સરકારે રેફ્રિજરેટર, એ.સી.માં ઉપયોગમાં લેવાતા હાઈડ્રોફ્લોરોકાર્બનની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ

ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડ (DGFT) એ બુધવારે એક સૂચનામાં જણાવ્યું હતું કે, હાઇડ્રોફ્લોરોકાર્બન માટેની નિકાસ નીતિમાં તાત્કાલિક અસરથી ફ્રી ટુ કર્બ કેટેગરીમાં સુધારો કરવામાં આવ્યો છે. તેની નિકાસ માટે, પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC) ની જરૂર પડશે.

સરકારે રેફ્રિજરેટર, એ.સી.માં ઉપયોગમાં લેવાતા હાઈડ્રોફ્લોરોકાર્બનની નિકાસ પર મૂક્યો પ્રતિબંધ, જાણો શું છે કારણ
File Image
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 11:02 PM

સરકારે હાઈડ્રોફ્લોરોકાર્બનની (Hydrofluorocarbon) નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. સ્થાનિક બજારમાં તેની ઉપલબ્ધતા વધારવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ કેમિકલનો ઉપયોગ રેફ્રિજરેશન  (Refrigeration) અને એર કન્ડીશનીંગમાં (Air-Conditioning) થાય છે. હવે નિકાસકારોએ હાઈડ્રોફ્લોરોકાર્બન (HFCs)ની નિકાસ માટે સરકારની પરવાનગી લેવી પડશે. ડાયરેક્ટોરેટ જનરલ ઑફ ફોરેન ટ્રેડે (DGFT) બુધવારે એક સૂચનામાં જણાવ્યું હતું કે હાઈડ્રોફ્લોરોકાર્બન માટેની નિકાસ નીતિમાં તાત્કાલિક અસરથી ફ્રી ટુ કર્બ કેટેગરીમાં સુધારો કરવામાં આવ્યો છે. તેની નિકાસ માટે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય તરફથી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ (NOC)ની જરૂર પડશે.

આ દૃષ્ટિકોણથી પણ આ પગલું મહત્વપૂર્ણ છે કારણ કે સરકારે રેફ્રિજરેટર્સ, એસી અને વોશિંગ મશીન (વ્હાઈટ ગુડ્સ) માટે 6,238 કરોડ રૂપિયાની પ્રોડક્શન લિન્ક્ડ ઈન્સેન્ટિવ (PLI Scheme) સ્કીમની જાહેરાત કરી છે. પીએલઆઈ યોજનાનો ઉદ્દેશ એસી અને એલઈડી લાઈટ માટે ભાગો અને પેટા એસેમ્બલીના ઉત્પાદનને પ્રોત્સાહિત કરવાનો છે.

એચએફસીના આયાત પર પ્રતિબંધ

આ મહિનાની શરૂઆતમાં સરકારે એચએફસીની આયાત પર પણ આ પ્રકારના નિયંત્રણો લાદ્યા હતા. એવું કહેવાય છે કે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે આવું કરવામાં આવ્યું છે. એચએફસીની આયાત નીતિને ‘ફ્રી’માંથી બદલીને ટેક્સના પ્રતિબંધમાં મૂકવામાં આવી છે. જો કે તેને પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયના નો-ઓબ્જેક્શન પ્રમાણપત્રના આધારે આયાત કરી શકાય છે. મતલબ કે આયાતકારોએ હવે આ કેમિકલની આયાત કરવા માટે ડિરેક્ટોરેટ પાસેથી લાયસન્સ અથવા પરવાનગી લેવી પડશે.

એક મહિના સુધી ભીંડાનું પાણી પીવાથી થશે આ ફાયદા
જૂનું કૂલર ઠંડી હવા નથી આપતુ, તો આ ટીપ્સ અપનાવો
આજનું રાશિફળ તારીખ 28-03-2024
IVF ટેકનીક દ્વારા કઈ ઉંમર સુધી માતા-પિતા બની શકાય ?
આ 5 બ્રાન્ડની બીયર ખૂબ પીવે છે ભારતીયો
હિના ખાનની સાદગી જોઈને ફેન્સ થયા દિવાના, જુઓ ફોટો

જણાવી દઈએ કે ભારત 2032થી ચાર તબક્કામાં એચએફસી ઘટાડશે. પ્રથમ તબક્કા હેઠળ એચએફસીમાં 2032માં 10 ટકા, 2037માં 20 ટકા, 2042માં 30 ટકા અને 2047 સુધીમાં 80 ટકાનો ઘટાડો કરવામાં આવશે. હાઈડ્રોફ્લોરોકાર્બન એ 19 વાયુઓનો સમૂહ છે. ગ્લોબલ વોર્મિંગના સંદર્ભમાં તે કાર્બન ડાયોક્સાઇડ કરતાં હજારો ગણું વધુ શક્તિશાળી છે.

એક રિપોર્ટ અનુસાર, હાલમાં વિશ્વભરમાં 360 મિલિયનથી વધુ કુલિંગ મશીન ઉપયોગમાં છે. એક અંદાજ મુજબ 2050 સુધીમાં તેની સંખ્યા વધીને 1400 કરોડ થઈ જશે. જો આપણે વૈશ્વિક સ્તરે તબક્કાવાર રીતે હાઈડ્રોફ્લોરોકાર્બન ઘટાડવામાં સફળ થઈશું તો તે 105 મિલિયન ટન કાર્બન ડાયોક્સાઈડની સમકક્ષ ગ્રીનહાઉસ વાયુઓને રોકવામાં મદદ કરશે. જો 2050 સુધીમાં વૈશ્વિક સ્તરે આ વાયુઓનું ઉત્સર્જન સંપૂર્ણપણે બંધ થઈ જાય તો સદીના અંત સુધીમાં તાપમાનમાં 0.5 °Cનો ઘટાડો થઈ શકે છે. જે ક્લાઈમેટ ચેન્જ માટે ઘણું મહત્વનું છે.

આ પણ વાંચો : મેક ઇન ઇન્ડિયાનો સિંહ સમગ્ર વિશ્વમાં જોરથી કરી રહ્યો છે ગર્જના, ભારતે પહેલીવાર 400 અરબ ડોલરના નિકાસનો લક્ષ્ય કર્યો હાંસલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">