Chhota Udepur : ભાજપ ઉમેદવાર જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા, જુઓ Video

આદિવાસી પ્રજા હોળી,દિવાસો,નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. હોળી આદિવાસીઓનો મોટામાં મોટો અને ખૂબ જ પ્રિય તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણીની તૈયારી શરૂ થઈ જાય છે, ત્યારે છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભંગૂરીયાના મેળામાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પહોંચ્યા હતા. જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2024 | 10:26 AM

આદિવાસી પ્રજા હોળી,દિવાસો,નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારોની પોતાની આગવી રીતે ઉજવણી કરે છે. હોળી આદિવાસીઓનો મોટામાં મોટો અને ખૂબ જ પ્રિય તહેવાર છે. ફાગણ સુદ એકમથી જ આ તહેવારની ઉજવણીની તૈયારી શરૂ થઈ જાય છે, ત્યારે છોટાઉદેપુરના દેવહાંટ ગામે ભંગૂરીયાના મેળામાં ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા સાથે હાલના લોકસભાના ભાજપના ઉમેદવાર જશુ રાઠવા પહોંચ્યા હતા. જશુ રાઠવા આદિવાસી મેળામાં મન મૂકીને નાચ્યા હતા.

આદિવાસીઓ માટે હોળી સૌથી મહત્વનો તહેવાર મનાય છે. હોળી પૂર્વે અને પછી જુદીજુદી જ્ગ્યાએ મેળા યોજી આદિવાસીઓ હોળીની ઉજવણી કરે છે. હોળી પૂર્વે જે ગામમાં હાટ બજાર ભરાય ત્યાં ભંગુરિયાનો મેળો ઉજવાય છે, જેમાં મોટી સંખ્યામાં આદિવાસીઓ પોતાના પારંપરિક વેશભૂષામાં નાચ ગાન કરી ભારે ઉત્સાહથી મેળાને માણે છે.

ગઇકાલે છોટાઉદેપુર તાલુકાના દેવહાંટ ગામે ભંગુરિયાનો મેળો યોજાયો હતો. જેમાં છોટાઉદેપુર લોકસભાના ઉમેદવાર જશુ રાઠવાની સાથે ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા આદીવાસી નૃત્ય ટીમલીની મજા માણી હતી.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">