Bhavnagar : સરકારે પ્લોટના ભાવ વધારતા મંદીમાં સંપડાયેલો અલંગનો શિપ બ્રેકીંગ ઉદ્યોગ પડી ભાંગશે

Bhavnagar : અલંગના શિપ બ્રેકીંગ ઉદ્યોગમાં વિદેશમાંથી પણ જહાજ આવે છે. પરંતુ કોરોના મહામારીને કારણે આ ઉદ્યોગમાં ભારે મંદી આવી ગઈ છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા ચાર્જમાં વધારો કરવામાં આવ્યો છે.

Bhavnagar : સરકારે પ્લોટના ભાવ વધારતા મંદીમાં સંપડાયેલો અલંગનો શિપ બ્રેકીંગ ઉદ્યોગ પડી ભાંગશે
અલંગ શિપ બ્રેકીંગ ઉદ્યોગ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 29, 2021 | 9:54 AM

Bhavnagar : ભાવનગરના અલંગમાં જહાજ ભાંગવાનો ((alang ship-breaking industry) વ્યવસાય વિશ્વ વિખ્યાત છે. પરંતુ છેલ્લા ઘણા સમયથી આ ઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. ભાવનગર માટે અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગને કરોડરજ્જુ ગણવામાં આવે છે. ત્યારે અલંગના શિપબ્રેકિંગ ઉદ્યોગનો વધુ વિકાસ કરવા કેન્દ્ર સરકાર પગલાં લઈ રહી છે. તો બીજી તરફ કોરોના કાળમાં, આ ઉદ્યોગને પ્રોત્સાહન આપવાની બદલે રાજ્ય સરકારે પ્લોટ ચાર્જમાં અઢીથી ત્રણ ગણો વધારી કરી દીધો છે.

અલંગના દરેક શિપબ્રેકર પોતાના પ્લોટમાં જહાજ ભાંગે કે ના ભાંગે આમ છતાં દરેક વર્ષે 40 થી 55 લાખ રૂપિયા સરકારમાં જમા કરાવવા જ પડે તેવી નોબત આવી ઉભી થવા પામી છે. જેને લઈને આ શિપબ્રેકીંગ ઉદ્યોગ મૃતપાય અવસ્થા તરફ જઇ શકે છે.

કેન્દ્ર અને રાજ્યમાં એક જ રાજકીય પક્ષની સરકાર હોવા છતાં શિપબ્રેકિંગ ઉદ્યોગ પ્રત્યેના વલણમાં જમીન-આસમાનનો ફરક જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બજેટ 2021માં નાણામંત્રી અલંગમાં બ્રેકીંગની ક્ષમતા વર્ષ 2024 સુધીમાં બમણી કરવાની ઘોષણા કરી છે. તે પ્રમાણે કેન્દ્ર સરકારે કામગીરી પણ આરંભી છે. તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા વાર્ષિક ફિક્સ ચાર્જમાં રી મેનજરમેન્ટ પ્રમાણે ચાર્જ વધારવામાં આવેલ છે. જેને લઈને અગાઉની સરખામણીએ હવે અઢીથી ત્રણ ગણા વધારે ચાર્જ ચુકવવાનો રહેશે.

આજનું રાશિફળ તારીખ : 24-04-2024
લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય

વર્ષ 2006માં શિપબ્રેકિંગ ઉદ્યોગ આર્થિક કટોકટીમાં હતો ત્યારે તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લોટ દિઠ ચાર્જ સ્કવેર મીટર દીઠ 270 હતો તેમાંથી 200 કરી આપ્યા હતા. ત્યારે રાજ્ય સરકાર અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગના વિકાસમાં રોડાં નાખી રહી છે. ભાવનગર જિલ્લાના નાગરિકો એવી પણ ચર્ચા થઈ રહી છે કે કેન્દ્ર સરકાર પ્રોત્સાહન આપે છે તે અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગને ભાવનગરના જિલ્લાની કરોડરજ્જુ સમાન છે તેને ભાંગી નાખવાની મેલી મુરાદ રાજ્ય સરકાર ધરાવે છે.

અલંગ શિપબ્રેકિંગ ઉદ્યોગમાં પાણી અને ડિસ્ચાર્જ પણ પ્રતિ સ્ક્વેર મીટર પ્રમાણે વસૂલવામાં આવે છે તે અન્યાયી છે. આ ચાર્જીસ તો ફિક્સ હોવો જોઈએ તેને લંબાઈ-પહોળાઈ સાથે શું લેવાદેવા હોઇ શકે, હાલ પરિસ્થિતિ એવી ઊભી થઈ છે કે શિપબ્રેકર કોઈ જહાજ પ્લોટમાં ભાંગે કે ન ભાંગે પણ વર્ષે 40 થી 55 લાખ રૂપિયા તો ભરવા જ પડે છે.

અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ હાલમાં કોરોના અને મંદી બન્નેનો સામનો કરી રહ્યો છે. 150 પ્લોટમાંથી 75 પ્લોટ માંડ કાર્યરત છે. ત્યારે આટલી ખરાબ પરિસ્થિતિમાં સરકારે પ્રોત્સાહન આપવી જોઈએ રાહત આપવી જોઈએ. આ ઉદ્યોગને લઈને સમગ્ર ભાવનગર જિલ્લામાં અનેક લોકોને રોજગારી મળી રહી છે ત્યારે અલંગ શિપબ્રેકીંગ ઉદ્યોગ માટે રાજ્ય સરકારે ગંભીરતાથી વિચારવાની જરૂર છે.

Latest News Updates

રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
રાજ્યમાં ત્રણ દિવસ બાદ ફરી વધશે ગરમીનું જોર
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
આ ચાર રાશિના જાતકોને નોકરીમાં મળશે પ્રમોશન
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
g clip-path="url(#clip0_868_265)">