Budget 2024 : જાણો કેન્દ્રીય બજેટ 2024-25 સાથે જોડાયેલા કેટલાક મહત્વપૂર્ણ પ્રશ્નો અને તેના જવાબ
Budget 2024 : સીતારામન સાથે પ્રી-બજેટ ચર્ચામાં, ઉદ્યોગના પ્રતિનિધિઓએ આર્થિક વિકાસને ટકાવી રાખવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
Budget 2024 : સતત વૈશ્વિક અનિશ્ચિતતાઓ, યુએસ, યુરોપ અને અન્યત્ર સંભવિત આર્થિક મંદી અને રશિયા-યુક્રેન અને ઇઝરાયલ-પેલેસ્ટાઇન ગાઝામાં ચાલી રહેલા સંઘર્ષો વચ્ચે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ જુલાઈ 2024ના અંત સુધીમાં મોદી સરકારનું બજેટ રજૂ કરવાની તૈયારી કરી રહ્યા છે.
સીતારામન સાથે પ્રી-બજેટ ચર્ચામાં, ઉદ્યોગના પ્રતિનિધિઓએ આર્થિક વિકાસને ટકાવી રાખવા માટે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે માઇક્રો, સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝિસ એટલેકે MSME સેક્ટરને મજબૂત કરવાના મહત્વ પર પણ ભાર મૂક્યો હતો જે ભારતીય અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ છે અને રોજગારનો મુખ્ય સ્ત્રોત છે.ચાલો જાણીએ કે કેન્દ્રીય બજેટ 2024 થી સંબંધિત કેટલાક વારંવાર પૂછાતા પ્રશ્નો અને તેના જવાબ…
વર્ષ 2024-25નું કેન્દ્રીય બજેટ ક્યારે રજૂ થશે?
નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંભવતઃ જુલાઈ 2024 ના અંતમાં સંસદમાં કેન્દ્રીય બજેટ 2024-2025 રજૂ કરશે. આ સંબંધમાં તારીખ અને સમય હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જો કે નાણામંત્રી જુલાઇ મહિનામાં જ સંસદમાં બજેટ રજૂ કરશે તે નિશ્ચિત છે. સરકાર લોકસભાના ચાલુ સત્ર દરમિયાન જ બજેટની તારીખ અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરી શકે છે.
સંસદનું બજેટ સત્ર ક્યારે શરૂ થશે અને ક્યારે સમાપ્ત થશે?
નવા ચૂંટાયેલા સભ્યોના શપથ માટે 18મી લોકસભાનું પ્રથમ સત્ર 3 જુલાઈના રોજ સમાપ્ત થશે. આ સત્ર દરમિયાન જ સરકાર દ્વારા બજેટની તારીખ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરવામાં આવશે તેવી અપેક્ષા છે.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બજેટ સત્રમાં બંને ગૃહોને ક્યારે સંબોધશે?
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 27 જૂને લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકને સંબોધિત કરશે.
આર્થિક સર્વે શું છે?
આર્થિક સર્વેક્ષણ દેશની આર્થિક પ્રગતિની વાર્ષિક ઝાંખી આપે છે, મુખ્ય પડકારોને હાઇલાઇટ કરે છે અને સંભવિત ઉકેલો સૂચવે છે. આ વર્ષનો સર્વે મુખ્ય આર્થિક સલાહકાર ડૉ. વી. અનંત નાગેશ્વરનના માર્ગદર્શન હેઠળ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
વચગાળાના બજેટ અને સંપૂર્ણ બજેટ વચ્ચે શું તફાવત છે?
વચગાળાનું બજેટ એ કામચલાઉ નાણાકીય બ્લુપ્રિન્ટ છે જે ટૂંકા ગાળા માટે ખર્ચને આવરી લેવા માટે રચાયેલ છે. સામાન્ય રીતે, નવી સરકાર સત્તા સંભાળે ત્યાં સુધી વચગાળાના બજેટ દ્વારા ખર્ચની જોગવાઈ કરવામાં આવે છે. નાણાકીય વર્ષ 31 માર્ચના રોજ સમાપ્ત થયું અને જૂનની શરૂઆતમાં નવી સરકારે સત્તા સંભાળી હોવાથી નાણા પ્રધાન નિર્મલા સીતારમણે આ સમયગાળાના ખર્ચને સંચાલિત કરવા માટે 1 ફેબ્રુઆરી, 2024 ના રોજ વચગાળાનું બજેટ રજૂ કર્યું. આ બજેટ એ સુનિશ્ચિત કરે છે કે આ સમયગાળા દરમિયાન નાણાકીય કામગીરી સરળતાથી ચાલુ રહે. હવે નવી સરકારની રચના થઈ ગઈ છે, બાકીના નાણાકીય વર્ષ માટેનું વ્યાપક બજેટ જુલાઈમાં રજૂ કરવામાં આવશે.
રાજકોષીય ખાધ શું છે?
“રાજકોષીય ખાધ” સરકારની કુલ આવક અને નાણાકીય વર્ષમાં તેના કુલ ખર્ચ વચ્ચેનો તફાવત દર્શાવે છે. આ ખાધ દર્શાવે છે કે સરકારનો ખર્ચ તેની કમાણી કરતાં કેટલો છે. એ નોંધવું અગત્યનું છે કે કુલ આવકની ગણતરી કરતી વખતે ઋણને બાકાત રાખવામાં આવે છે.
આ પણ વાંચો : Budget 2024 : નાણાં મંત્રી સમક્ષ નાના વેપારીઓની મોટી માંગ, PLI યોજના વધુ સેક્ટરમાં લાગુ કરવા રજુઆત