અયોધ્યાના રામ મંદિર માટે અમદાવાદના આર્કિટેક્ટ પરેશ સોમપુરાએ બનાવી 1200થી વધુ પ્રતિમા- જુઓ Video
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્યાતિવ્ય રામ મંદિરના નિર્માણમાં ગુજરાતનું અમૂલ્ય યોગદાન છે. જેમા અમદાવાદના શિલ્પકાર પરેશ સોમપુરાએ રામ મંદિર માટે 1200થી વધુ મૂર્તિઓ તૈયાર કરી આપી છે. આ ઉપરાંત હજુ ગર્ભગૃહના વિવિધ ગોખમાં સ્થાપિત થનારી મૂર્તિઓ પણ પરેશ સોમપુરાએ જ બનાવી છે.
અયોધ્યામાં નિર્માણ પામેલા ભવ્ય રામ મંદિર માટે ગુજરાતનું અનેરુ યોગદાન રહેલુ છે. ગુજરાતમાં તૈયાર થયેલુ સૌથી મોટુ નગારુ હોય કે રામમંદિરના શિખર પર સ્થાપિત થનાર વિશાળ ધ્વજદંડ એ તમામ વસ્તુઓ ગુજરાતથી મોકલવામાં આવી છે. જેમા ગુજરાતના શિલ્પકારોનું પણ યોગદાન ઓછુ નથી. રામ મંદિર માટે અમદાવાદના શિલ્પકાર પરેશ સોમપુરાએ 1200થી વધુ મૂર્તિઓ તૈયાર કરી છે. જે મંદિરના વિવિધ પિલર પર સ્થાપિત કરવામાં આવી છે. ભગવાન રામલલાના ગર્ભગૃહમાં સાતેય દિશામાં સ્થાપિત થનારી મૂર્તિઓનું નિર્માણ પરેશ સોમપુરાએ કર્યુ છે.
રામ મંદિર માટે પરેશ સોમપુરાના વર્કશોપમાં તૈયાર થઈ વધુ 600 મૂર્તિ
tv9 સાથેની વાતચીતમાં પરેશ સોમપુરાએ જણાવ્યુ કે રામલલાના ગર્ભગૃહના સાત દિશાઓના અલગ અલગ ગોખ માટે તેમણે સાતેય દિશાઓના દેવો મૂર્તિઓ તૈયાર કરી છે. જેમા ઈન્દ્ર, કુબેર, સૂર્ય, વરુણ, નૈઋત્ય, યમ, અગ્નિ, વાયવ્ય સહિતની મૂર્તિઓનો સમાવેશ થાય છે. મુખ્ય મંડપમાં ઈશાન, બ્રહ્મદેવ, નાગદેવ અને સૂર્યદેવની પ્રતિમા સ્થાપિત કરવામાં આવશે. પ્રાર્થના કિર્તન મંડપમાં ભારત વર્ષના ઋષિઓની પ્રતિમા લગાવવામાં આવશે.
રામમંદિર જે પથ્થરમાંથી તૈયાર થયુ એ જ પથ્થરમાંથી મૂર્તિઓનું નિર્માણ
હાલ શિલ્પકાર પરેશ સોમપુરાના વર્કશોપમાં રામમંદિર માટે 600થી વધુ મૂર્તિઓ આકાર પામી રહી છે. જેમા વિરાલિકાની કોતરણી સહિત હાથી, સિંહની મૂર્તિઓ સામેલ છે. તેમણે મંદિરના પિલર માટે વિવિધ દેવાંગનાઓની (નૃત્યાંગના) પ્રતિમાની કોતરણી પણ કરી છે. મંદિર પરિસરમાં 7હજાર જેટલી નાની-મોટી પ્રતિમાઓ સ્થાપિત કરવામાં આવશે. જે પથ્થરમાંથી રામ મંદિર તૈયાર થયુ છે તે જ પથ્થરમાંથી આ મૂર્તિઓની કોતરણી કરવામાં આવી રહી છે.
![આજનું રાશિફળ તારીખ : 27-07-2024 આજનું રાશિફળ તારીખ : 27-07-2024](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-WEB-STORY-THUMBNAIL-1-15.jpg?w=670&ar=16:9)
![રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-railways-5-new-vande-bharat-trains-route-8.jpg?w=670&ar=16:9)
![પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/pakistani-woman-divorce-celebration-danced-video-6.jpg?w=670&ar=16:9)
![સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/stock-market-bse-nse-seek-clarification-on-mtnl-share-return-6.jpg?w=670&ar=16:9)
![સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/ghee-with-hot-water-health-benefits-2.jpg?w=670&ar=16:9)
![શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય](https://images.tv9gujarati.com/wp-content/uploads/2024/07/cropped-home-remedies-will-cure-spine-pain-1721978586-1.jpeg?w=670&ar=16:9)