ગુજરાત સહીત આ રાજ્યોમાં કાળઝાળ ગરમી મચાવશે કહેર, હવામાન વિભાગે એપ્રિલ-મે-જૂન માટે કરી આગાહી

દેશમાં સમાન્ય રીતે એપ્રિલ, મે અને જૂન મહિનામાં અસહ્ય ગરમીનો અનુભવ થતો હોય છે. પરંતુ આ વર્ષે ગરમીના પ્રમાણમાં વધારો થશે. દિવસના સામાન્ય તાપમાન કરતા વધુ તાપમાન નોંધાશે. ખાસ કરીને મેદાની પ્રદેશ ધરાવતા રાજ્યોમાં ગરમીનું પ્રમાણ વધુ રહેવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ગુજરાત સહીત આ રાજ્યોમાં કાળઝાળ ગરમી મચાવશે કહેર, હવામાન વિભાગે એપ્રિલ-મે-જૂન માટે કરી આગાહી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2024 | 8:16 PM

એક તરફ તમામ રાજકીય પક્ષો અને કાર્યકરો લોકશાહીના સૌથી મોટા તહેવાર એવા લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીમાં વ્યસ્ત છે. તો બીજી તરફ હવામાન વિભાગે આગામી દિવસો માટે હવામાનની આગાહી કરી છે. હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, એપ્રિલથી જૂન મહિના સુધીના આગામી ત્રણ મહિના દરમિયાન મેદાની રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં સામાન્ય કરતાં વધુ ગરમીની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે આ સમયે દેશભરમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાનાર છે.

એપ્રિલ-મે-જૂન મહિનામાં આકરી ગરમી પડશે

હવામાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા લેટેસ્ટ અપડેટ મુજબ, એપ્રિલ, મે અને જૂન વચ્ચે દેશના ઘણા ભાગોમાં તીવ્ર ગરમીની સંભાવના છે. આ ત્રણ મહિના દરમિયાન ગરમીનું મોજું લગભગ 10 થી 20 દિવસ સુધી ચાલુ રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, પશ્ચિમ હિમાલય ક્ષેત્ર, ઉત્તર-પૂર્વીય રાજ્યો અને ઉત્તર ઓડિશાના કેટલાક ભાગોમાં પણ તાપમાનમાં ફેરફાર જોવા મળી શકે છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલથી જૂનના સમયગાળા દરમિયાન ગરમીના મોજાની સૌથી ખરાબ અસર ગુજરાત, મધ્ય મહારાષ્ટ્ર, ઉત્તર કર્ણાટક, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, ઓડિશા, ઉત્તર છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં વધુ જોવા મળી શકે છે.

ભારતના ઘણા ભાગોમાં આકરી ગરમી પડશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, એપ્રિલ મે અને જૂન મહિના દરમિયાન પશ્ચિમ હિમાલય પ્રદેશ, પૂર્વોત્તર રાજ્યો અને ઉત્તર ઓડિશાના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઓછું રહેવાની શક્યતા છે. જ્યારે, એપ્રિલમાં દેશના મોટાભાગના ભાગોમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં વધુ રહેવાની સંભાવના છે, મધ્ય દક્ષિણ ભારતમાં આની સૌથી વધુ સંભાવના છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આઠ દિવસ સુધી ગરમીનું મોજું રહેવાની શક્યતા

હવામાન વિભાગના ડાયરેકટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાના જણાવ્યા અનુસાર, સામાન્ય રીતે એકથી ત્રણ દિવસ સુધી ગરમીનુ મોજૂ રહેતું હોય છે, પરંતુ આ વખતે કેટલાક વિસ્તારોમાં ગરમીનું મોજું બેથી આઠ દિવસ રહેવાની ધારણા છે. તો કેટલાક વિસ્તારોમાં 10થી 20 દિવસ સુધી ગરમીનું મોજૂ રહેશે. ગરમીના સમયગાળામાં દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી, આગામી 19 એપ્રિલથી 1 જૂન વચ્ચે સાત તબક્કામાં યોજાનાર છે.

બીજીબાજુ ચિંતાજનક સમાચાર એ છે કે, અલ નીનો વર્ષની શરૂઆતથી જ નબળુ પડી ગયુ છે અને હાલમાં તે વિષુવવૃત્તમાં છે. પેસિફિક ક્ષેત્રમાં મધ્યમ અલ નીનો સ્થિતિ યથાવત છે. મોટાભાગના વિષુવવૃત્તીય પ્રશાંત મહાસાગરમાં દરિયાઈ સપાટીનું તાપમાન સામાન્ય કરતાં વધુ ગરમ છે. અલ નીનોની અસર આગામી સમયગાળા દરમિયાન પણ ચાલુ રહેશે. જેની અસર ભારતના વાતાવરણમાં પણ જોવા મળશે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">