AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ

આ ગાયનું ઘી, દૂધ, ગૌમૂત્ર અને છાણ પણ સારી કિંમતે વેચાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગીર ગાયનો ઉછેર એ તમામ પ્રકારે નફાકારક સોદો છે. ગીર ગાયની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેના કારણે પશુધનને નુકશાન થવાનું જોખમ ઘટે છે.

ગીર ગાય એક દિવસમાં 50 લીટર સુધી આપી શકે છે દુધ, જાણો ગીર ગાય નામ પડવા પાછળનું કારણ
Gir Cow (Symbolic Image)
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2021 | 6:43 AM
Share

જ્યારે પણ ગાયની સારી ઓલાદની વાત થાય છે ત્યારે સૌથી પહેલા ગીર ગાય(Gir Cow)નું નામ લેવામાં આવે છે. તે આપણા પશુપાલકો(Pastoralists)ની પ્રથમ પસંદગી માનવામાં આવે છે. તેમાં ઘણા સારા ગુણો છે. તેની રોગ પ્રતિકારક શક્તિ (immunity) અન્ય ગાયો કરતા સારી છે. સાથે જ તેની દુધ ઉત્પાદકતા પણ ઘણી ઊંચી છે. ત્યારે જાણો કેવી રીતે પશુપાલકો(Animal Husbandry)ગીર ગાયનું યોગ્ય રીતે પાલન કરી વધુમાં વધુ લાભ મેળવી શકે.

ડેરીમાં દિવસેને દિવસે ઉત્પાદન વધારવા માટે પશુઓની ઓલાદની પસંદગી સૌથી મહત્વની છે અને દેશી ગાયમાં સારી ઓલાદની વાત આવે તો ગીર ગાયનું નામ ચોક્કસ લેવામાં આવે છે. અર્ધ-શુષ્ક વાતાવરણમાં ઓછા ખર્ચે સમૃદ્ધ ઉત્પાદન માટે તે પશુપાલકોની પ્રથમ પસંદગી છે.

આ ગાયનું ઘી, દૂધ, ગૌમૂત્ર અને છાણ પણ સારી કિંમતે વેચાય છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે ગીર ગાયનો ઉછેર એ તમામ પ્રકારે નફાકારક સોદો છે. ગીર ગાયની રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. જેના કારણે પશુધનને નુકશાન થવાનું જોખમ ઘટે છે.

ગીર ગાયના નામ પાછળની કહાની

તેનું નામ ગુજરાતના ગીરના જંગલ પરથી પડ્યું છે. તે ગીર ગાયનું ઉદ્ગમ સ્થાન હોવાનું માનવામાં આવે છે. તેને જુદા જુદા પ્રદેશોમાં જુદા જુદા નામોથી પણ બોલાવવામાં આવે છે. તેનો મુખ્ય વિસ્તાર સૌરાષ્ટ્ર, ગુજરાતના રાજકોટ, જૂનાગઢ, સોમનાથ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવેલો છે. તેની લોકપ્રિયતા રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશથી બ્રાઝિલ સુધી ફેલાઈ છે. આ જ કારણ છે કે તેની સંખ્યા સતત વધી રહી છે.

ગીર ગાયની ઓળખ

ગીર ગાયની મુખ્યત્વે બે ઓલાદો છે. સ્વર્ણ કપિલા અને દેવમણિને અદ્યતન જાતિ માનવામાં આવે છે. ગીર ગાય મુખ્યત્વે લાલ રંગની હોય છે. તેનું કપાળ પહોળું અને કાન લાંબા હોય છે. જ્યારે તેના શિંગડા લાંબા અને વળાંકવાળા હોય છે. આંચળ સંપૂર્ણ રીતે વિકસિત છે અને ખૂંધ જોવા મળે છે.

એક દિવસમાં 50 લિટર જેટલું દૂધ લઈ શકો છો

એક અહેવાલ મુજબ ગીર ગાયમાંથી એક દિવસમાં 50 લીટર દૂધ લઈ શકાય છે. આ જ કારણ છે કે પશુપાલકોમાં તેની માગ વધી રહી છે. તેમની સુરક્ષા અને સંખ્યા વધારવા માટે ઘણી યોજનાઓ પણ ચલાવવામાં આવી રહી છે. અગાઉ તેઓ માત્ર ગુજરાતમાં જ જોવા મળતા હતી, પરંતુ હવે તેઓ રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણા અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ સરળતાથી જોઈ શકાય છે.

આ જાતિની ગાયનું આયુષ્ય 12 થી 15 વર્ષનું હોય છે. ગીર ગાય તેમના જીવનકાળમાં 6 થી 12 વાછરડા પેદા કરી શકે છે. તેનું વજન લગભગ 400 થી 475 કિગ્રા હોઈ શકે છે. પરંતુ આ ત્યારે જ શક્ય બને છે જ્યારે પ્રાણીઓને સારો ખોરાક આપવામાં આવે. ગીર ગાયમાંથી સારા દૂધ ઉત્પાદન માટે સંતુલિત પોષણયુક્ત આહાર આપવો જોઈએ.

આ રીતે સંતુલિત આહારનું મિશ્રણ તૈયાર કરો

100 કિલો આહાર મિશ્રણ બનાવવા માટે 10 કિલો કપાસિયાનો ખોળ, ચણા અને મગનો પાવડર 25 કિલો, ઘઉં અને મકાઈની દાળ 40 કિલો, સોયાબીન પાવડર 22 કિલો, ખનિજ મિશ્રણ 2 કિલો અને મીઠું 1 ​​કિલો તૈયાર કરી શકાય છે.

નિર્વાહ માટે, આહાર મિશ્રણમાંથી દરરોજ 1 થી 1.5 કિગ્રા આપવું જોઈએ. બીજી તરફ, દૂધ આપતી ગાય માટે, વધુમાં 400 ગ્રામ બાટા પ્રતિ લિટર આપવું જોઈએ. બહાર ચરવાથી પણ સારું દૂધ ઉત્પાદન મળે છે.

આ પણ વાંચો: ખેડૂતો માટે સારા સમાચાર ! કૃષિ અને પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સની નિકાસમાં 13 ટકાનો વધારો થયો

આ પણ વાંચો: Krishi Udan Yojana 2.0: ખેડૂતોને આ યોજના થકી મળશે આ લાભ, જાણો કેવી રીતે કરવી અરજી

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">