Anand જિલ્લાની પેટલી પ્રાથમિક શાળામાં યોજાયો બાળ મગર મેળો, જાણો શું છે તેની ખાસિયત

વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સી તથા પેટલી ગ્રામ પંચાયતના સહયોગથી પેટલી પ્રાથમિક શાળામાં બાળ મગર મેળાનું (Crocodile Fair) આયોજન કરવામાં આવ્યું હતું.

Anand જિલ્લાની પેટલી પ્રાથમિક શાળામાં યોજાયો બાળ મગર મેળો, જાણો શું છે તેની ખાસિયત
પેટલી પ્રાથમિક શાળામાં યોજાયો બાળ મગર મેળો
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Sep 03, 2022 | 3:22 PM

આણંદ (Anand ) જિલ્લામાં આવેલી પેટલી પ્રાથમિક શાળામાં (Primary school) બાળ મગર મેળો (Crocodile Fair) યોજવામાં આવ્યો હતો. પ્રથમ વખતમાં આ માહિતી વાંચીને આશ્ચર્ય થશે કે વળી આ બાળ મગર મેળો શું છે ? તમને જણાવી દઇએ કે ચરોતર વિસ્તારમાં જ્યાં મગરની વસતી વધુ છે તેમના બાળકોને અહીં એકત્ર કરવામાં આવ્યા હતા. મગરની વસતિ ધરાવતા 14 ગામોની પ્રાથમિક શાળાઓના ધો. 6 થી 8ના 250 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ભાવિ પેઢી માનવામાં આવે છે એવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અને જાગૃતતા તરફ વળે તે હેતુથી શાળામાં વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી.

કેમ આ મેળો બધાથી અલગ છે ?

વોલેન્ટરી નેચર કન્ઝર્વન્સી તથા પેટલી ગ્રામ પંચાયતના સહયોગથી પેટલી પ્રાથમિક શાળામાં બાળ મગર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય ચરોતર પ્રદેશમાં મગરોની સાથે રહેતા સ્થાનિક ગ્રામજનો તથા મગર વચ્ચેનો જે સહ અસ્તિત્વનો સંબધ છે તેને પ્રોત્સાહિત કરવાનો છે. આ મેળામાં ચરોતરમાં મગરની વસ્તી ધરાવતાં પેટલી, ડેમોલ, લવાલ, દેવા, અલીન્દ્રા, વસો, મલાતજ તથા હેરંજ ગામોની 14 જેટલી પ્રાથમિક શાળાઓના ધો. 6 થી 8ના 250થી વધારે વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

મગરની થીમ પર જ વિવિધ સ્પર્ધા

ભાવિ પેઢી એવા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં પર્યાવરણ અને વન્યજીવ સંરક્ષણ અને જાગૃતતા તરફ વળે તે અર્થે મગરને સંદર્ભ જુદી જુદી સ્પર્ધાઓ જેવી કે વકૃત્વ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા અને માટીમાંથી મગર બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે તેઓ ગમ્મત સાથે સાથે જ્ઞાન મેળવે તે માટે મગરના ઈંડા, મગરની બખોલ, મારું ગામ મારા મગર, મગરની ચાલ જેવી વિવિધ રમતો આવરી લેવામાં આવી હતી. મગર વિશેષજ્ઞ ડો. રાજુ વ્યાસ દ્વારા આ બાળ મગર મેળા પ્રોજેક્ટ અંગેની માહિતી આપવામાં આવી હતી.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ કાર્યક્રમમાં વન્યજીવ વૈજ્ઞાનિક ડો. જતીન્દર કૌર હાજર રહ્યા હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા નેચર કન્ઝર્વન્સીના 30 સ્વયંસેવકો દ્વારા તથા બીજેવીએમ કોલેજના NSSના 18 વિદ્યાર્થીઓએ ખુબ મહત્વનું યોગદાન આપ્યું હતું. વિવિધ સ્પર્ધાઓના વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ કરી બહુમાન કરવામાં આવ્યું હતું.

Latest News Updates

ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
g clip-path="url(#clip0_868_265)">