Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં “MODI@20, DREAMS, MEET, DELIVERY” પુસ્તક ઉપર યોજાયુ વ્યાખ્યાન

Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં "MODI@20, DREAMS, MEET, DELIVERY" પુસ્તક પર વ્યાખાન યોજાયુ હતુ, જેમા કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા, આણંદના સાંસદ મિતેશભાઈ પટેલ, સરદાર પટેલ યુનિ.ના કુલપતિ સહિતના મહાનુંભાવો ઉપસ્થિત રહ્યા હતા અને પુસ્તક વિશે ચર્ચા કરી હતી.

Anand: સરદાર પટેલ યુનિવર્સિટીમાં MODI@20, DREAMS, MEET, DELIVERY પુસ્તક ઉપર યોજાયુ વ્યાખ્યાન
Modi@20
Follow Us:
Dharmendra Kapasi
| Edited By: | Updated on: Aug 27, 2022 | 6:15 PM

આણંદમાં  સરદાર પટેલ યુનિવર્સીટી (Sardar Patel University)ના એમ. પી. પટેલ ઓડિટોરિયમ ખાતે કેન્દ્રીય મત્સ્ય-પશુપાલન તેમજ ડેરી ઉદ્યોગ મંત્રી પરશોત્તમ રૂપાલા (Parshotam Rupala)ના અધ્યક્ષસ્થાને અને આણંદના સાંસદ મિતેષભાઈ પટેલ, સરદાર પટેલ યુનિવર્સીટીના કુલપતિ પ્રો. નિરંજનભાઈ પટેલ, ગુજરાત યુનિવર્સીટીના ડૉ. જગદીશ ભાવસાર, સરદાર પટેલ યુનિવર્સીટીનાં કુલસચિવ ડૉ. ભાઈલાલભાઈ પટેલ અને એમ.એસ યુનિવર્સીટીનાં સિન્ડિકેટ સદસ્ય સત્યેન કુલાબકરની વિશેષ ઉપસ્થિતિમાં “Modi @20, DREAMS, MEET, DELIVERY” પુસ્તક પર ખાસ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

કાર્યક્રમના પ્રારંભમાં સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. નિરંજન પટેલે જણાવ્યું હતું કે, 21 મી સદીમાં નરેદ્ર મોદી એ ભારતનો પર્યાય છે, તેમણે સમગ્ર દુનિયામાં ભારતના નેતૃત્વની એક અલગ છાપ ઊભી કરી છે. કોરોના મહામારીમાં પણ લોકોનો વિશ્વાસ નરેંદ્રભાઇ મોદી ઉપર અતુટ રહ્યો છે.

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ પુસ્તક વિશે જણાવ્યું હતુ કે, MODI@20 પુસ્તકમાં નરેન્દ્ર મોદીની 20 વર્ષની યાત્રાને શબ્દદેહ આપવાનો યથાર્થ પ્રયાસ કરાયો છે, જે અન્ય માટે પ્રેરણાદાયી સાબિત થશે. આ પુસ્તકમાં વિવિધ ક્ષેત્રના 22 જેટલા મહાનુભાવો દ્વારા લેખ લખવામાં આવ્યા છે. આ પુસ્તક એ રાષ્ટ્રનો વિકાસ કેવી રીતે થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડે છે.

આજનું રાશિફળ તારીખ 17-05-2024
Cannesમાં જ્યારે તૂટેલા હાથ સાથે રેમ્પ વોક કરવા ઉતરી ઐશ્વર્યા રાય બચ્ચન, જુઓ-Photos
ધૃતરાષ્ટ્રને કૌરવો ઉપરાંત પણ હતો એક પુત્ર, જાણો કોણ હતો એ
LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
તમારા ઘરની તુલસી સાથે જોડાયેલી આ 7 ભૂલો ક્યારેય ન કરતાં, જાણો કારણ
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે

PM મોદીની મુત્સદગીરીને કારણે ભારતીયો યુક્રેનથી સલામત પરત આવ્યા: રૂપાલા

કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલાએ નરેન્દ્રભાઇ મોદીને સામાન્ય કાર્યકર્તાથી લઈને વડાપ્રધાન સુધીની યાત્રાને બિરદાવતાં જણાવ્યું હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રૂપમાં આટલું વિરાટ વ્યક્તિત્વ આપણી સામે ઉભર્યું છે. નરેન્દ્રભાઈ જ્યારે પણ કોઈ દેશમાં પ્રવાસ કરવા જાય ત્યારે આપણને ત્યાં આખું ભારત ઉતાર્યું હોય તેવી અનુભૂતિ થાય. તેમણે યૂક્રેન –રશિયાના યુધ્ધ દરમિયાન ભારતીયોને યૂક્રેનમાંથી સહી સલામત પરત લાવવાની વડાપ્રધાન મોદીની મુત્સદીગીરીનો ઉલ્લેખ કરતાં ઉમેર્યું હતુ કે, યુદ્ધના ઇતિહાસકારોએ ભવિષ્યમાં લખવું પડશે કે, યુધ્ધના સમયમાં ફક્ત સફેદ ઝંડો નહીં, પરંતુ જો ત્રિરંગો હોય તો પણ કોઈને મરાય નહીં.

નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિના કારણે ભારત વિશ્વગુરુ બનવાની દિશામાં આગળ: રૂપાલા

કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યુ કે છેલ્લા 20 વર્ષમાં નરેન્દ્રભાઈ મોદીની કુનેહ અને દીર્ઘદ્રષ્ટીના પરિણામે આજે ભારતની ખ્યાતી વિશ્વમાં પ્રતિષ્ઠીત થઈ છે, અનેક મુસીબતો, સંકટો, કુદરતી- માનવ સર્જીત આફતોની સામે પણ નરેન્દ્રભાઈની અડગ ઈચ્છાશક્તિના કારણે ભારત વિશ્વગુરૂ બનવા તરફ ઝડપભેર આગળ વધી રહયું છે. ભૂકંપ બાદના કચ્છનું પુન:સર્જનનું કાર્ય હોય કે પાણીની વિકટ પરિસ્થિતિ સામે કેવડીયાથી કચ્છની કાંધ સુધી પાણી પહોંચાડવાનું ભગીરથ કાર્ય હોય, નરેન્દ્રભાઇ મોદીના શાસનમાં આવા અનેક વિરાટ કાર્યો થયાં છે, એટલું જ નહી પરંતુ કોરોનાના કપરા કાળમાં પણ ભારતે તેનું સામર્થ્ય દેશ અને દુનિયાને બતાવ્યું છે.

Latest News Updates

અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
અઠવા વિસ્તારમાં અજાણ્યા વાહનમાંથી ઓઈલ લીકેજની ઘટના, લોકોને હાલાકી
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
ધોરાજી પંથકમાં દૂષિત પાણી આવતુ હોવાથી લોકોમાં રોષ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં આ તારીખે બેસશે ચોમાસુ
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
આ ચાર રાશિના જાતકોને ધનલાભના સંકેત, અચાનક થશે ધનની વર્ષા
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
રૂપાલા સામેનું ક્ષત્રિય આંદોલન હાલ સ્થગિત, રાજકોટમાં ભાજપ હારશે
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
એસ્ટ્રોન ચોકના નાળા પાસેથી યુવતીનો લટક્તી હાલતમાં મૃતદેહ મળ્યો - Video
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
આવકનો દાખલો મેળવવામાં અરજદારોને સરકારી કચેરીઓએ દિવસે દેખાડી દીધા તારા
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
સુરતમાં આવકના દાખલા માટે કચેરી બહાર લાગી લાંબી કતારો, અરજદારોને હાલાકી
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
ગુમ થયેલા 2 બાળકોને શોધવા માતા - પિતા બન્યા ભિક્ષુક !
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
સોશિયલ મીડિયાની લિંક દ્વારા ઠગાઈને અપાતો હતો અંજામ
g clip-path="url(#clip0_868_265)">