AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant In India: ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ

ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલ ડેટા અનુસાર, અત્યાર સુધીમાં, ભારતના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા છે.

Omicron Variant In India: ભારતમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા, જાણો કયા રાજ્યમાં સૌથી વધુ કેસ
Omicron Cases In India
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 23, 2021 | 12:12 PM
Share

ભારતમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના (Corona Virus) ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ (Omicron Variant Cases) નોંધાયા છે. ગુરુવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા અપડેટ કરાયેલ ડેટા અનુસાર, અત્યાર સુધીમાં, ભારતના 16 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના 236 કેસ નોંધાયા છે. તેમાંથી 104 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. ઓમિક્રોન વેરિઅન્ટના કારણે વિશ્વભરમાં ચિંતાનું વાતાવરણ છે અને દેશોમાં નિયંત્રણો લાગુ કરવામાં આવી રહ્યા છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના સૌથી વધુ 65 કેસ છે, દિલ્હીમાં 64, તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19 અને કેરળમાં 15 કેસ છે. મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે જાહેર કરવામાં આવેલા અપડેટ ડેટા અનુસાર, ભારતમાં એક દિવસમાં કોવિડ-19ના 7,495 નવા કેસ (Corona Cases) નોંધાયા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા વધીને 3,47,65,976 થઈ ગઈ છે. સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે. વધુ 434 સંક્રમિતોના મોત બાદ મૃત્યુઆંક વધીને 4,78,759 થયો છે.

રાજ્ય મુજબ ઓમિક્રોન દર્દીઓની સંખ્યા મહારાષ્ટ્રમાં ઓમિક્રોન વેરિઅન્ટના 65 કેસ નોંધાયા હતા. બીજા નંબર પર દિલ્હી છે, જ્યાં 23 દર્દીઓ મળી આવ્યા છે. તેલંગાણામાં 24, રાજસ્થાનમાં 21, કર્ણાટકમાં 19, કેરળમાં 15 અને ગુજરાતમાં 14 લોકો ઓમિક્રોનથી સંક્રમિત જોવા મળ્યા છે. તે જ સમયે, જમ્મુ અને કાશ્મીરમાં 3 કેસ, આંધ્ર પ્રદેશ, ઓડિશા અને ઉત્તર પ્રદેશમાં 2-2 કેસ નોંધાયા છે. આ ઉપરાંત, ઓમિક્રોન વેરિઅન્ટનો એક-એક દર્દી ચંદીગઢ, લદ્દાખ, તમિલનાડુ, ઉત્તરાખંડ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળ્યો હતો. આ રીતે ઓમિક્રોન કેસની કુલ સંખ્યા 236 છે.

ભારતનો કોવિડ રિકવરી રેટ 98.40 ટકા મંત્રાલયના ડેટા અનુસાર, દેશમાં સતત 56 દિવસ સુધી કોવિડ -19 ના દૈનિક કેસ 15 હજારથી ઓછા છે. કોવિડથી સાજા થયેલા દર્દીઓની સંખ્યા વધીને 78,291 થઈ ગઈ છે, જે ચેપના કુલ કેસના 0.23 ટકા છે. આ દર માર્ચ 2020 પછી સૌથી નીચો છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં 101નો વધારો નોંધાયો છે. દર્દીઓનો રાષ્ટ્રીય રિકવરી રેટ 98.40 ટકા છે, જે માર્ચ 2020 પછી સૌથી વધુ છે.

આ પણ વાંચો : રામ મંદિર પર આતંકીઓ આત્મઘાતી હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે ! ઉત્તર પ્રદેશના ડાયલ 112 પર મોકલવામાં આવ્યો મેસેજ

આ પણ વાંચો : UP Elections 2022: PM Modi પશ્ચિમ યુપીને મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીની ભેટ આપશે ! 4 જાન્યુઆરીએ મોટી ચૂંટણી રેલી કરી શકે છે

Follow Us
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
ઠગ બંટી-બબલીએ 15 લોકો પાસેથી 20 કરોડથી વધુની છેતરપિંડી કરી
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
પરિવારમાં બધાની વાતોને ધ્યાનથી સાંભળો, મિત્રોને સહયોગી બનતા જોશો
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
જામનગરના વોટર પાર્કમાં 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
રાજકોટમાં પગ મુક્તા જ બાબા બાગેશ્વરે વિરોધ કરનારાઓને આપી આ ચેલેન્જ
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
અમદાવાદમાં વેજ બર્ગરના ઓર્ડરમાં ગ્રાહકને નોનવેજ બર્ગર મળ્યું
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબાર પહેલા હાઇવોલ્ટેજ ડ્રામા !
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
Gir Breaking News : ગીરના 11 સિંહો સ્વસ્થ થતા ફરી જંગલમાં મુક્ત!
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
ચોમાસા પહેલા ગુજરાતમાંથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
Breaking News : એક જ પરિવારના ત્રણ સભ્યોએ આત્મહત્યા કરી ,જુઓ Video
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
આજનું રાશિફળ: રોકાણ માટે આજનો દિવસ ભાગ્યશાળી, વધશે સામાજિક પ્રતિષ્ઠા
g clip-path="url(#clip0_868_265)">