ગુજરાતના આ ધારાસભ્યે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને કહ્યું ‘મારો ત્રણ મહિનાનો પગાર શહીદોના પરિવારોને મોકલાવી આપજો’

|

Feb 17, 2019 | 8:32 AM

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પુલવામા આંતકવાદી હુમલાની ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરીવારોને સહાય માટે પોતાના ધારાસભ્ય તરીકેના છેલ્લા ત્રણ પગારોને જમા કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રુપાણીને પત્ર લખી જાણ કરી છે.  અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભા ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૭ની સામાન્ય ચુંટણી દરમ્યાન કોંગ્રેસ પક્ષ તરફથી ચુંટાઇ આવેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ચુંટાયા બાદ ધારાસભ્ય તરીકેના […]

ગુજરાતના આ ધારાસભ્યે મુખ્યમંત્રી વિજય રુપાણીને પત્ર લખીને કહ્યું મારો ત્રણ મહિનાનો પગાર શહીદોના પરિવારોને મોકલાવી આપજો

Follow us on

બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ પુલવામા આંતકવાદી હુમલાની ઘટનામાં શહીદ થયેલા જવાનોના પરીવારોને સહાય માટે પોતાના ધારાસભ્ય તરીકેના છેલ્લા ત્રણ પગારોને જમા કરવા માટે રાજ્યના મુખ્ય પ્રધાન વિજય રુપાણીને પત્ર લખી જાણ કરી છે. 

અરવલ્લી જીલ્લાના બાયડ વિધાનસભા ક્ષેત્રમાં વર્ષ ૨૦૧૭ની સામાન્ય ચુંટણી દરમ્યાન કોંગ્રેસ પક્ષ તરફથી ચુંટાઇ આવેલા ધારાસભ્ય ધવલસિંહ ઝાલા ચુંટાયા બાદ ધારાસભ્ય તરીકેના વેતન મેળવવાથી દુર રહ્યા હતા.

શુભમન ગિલને મળશે 5 કરોડ રૂપિયા !
Plant in pot : ઉનાળામાં છોડને લીલોછમ રાખવા અપનાવો આ ટીપ્સ
આ છે પાકિસ્તાનના સૌથી અમીર હિંદુ વ્યક્તિ ! કરોડોની છે સંપત્તિ
કિંગ ખાનના હાથે જાનકી બોડીવાલાને મળ્યો IIFA Awards
વોટ્સએપમાં આવ્યું નવું ફીચર ! હવે તમારી ચેટને જાતે કરી શકશો ઓર્ગેનાઈઝ
પતિ ચહલને બીજી યુવતી સાથે જોઈ ધનશ્રીને થઈ જલન ! હવે Restore કર્યા ફોટા

 

TV9 Gujarati

 

ધારાસભ્ય એ હુમલાના શહીદો પ્રત્યે દુખ વ્યક્ત કરીને આ જાહેરાત કરતો પત્ર મુખ્ય પ્રધાનને પાઠવીને આજે પોતાની લાગણી દર્શાવીને આંતકવાદી ઘટનાને વખોડી કાઢી હતો. સીઆરપીએફના જવાનો પર આંતકવાદી હુમલાને વખોડી કાઢીને આ દુખના સમયે સમગ્ર દેશ એકજુટ હોવાનુ પત્ર દ્રારા ધારાસભ્યે કહ્યુ હતુ. પત્રમાં સરકાર હવે કડક પગલા ભરે અને વાતો બહુ થઇ છે એમ કહી આક્રમકતા ભેર આંતકવાદ વિરોધી સુરને સમર્થન પાઠવ્યુ હતુ. ગઇ કાલે ધારાસભ્ય પોતાના મત વિસ્તાર બાયડમાં આંતકવાદીનું પુતળા દહન કરીને પણ વિરોધ દર્શાવી હુમલાને વખોડી કાઢી દુખ વ્યક્ત કર્યુ હતુ અને જવાનોની શહાદત પ્રત્યે સંવેદના દર્શાવી હતી. આમ બાયડના કોંગ્રેસી ધારાસભ્યએ પોતાના વેતનને શહીદોના પરીવારની સહાય માટે થઇને જાહેર કરીને શહીદોને શ્રદ્ધાજંલિ પાઠવી હતી.

[yop_poll id=1491]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 2:34 pm, Sat, 16 February 19

Next Article