AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના પ્રોફેસર શેરિલ કોહેને જણાવ્યું હતું કે ઓમિક્રોન દ્વારા પ્રભાવિત ચોથી લહેર દરમિયાન માત્ર 6 ટકા કેસોમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. જ્યારે અગાઉની લહેરમાં 16 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો
Corona Virus Omicron Variant Impact
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 1:32 PM
Share

વિશ્વભરમાં કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધતા જતા ખતરા વચ્ચે, દક્ષિણ આફ્રિકાના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે કોવિડ-19ના અગાઉના પ્રકારો કરતા ઓછો ગંભીર છે. ઉપરાંત, ઓમિક્રોનથી સંક્રમિત લોકોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ ઓછો છે. અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કે અન્ય દેશોમાં જ્યાં રસીકરણ ખૂબ જ વધારે છે અથવા જ્યાં પ્રથમ ચેપના ઓછા કેસ નોંધાયા છે, ત્યાં આવી સ્થિતિ ન બની શકે. દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા કેસ પણ સતત ઘટી રહ્યા છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના પ્રોફેસર શેરિલ કોહેને જણાવ્યું હતું કે ઓમિક્રોન દ્વારા પ્રભાવિત ચોથી લહેર દરમિયાન, પ્રથમ ચાર અઠવાડિયામાં નોંધપાત્ર સંખ્યામાં કેસ નોંધાયા હતા. પરંતુ તેમાંથી માત્ર 6 ટકા કેસોમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. જ્યારે અગાઉની લહેરમાં 16 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એનઆઈસીડીના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે જો આપણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પર નજર કરીએ તો ચોથી લહેરમાં લગભગ 21,000 દર્દીઓ, બીજી લહેરમાં 19,000 અને ત્રીજી લહેર દરમિયાન 16,000 દર્દીઓ દાખલ થયા હતા. ગંભીર ચેપના કેસો પણ અગાઉની લહેરની તુલનામાં અડધા જેટલા હતા. તેમણે કહ્યું કે કોવિડની જટીલતાના કારણે વર્તમાનમાં 6 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) દરમિયાન લગભગ 22 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

યુકેના અભ્યાસે પણ દાવાઓને સમર્થન આપ્યું હતું બ્રિટનના બે નવા અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોનથી ચેપ લાગે તો હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી છે. હોસ્પિટલમાં દાખલ થવાનો દર 20-25 ટકા જેટલો ઓછો છે. જો કે, અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તેના કારણે ચેપ ફેલાવાની ઝડપ ઘણી વધારે છે. તેમાંથી કોઈપણ અભ્યાસની સમીક્ષા કરવામાં આવી નથી.

આ નવું વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળ્યું હતું. આરોગ્ય નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના નવા કેસોમાં તાજેતરમાં થયેલો ઘટાડો એ સંકેત આપી શકે છે કે દેશમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ ટોચ પર પહોંચી ગયા છે. ચેપના દૈનિક કેસોની આ ગણતરી પર આધાર રાખી શકાતો નથી કારણ કે તે અસમાન પરીક્ષણ, કેસના અહેવાલમાં વિલંબ અને અન્ય વધઘટથી પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો : ભારતે રસીકરણમાં સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની 60 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય પ્રધાને આપ્યા અભિનંદન

આ પણ વાંચો : Omicron Variant In India: ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ

Follow Us
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
અખબારમાં સમોસા-વડાપાવ પેક કર્યા તો દુકાનદારે જવું પડશે જેલ
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
નવસારી: 8 કરોડ ખર્ચાયા છતાં 18 તળાવ ઇન્ટરલિંક પ્રોજેક્ટ 6 વર્ષથી અધ્ધર
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
સ્વચ્છ ભારત મિશનની ઇ-રિક્ષાઓ ધૂળ ખાય છે, ભ્રષ્ટાચારના આક્ષેપ
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
હળવદના ચરાડવા પાસે કાર અકસ્માત, 7માંથી 5ના મોત અને 2 લોકોને ગંભીર ઈજા!
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
એક તરફ વાયરસનો કહેર, બીજી તરફ બેદરકારીથી ગર્ભવતી સિંહણનું મોત !
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
આસારામ આશ્રમની આસપાસની જગ્યામાં ડિમોલિશન શરૂ, જુઓ Video
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
g clip-path="url(#clip0_868_265)">