AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝના પ્રોફેસર શેરિલ કોહેને જણાવ્યું હતું કે ઓમિક્રોન દ્વારા પ્રભાવિત ચોથી લહેર દરમિયાન માત્ર 6 ટકા કેસોમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. જ્યારે અગાઉની લહેરમાં 16 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Omicron: કોવિડ-19ના પહેલા વેરિએન્ટ કરતા ઓમિક્રોનનું જોખમ ઓછું, દક્ષિણ આફ્રિકાના નવા અભ્યાસમાં થયો ખુલાસો
Corona Virus Omicron Variant Impact
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 1:32 PM
Share

વિશ્વભરમાં કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટના (Omicron Variant) વધતા જતા ખતરા વચ્ચે, દક્ષિણ આફ્રિકાના એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે તે કોવિડ-19ના અગાઉના પ્રકારો કરતા ઓછો ગંભીર છે. ઉપરાંત, ઓમિક્રોનથી સંક્રમિત લોકોના હોસ્પિટલમાં દાખલ થવાનો દર પણ ઓછો છે. અભ્યાસમાં એવું કહેવામાં આવ્યું છે કે જો કે અન્ય દેશોમાં જ્યાં રસીકરણ ખૂબ જ વધારે છે અથવા જ્યાં પ્રથમ ચેપના ઓછા કેસ નોંધાયા છે, ત્યાં આવી સ્થિતિ ન બની શકે. દક્ષિણ આફ્રિકામાં કોવિડના નવા કેસ પણ સતત ઘટી રહ્યા છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ફોર કોમ્યુનિકેબલ ડિસીઝ (NICD) ના પ્રોફેસર શેરિલ કોહેને જણાવ્યું હતું કે ઓમિક્રોન દ્વારા પ્રભાવિત ચોથી લહેર દરમિયાન, પ્રથમ ચાર અઠવાડિયામાં નોંધપાત્ર સંખ્યામાં કેસ નોંધાયા હતા. પરંતુ તેમાંથી માત્ર 6 ટકા કેસોમાં લોકોને હોસ્પિટલમાં દાખલ કરવાની જરૂર હતી. જ્યારે અગાઉની લહેરમાં 16 ટકા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

એનઆઈસીડીના અન્ય એક અધિકારીએ જણાવ્યું કે જો આપણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા પર નજર કરીએ તો ચોથી લહેરમાં લગભગ 21,000 દર્દીઓ, બીજી લહેરમાં 19,000 અને ત્રીજી લહેર દરમિયાન 16,000 દર્દીઓ દાખલ થયા હતા. ગંભીર ચેપના કેસો પણ અગાઉની લહેરની તુલનામાં અડધા જેટલા હતા. તેમણે કહ્યું કે કોવિડની જટીલતાના કારણે વર્તમાનમાં 6 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા, જ્યારે ડેલ્ટા વેરિઅન્ટ (Delta Variant) દરમિયાન લગભગ 22 ટકા દર્દીઓ મૃત્યુ પામ્યા હતા.

યુકેના અભ્યાસે પણ દાવાઓને સમર્થન આપ્યું હતું બ્રિટનના બે નવા અભ્યાસમાં એ પણ બહાર આવ્યું છે કે ડેલ્ટા વેરિઅન્ટની તુલનામાં ઓમિક્રોનથી ચેપ લાગે તો હોસ્પિટલમાં દાખલ થવાની શક્યતા ઓછી છે. હોસ્પિટલમાં દાખલ થવાનો દર 20-25 ટકા જેટલો ઓછો છે. જો કે, અભ્યાસમાં કહેવામાં આવ્યું છે કે તેના કારણે ચેપ ફેલાવાની ઝડપ ઘણી વધારે છે. તેમાંથી કોઈપણ અભ્યાસની સમીક્ષા કરવામાં આવી નથી.

આ નવું વેરિઅન્ટ સૌપ્રથમ દક્ષિણ આફ્રિકામાં જ જોવા મળ્યું હતું. આરોગ્ય નિષ્ણાતોએ એમ પણ કહ્યું કે દક્ષિણ આફ્રિકામાં કોવિડ-19ના નવા કેસોમાં તાજેતરમાં થયેલો ઘટાડો એ સંકેત આપી શકે છે કે દેશમાં ઓમિક્રોનના કારણે સંક્રમણના કેસ ટોચ પર પહોંચી ગયા છે. ચેપના દૈનિક કેસોની આ ગણતરી પર આધાર રાખી શકાતો નથી કારણ કે તે અસમાન પરીક્ષણ, કેસના અહેવાલમાં વિલંબ અને અન્ય વધઘટથી પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો : ભારતે રસીકરણમાં સીમાચિહ્ન હાંસલ કર્યું, દેશની 60 ટકા વસ્તીનું સંપૂર્ણ રસીકરણ થયું, આરોગ્ય પ્રધાને આપ્યા અભિનંદન

આ પણ વાંચો : Omicron Variant In India: ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">