આ ગામના સરકારી ચોપડે માણસોની સાથે સાથે શ્વાનના નામે પણ છે કરોડોની જમીન, જાણો તે ગામ વિશે

200થી વધુ શ્વાનઓ સામૂહિક રીતે 26 વીઘા જમીન ધરાવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોમાં આ જમીનની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે, પરંતુ ગ્રામજનો કોઈને તેની કિંમત લગાવવા દેતા નથી. ગુજરાતના કરોડપતિ શ્વાન છે. ગ્રામજનો માટે, આ પ્રાણીઓની સેવા કરવી એ એક ફરજ છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે.

આ ગામના સરકારી ચોપડે માણસોની સાથે સાથે શ્વાનના નામે પણ છે કરોડોની જમીન, જાણો તે ગામ વિશે
Follow Us:
| Updated on: Jun 14, 2024 | 7:50 PM

ગુજરાતમાં કુશ્કલ નામના ગામમાં શ્વાન ખૂબ પ્રખ્યાત છે અને આ માટે એક મુઘલ નવાબ જવાબદાર હતો. બનાસકાંઠા જિલ્લાના શ્વાન પાસે જમીન છે, તેમને ખોરાક માટે સંઘર્ષ કરવો પડતો નથી અને ગ્રામજનો તેમની સારી સેવા કરે છે. તે ગુજરાતના કરોડપતિ શ્વાન છે. ગ્રામજનો માટે, આ પ્રાણીઓની સેવા કરવી એ એક ફરજ છે જે પેઢી દર પેઢી ચાલી આવે છે.

કુશ્કલમાં લગભગ 200 શ્વાન છે. ગ્રામજનો માટે ભસવું, અવાજ કરવો એ નોર્મલ અવાજો બની ગયા છે. પરંતુ જ્યારે તમારી પાસે ઓછામાં ઓછી 2.5 કરોડની કિંમતની 26 વીઘા જમીન હોય ત્યારે આ પ્રકારનું વર્તન વ્યાજબી છે.

શ્વાન પાંચથી છની ગેંગ માં ફરે છે. 14 વર્ષની કિંજલ કહે છે કે તે કાલુ ગેંગનો એક ભાગ છે, કારણ કે તેણી એક કાળા રખડતા શ્વાનને સંભાળે છે જે તેના સ્નેહ માટે આતુરતાથી રાહ જોવે છે. તેણીએ તેના માતાપિતા અને ગામના વડીલોને જોઈને શ્વાનની સંભાળ કેવી રીતે રાખવી તે શીખી છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

ગામના વડીલે કહે છે કે આ ગામમાં કોઈ શ્વાન ભૂખ્યો નથી સૂતો, બહાર, એક શ્વાન ગરમીમાં પડેલો છે. જ્યારે અમે બાળકો હતા, ત્યારે અમે અમારા માતા-પિતા અને દાદા-દાદીને શ્વાનની સંભાળ લેતા જોયા હતા, અને હવે અમે તે જ કરી રહ્યા છીએ. અમે તેમને ખીચડી, રોટલી અને દૂધની બનાવટો ખવડાવીએ છીએ. આ અસામાન્ય ગામમાં, તે શ્વાનોની માલિકીની જમીન છે જે ધ્યાન આકર્ષિત કરે છે, તેમજ ગ્રામજનોની તેમના પ્રત્યેની નિષ્ઠા પણ જોવા મળે છે.

કુશ્કલના જમીનદાર શ્વાન

ગામની બહાર રોડને અડીને આવેલી 26 વીઘા જમીનમાં 200થી વધુ શ્વાનો સામૂહિક રીતે માલિકી ધરાવે છે. આ જમીન ‘સમસ્ત ગાંવ શ્વાનની’ સમિતિના નામે નોંધાયેલી છે, જે શ્વાનોના કલ્યાણની દેખરેખ રાખે છે.

કમિટીના 12 સભ્યો પોતાને જમીનના માલિક નહીં, પરંતુ કસ્ટોડિયન માને છે. તેઓ પશુ આહાર અને જમીનની ખેતી સંબંધિત નિર્ણયો લે છે. જીતભાઈ કહે છે કે, આપણે કહી શકીએ કે અમારા ગામના શ્વાન કરોડપતિ છે.

80 વર્ષીય રમેશ પટેલ કહે છે કે જમીન પર શ્વાનોની માલિકી ઓછામાં ઓછી 250-300 વર્ષ જૂની છે. ગામના લોકો પાસે શ્વાનોને ખવડાવવા માટે સંસાધનો નહોતા, તેથી તેઓ મદદ માટે નવાબ તાલિબ મોહમ્મદ ખાનનો સંપર્ક કર્યો હતો. ઉકેલ તરીકે, નવાબે તેમને શ્વાનો રાખવા માટે જમીનનો ટુકડો આપ્યો હતો.

એક શ્વાન આંગણામાં પ્રવેશે છે. તે ન તો ભયભીત છે કે નર્વસ, પરંતુ તે પ્રાણીની જેમ આત્મવિશ્વાસ સાથે ચાલે છે જે જાણે છે કે તે હંમેશા તેને આવકાર જ મળવાનો છે. આ મિલકતની કિંમત વર્ષોથી વધી છે, ખાસ કરીને ગામ નજીક બાયપાસ રોડ બનાવ્યા પછી. જમીન પર શ્વાનઓને જવાની મંજૂરી છે, પરંતુ મોટાભાગે તે ગામમાં જ રહે છે.

ગામના સરપંચ રમેશ ભગત કહે છે કે કોઈ આ જમીનનો દુરુપયોગ કરવાનું વિચારી પણ ન શકે. આમ કરવું એ પાપ ગણાશે અને અહીં દરેક વ્યક્તિ ભગવાનનો ડર રાખે છે

પરંતુ સ્થાનિક વહીવટીતંત્રને એવો કોઈ ડર નથી કારણ કે તેઓએ જમીન ખરીદવાનો પ્રયાસ કર્યો હતો. સરપંચે જણાવ્યું હતું કે, 20 વર્ષ પહેલાં, એક કલેક્ટરે આ જમીન માટે અમારો સંપર્ક કર્યો હતો. તે ઈચ્છતા હતા જમીન ખરીદવાનું, પરંતુ અમે સ્પષ્ટપણે તેમની ઓફર નકારી કાઢી હતી કારણ કે આ જમીન ધાર્મિક હેતુઓ માટે છે, શ્વાનો માટે છે. અમે આ જમીન સરકારને કેમ આપી દઈએ. જ્યારે લોકો જમીનની કિંમત નક્કી કરવાનો પ્રયાસ કરે છે ત્યારે ગામના લોકો ગુસ્સે થઈ જાય છે.

સારી સંભાળ માટે બોરવેલ

ગામના લોકો વ્યવહારુ છે અને જમીનને બરબાદ થવા દેતા નથી. દર વર્ષે ખેડૂતો તેના પર ખેતી કરવા માટે બોલી લગાવે છે. સૌથી વધુ બોલી લગાવનારને પાક ઉગાડવાની પરવાનગી મળે છે અને પૈસા કુશ્કલમાં શ્વાનોના કલ્યાણ માટે સ્થાપિત ટ્રસ્ટમાં જાય છે.

ચોમાસાની અનિશ્ચિતતાને કારણે ગામમાં સારા પાકની કોઈ ગેરંટી નથી. પાક નિષ્ફળ જવું સામાન્ય બાબત છે કારણ કે ખેડૂતો સંપૂર્ણપણે વરસાદ પર નિર્ભર છે. ગામના રહેવાસીએ કહ્યું કે, ગામમાં પાણીની સમસ્યા છે અને કેટલીકવાર ખેડૂતો પોતાનો ખર્ચ પણ ઉઠાવી શકતા નથી. પરંતુ મુશ્કેલ સમયમાં દરેક મદદ માટે આગળ આવે છે.

સરપંચ બોરવેલ લગાવવાનું આયોજન કરી રહ્યા છે જેથી જમીનમાં વર્ષમાં ઓછામાં ઓછા ત્રણ વખત ખેતી કરી શકાય. અમને મળેલા પૈસાનો ઉપયોગ શ્વાનઓ માટે આશ્રયસ્થાન બનાવવા માટે કરી શકીએ છીએ અને બાકીનો ઉપયોગ ગાયો માટે ઘાસચારો ખરીદવા માટે કરી શકીએ છીએ. અત્યારે જમીનનો સંપૂર્ણ ઉપયોગ થઈ રહ્યો નથી. સમિતિ બોરવેલ માટે ચૂકવણી કરશે,

મહિલાઓનું કામ

શ્વાન ગામની યોજનાઓથી અજાણ છે. જેમ જેમ સૂર્ય અસ્ત થવા માંડે છે, ત્યારે કેટલાક શ્વાન ગામના ચોકમાં જાય છે. અહીં પ્રાણીઓ મોટા પાંજરામાં ખોરાક ખાય છે. શ્વાન માટે ખોરાક બનાવવો એ ગ્રામ્ય જીવનનો અભિન્ન ભાગ છે. દરરોજ, ગામમાં એક પરિવાર પાંચ કિલો બાજરી અથવા ઘઉંના લોટની રોટલા-રોટલી બનાવે છે અને પછી શ્વાનોને ખવડાવવા જાય છે.

આ કામ સ્ત્રીઓ પર આવે છે. બહેનો માટીના ચૂલા પર રોટલા બનાવવામાં બે કલાક વિતાવે છે. તેમ આ બનાવવાની સામગ્રી જનરલ ફંડમાંથી ખરીદી કરે છે.

આ કામ માટે તેમણે તેની બપોરની ઊંઘ છોડવી પડે છે, પરંતુ તે ફરિયાદ કરતી નથી. સૌ પ્રથમ તે ચૂલો સળગાવે છે અને પછી એક મોટા વાસણમાં લોટ મિક્સ છે. ગામના મહિલાઓ કહે છે કે તે એક પવિત્ર કામ છે. મને તે કરવામાં કોઈ પ્રોબ્લમ નથી

નવા રહેવાસીઓ માટે આ એક નવો અનુભવ છે, જેમાંથી મોટાભાગની નવવધૂઓ છે. તેઓ આ દૈનિક કામને સ્વીકારવાનું અને અનુકૂલન કરવાનું પણ શીખે છે જે પેઢીઓથી પસાર થાય છે.”

નવવધૂ જણાવે છે કે જ્યારે લગ્ન કરીને હું અહીં આવી ત્યારે મને થોડી નવાઈ લાગી હતી, પરંતુ ધીમે ધીમે મને પણ તે ગમવા લાગી. પહેલા મારી સાસુ રોટલી બનાવતી હતી. હવે જ્યારે અમારો વારો આવે છે ત્યારે હું શ્વાનને બનાવીને ખવડાવું છું

ફીડિંગ પ્લેટફોર્મની સામે એક નાની દુકાન છે જે નાની કરિયાણાની વસ્તુઓ વેચે છે. જ્યારે પણ કોઈને કોઈ સારા સમાચાર મળે છે, ત્યારે તેઓ અહીં શ્વાનને ખવડાવીને ઉજવણી કરવા આવે છે. કેટલીકવાર લોકો દુકાનોમાંથી બિસ્કિટ ખરીદીને તેમને ખવડાવે છે.

રાત્રિભોજન, જે હંમેશા શાકાહારી હોય છે, તે 5 વાગ્યાની આસપાસ શ્વાનઓને આપવામાં આવે છે. કેટલાક શ્વાન ખોરાકથી ભરેલા પ્લેટફોર્મને અવગણે છે કારણ કે તે ભરેલી છે. ઘણા પરિવારો શ્વાન માટે ખોરાક અને પાણીના નાના બાઉલ પણ રાખે છે.

તહેવારો દરમિયાન મંદિર પરિસરમાં સમિતિ દ્વારા શ્વાન માટે ભોજન તૈયાર કરવામાં આવે છે. ખીચડી, હલવો અને કેટલીક દૂધની બનાવટો મેનુમાં વિશેષ વાનગીઓ છે.

કુશ્કલમાં પ્રાણીઓ પ્રત્યેનો પ્રેમ ખૂબ જ ઊંડો છે. પક્ષીઓ પણ ગ્રામજનોની દેખરેખ હેઠળ છે, ગામના પ્રવેશદ્વાર પર પક્ષી ઘર બનાવ્યું છે. પક્ષી ધરને પીળો અને ગુલાબી રંગ આપ્યો છે. કબૂતરો અને ચકલીઓએ તેને પોતાનું ઘર બનાવી લીધું છે, પરંતુ ગ્રામજનો કહે છે કે આટલું પૂરતું નથી. તેઓ એક નાનું માળખું બનાવી રહ્યા છે જ્યાં પક્ષીઓ અનાજ ખાઈ શકે.

ચિંતાનું કારણ

પાલનપુર શહેરમાં સૌથી નજીકના વેટરનરી ડોક્ટર 13 કિમી દૂર હોવાથી આરોગ્ય સુવિધાઓનો અભાવ ચિંતાનો વિષય છે. અન્ય એક રહેવાસી કહે છે, જો શ્વાન ઘાયલ થાય છે, તો અમે તેને પાટો બાંધીએ છીએ અને પ્રાથમિક સારવાર આપીએ છીએ. ક્લિનિકની જરૂર નથી. શ્વાનને ન તો નસબંધી કરવામાં આવે છે કે ન તો રસી આપવામાં આવે છે, અને પ્રાણી કલ્યાણ કાર્યકરો પગલાં લેવા માટે દબાણ કરી રહ્યા છે.

કુશકલ ગામ નજીક પાલનપુરમાં રહેતા ડોક્ટર કહે છે કે શ્વાન માટે હડકવા વિરોધી રસીકરણ જરૂરી છે અને તે શ્વાન કરડવાના કિસ્સામાં મનુષ્યોમાં હડકવાની શક્યતા ઘટાડવામાં મદદ કરે છે. આ કિસ્સામાં જો શ્વાનને આ રસી લગાવવામાં ન આવે તો તે એક મોટું સ્વાસ્થ્ય જોખમ છે.

શ્વાન બાળકો, તેમના માતાપિતા અને દાદા-દાદી માટે કુટુંબ છે. ગ્રામ લોકો કહે છે કે અમે જાણીએ છીએ કે કયા વિસ્તારમાં કેટલા શ્વાન છે અને કોણે કેટલા બચ્ચા પેદા કર્યા છે અમે ઘણીવાર નાના ગલુડિયાઓ સાથે રમીએ છીએ અને તેમની જરૂરિયાતોનું ખાસ ધ્યાન રાખીએ છીએ.

ગામમાં સાંજ પડતાં જ બાળકો તેમના મનપસંદ શ્વાન અને ગલુડિયાઓ સાથે રમવાનું બંધ કરે છે અને રાત્રિભોજન માટે ઘરે પાછા ફરે છે. કેટલાક મોટા શ્વાન પોતાનું કામ શરૂ કરે છે. તેઓ શેરીઓ અને ઘરની આસપાસ રક્ષા કરવાનું કામ કરે છે. અજાણ્યા કોઈ વ્યક્તિ કુશ્કાલમાં પ્રવેશી કરી શકતી નથી. શ્વાન રાત્રે ગામનું અને ઘરનું ધ્યાન રાખે છે.

આ પણ વાંચો: Success Story: ખેતર વેચીને શરૂ કરી કંપની, આજે કંપનીની વેલ્યું છે 5 હજાર કરોડને પાર, જાણો તે ગુજરાતી વિશે

Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
Accident: દ્વારકાના બરડીયા નજીક ભયંકર અકસ્માત, 7 લોકોના મોત, 14 ઘાયલ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સુરત જિલ્લામાં કોઝવે ઓવરટોપીંગના કારણે 7 રસ્તાઓ થયા ઠપ્પ
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
સોમનાથ મંદિર પાછળની સરકારી જમીન પરના દબાણો દૂર કરાયા
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
ગાંધીનગરના પીપળજમાં મોડી રાત્રે દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નવરાત્રિમા મોડી રાત સુધી ગરબા રમી શકશે ખેલૈયા, ગુજરાત સરકારની જાહેરાત
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
નકલી અધિકારીઓ બાદ ગોંડલ સ્ટેટના નકલી રાજા ફરતા હોવાનો દાવો
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
Rajkot : ફુલઝર નદી બે કાંઠે વહેતી થતા રૌદ્ર રૂપ જોવા મળ્યું
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
સુરતમાં પ્રિનવરાત્રીમાં આ ખાસ થીમ સાથે ઘુમ્યા ગરબે
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમની સપાટી 138.44 મીટરે પહોંચી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
ખંભાળિયા પંથકમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો, રસ્તા પર ફરી વળ્યા પાણી
g clip-path="url(#clip0_868_265)">