પોલ ખૂલી, જુઓ Video
4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો
4 કલાકમાં 44 તાલુકામાં વરસાદ, સૂત્રાપાડામાં સૌથી વધુ 2.80 ઇંચ નોંધાયો
g clip-path="url(#clip0_868_265)">