AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Fact Check: ‘મત નહીં આપ્યો તો કપાશે 350 રૂપિયા’, EC ના નામે ફરતા આ ફેક મેસેજથી રહેજો સાવધાન

ફેક મેસેજમાં લખવામાં આવ્યું છે કે કમિશને સૂચના આપી છે કે જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે.

Fact Check: 'મત નહીં આપ્યો તો કપાશે 350 રૂપિયા', EC ના નામે ફરતા આ ફેક મેસેજથી રહેજો સાવધાન
Symbolic Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 9:41 AM
Share

ચૂંટણી પંચ(Election Commission)ના નામે સોશિયલ મીડિયા (Social media) પર ફેક ન્યૂઝ (Fake news) ફેલાવવામાં આવી રહ્યા છે. ફેક મેસેજમાં લખવામાં આવ્યું છે કે કમિશને સૂચના આપી છે કે જે લોકો વોટ નહીં કરે તેમના ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે. દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધી છે.

હવે સોશિયલ મીડિયા પર ચૂંટણી પંચના નામે એક નકલી સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે. વોટ્સએપ પર ચૂંટણી પંચના નામે એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં લખ્યું છે કે જો તમે મત નહીં કરો તો તમારા ખાતામાંથી 350 રૂપિયા કપાશે. મામલો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. હવે આ કેસની તપાસ દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા શરૂ કરવામાં આવી છે.

આ અંગે ચૂંટણી પંચે 1 ડિસેમ્બરે ફરિયાદ કરી છે. આ મામલે FIR પણ નોંધવામાં આવી છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પર એક મેસેજ વાયરલ કરીને ફેક ન્યૂઝ ફેલાવવામાં આવી રહ્યા છે જેમાં કહેવામાં આવ્યું છે કે “ચૂંટણી પંચ દ્વારા આદેશ જાહેર કરવામાં આવ્યો છે કે જે નાગરિક મતદાન નહીં કરે તેના બેંક ખાતામાંથી 350 રૂપિયા કાપવામાં આવશે. ”

કમિશન દ્વારા વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ફેક ન્યૂઝ વોટ્સએપ પર ફેલાવવામાં આવી રહ્યા છે, જેમાં લખવામાં આવ્યું છે કે જો વોટ નહીં આપવામાં આવે તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાશે, જેમાં ફરિયાદ બાદ દિલ્હી પોલીસના ઈન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO) યુનિટે તપાસ શરૂ કરી છે. આ કેસમાં પોલીસે IPCની કલમ 171G હેઠળ કેસ નોંધ્યો છે.

વર્તમાન સમયમાં વોટ્સએપ પર અવાર-નવાર આવા ફેક મેસેજ વાયરલ થતાં હોય છે ત્યારે સૌથી પહેલા લોકોએ તેની વિશ્વસનીયતા ચકાસવી તેમજ આગળ ફોરવર્ડ કરતા પહેલા થોડું એ બાબત વિશે માહિતી જોવી ત્યાર બાદ તેના પર વિશ્વાસ કરવો આજકાલ આવા મેસેજથી લોકો સાથે છેતરપીંડીની ઘટનાઓ સામે આવતી રહે છે ત્યારે લોકોએ જાગરૂત રહેવું અને મેસેજ સાચો છે કે ફેક તે હંમેશા ચકાસવાનો આગ્રહ રાખવો.

આ પણ વાંચો: ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ

આ પણ વાંચો: ગેલ કે ડી વિલિયર્સ નહીં 23 વર્ષની ઉંમરે 85 વર્ષ જૂનો રેકોર્ડ તોડીને આ બેટ્સમેન બન્યો ક્રિકેટ ઈતિહાસનો સૌથી ઝડપી સદી બનાવનાર !

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">