AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dahod: પૌરાણિક કાળથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા એટલે “ગોળ ગધેડા “નો મેળો

ગોળ ગધેડાનો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ પામેલો મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં ખાડો ખોદી ઉભુ કરવામાં આવે છે. આશરે 25 થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની પોટલી બાંધવામાં આવે છે.

Dahod: પૌરાણિક કાળથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા એટલે ગોળ ગધેડા નો મેળો
Dahod: Tribal Swayamvara Mythological Tradition Gol Gadheda Melo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 9:10 PM
Share

Dahod: રાજા મહારાજાના શાસનથી ચાલી આવતી સ્વયંવરની પ્રથા જેને આદિવાસી સમાજ દ્વારા “ગોળ ગધેડા” ના નામથી આજે પણ જીવંત રાખી રહ્યા છે. જે મેળો ગોળ ગધેડાનો મેળાના ( Gol Gadheda Melo ) નામથી આજે પણ યોજાય છે. (HOLI) હોળીના તહેવાર બાદ છઠ્ઠા દિવસે અહીંના સ્થાનિક આદિવાસીઓ (Tribal) આ પરંપરાને ઉજવે છે.

ગરબાડા તાલુકાના જેસાવાડા ગામે, ધાનપુર ગામે એમ અનેક તાલુકામાં આ ગોળ ગધેડાના મેળાનું આયોજન થાય છે. અને આ મેળામાં હજારોની સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડે છે. આ મેળાને જોવા દાહોદ જિલ્લાના લોકો સહિત આસપાસના રાજ્યોના મધ્ય પ્રદેશ, રાજસ્થાન તેમજ અન્ય જિલ્લાના લોકો આવે છે. ઐતિહાસિક મહત્વ ધરાવતા અને પ્રાચિનકાળના સ્વયંવર પ્રથાને ઉજાગર કરતાં વિશ્વ પ્રસિદ્ધ દાહોદ જિલ્લામાં નો જેસાવાડાનો ગોળ ગધેડાનો મેળો ગુજરાત સહિત દેશમાં આગવી ઓળખ છે. પરંપરાગત ચાલતો મેળો આજે પણ પોતાની સંસ્કૃતિ જાળવવા માટે યોજવામાં આવે છે.

ગોળ ગધેડાનો આ મેળો વિશ્વ પ્રસિદ્ધ પામેલો મેળો ગણાય છે. મેળામાં સીમળાના થડને છોલી એકદમ લીસુ બનાવી જમીનમાં ખાડો ખોદી ઉભુ કરવામાં આવે છે. આશરે 25 થી 30 ફૂટ ઉંચા થડની ટોચે ગોળની પોટલી બાંધવામાં આવે છે. આ ઝાડના થડની આજુબાજુ આદિવાસી સમાજની કુંવારી કન્યાઓ સાંસ્કૃતિક લોકગીતો ગાતા ગાતા ઢોલના તાલે નાચ ગાન કરે છે. અને હાથમાં લીલી નેતરની સોટી લઈ ગોળ ગોળ ફરતી રહે કે કોઈ યુવક આ પોટલી લેવા ઉપર ન ચઢે અને જે યુવક પોટલી લેવા ચઢે તેને સોટીઓ વડે માર મારી નીચે પાડવાની કોશિશ કરાય છે. થડની આસપાસ ગોળગોળ ફરતી યુવતીઓ આ યુવાનોને સોટીથી મારી ઉપર ચઢતા રોકતી હોય છે.

કહેવાય છે કે, જે યુવાન ઉપર ચઢવામાં સફળ રહે તે યુવાન નીચે ધુમતી યુવતીઓ પૈકી તેને ગમે તે યુવતી સાથે લગ્ન થતા હતા. પણ હવે આજના આધુનિક યુગમાં ધીમે ધીમે આ પ્રથામાં બદલવામાં આવી છે. હવે આ પ્રથા માત્ર બોલવા અને સાંભળવા જેટલીજ રહી ગઈ છે. અને માત્ર ઔપચારિકતા અને મનોરંજનીય બાબત બનવા પામી છે.તેમ છતાં મેળો પોતાનું આગવું મહત્વ જાળવી રાખવામાં આજે પણ યથાવત છે. મેળામાં આજે પણ જુની જે પ્રથા ચાલતી હતી. તેને આદિવાસી સમાજ દ્વારા જીવંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા છે. આ મેળામાં આદિવાસી સમાજની આગવી ઓળખ એવા પોતાનો પહેરવેશ સાથે ઢોલ નગારા વગેરે વાંજિત્રો સાથે મેળામાં મોટી સંખ્યામાં ઉમટી પડે છે અને મેળાનો આનંદ માણતા હોય છે.

આ પણ વાંચો : અમુલ ડેરીમાં મિલ્ક ડેની ઉજવણીઃ ડેરીના પૂર્વ ડિરેક્ટરના વિચારનો તાલુકા મથકોએ અમલ કરાશે

આ પણ વાંચો : Surat : બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓને અગવડતા ન પડે તે માટે મનપામાં મિટિંગ યોજાઈ

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">