કૃષિ સાથે સંકળાયેલી આવક પર ટેક્સ ફ્રીનો મુદ્દો હોય કે કૃષિ ક્ષેત્ર સાથે સંબંધિત કંપનીઓને ટેક્સમાં છૂટ આપવાની જોગવાઈ, સંબંધિત કાયદામાં સુધારો કરીને તેના પર ટેક્સ વસૂલવાની દિશામાં પહેલ કરવી જરૂરી બની છે. જો આ પગલું જલ્દી લેવામાં નહીં આવે તો શ્રીમંત ખેડૂતો વધુ અમીર બનશે અને ગરીબ ખેડૂતો વધુ ગરીબ બનશે.